આવનાર દિવસોમાં ઠંડીનો થશે અહેસાસ! જાણો માવઠા અને ઠંડીને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-11-28 08:56:31

હમણાં ભલે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ રવિવારે અને સોમવારે માવઠાને કારણે વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત જ થઈ હતી ત્યારે તો કારતક મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ બન્યો હતો. એટલે કે શિયાળામાં ચોમાસાનું આગમન થયું. કમોસમી વરસાદને કારણે વરસાદી માહોલ જામ્યો છે. આ માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ માવઠાની સંભાવના નહીંવત છે પરંતુ આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

આવનાર દિવસોમાં તાપમાનમાં નોંધાશે ઘટાડો 

રાજ્યમાં રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે તેમજ સોમવારે અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે શિયાળામાં ચોમાસાની સિઝનનો અહેસાસ થયો હતો. આ માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો આવવાની સંભાવના છે. તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે જેને કારણે ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ શકે છે. ડિસેમ્બરના શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકોને થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 

હવામાન વિભાગ Vs અંબાલાલ પટેલ: રાજ્યમાં વરસાદ સામાન્ય રહેશે કે ધોધમાર?

રાજ્યમાં માવઠાની સંભાવના નહીંવત! 

ગુજરાત માટે આગાહી કરતા હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં જે સિસ્ટમથી કમોસમી વરસાદ વરસ્યો હતો તે હવે પસાર થઈ ચૂકી છે. જેને કારણે રાજ્યમાં માવઠાની સંભાવના નહીંવત છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોઈ જગ્યા પર વરસાદ આવી શકે છે પરંતુ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ ટળી ગયું છે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ શકે છે. ડિસેમ્બરના પ્રારંભથી ગુજરાતવાસીઓએ કાતિલ ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે.   

સમગ્ર રાજ્યમાં ઠંડીનો બીજો તબક્કો શરૂઃ અમદાવાદમાં 9.3, નલિયામાં 6.2 |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat Samay -  નવગુજરાત સમય


ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

અમદાવાદમાં ગઈકાલે તાપમાન 26.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતનો સૌથી ઠંડોગાર વિસ્તાર નલિયા રહ્યો હતો. નલિયામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ભુજ અને ડીસામાં 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 16.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 17.6, વડોદરામાં 18 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન  નોંધાયું હતું. દ્વારકાનું તાપમાન 19.8 ડિગ્રી, પોરબંદરમાં 18.2 ડિગ્રી , વેરાવળમાં 19.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.