ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 1 ઓગસ્ટથી ITR ફાઈલ કરવા પેનલ્ટી ભરવી પડશે


  • Published By :
  • Published Date : 2023-07-30 18:16:22

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ પૂરી થવા જઈ રહી છે. જો તમે ઈન્કમ ટેક્સની મર્યાદામાં આવો છો, તો ITR ફાઈલ કરવા માટે આજે અને કાલનો સમય બાકી છે. આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ પછી, ITR ફાઇલ કરવા માટે દંડ થશે. કારણ કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં.


5.83 કરોડ ટેક્સ રિટર્ન ફાઈલ


ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે. જો તમે હજુ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમારે આવતી કાલ સુધીમાં આ કામ કરી લેવું જોઈએ. 1 ઓગસ્ટથી રિટર્ન ફાઈલ કરવા માટે તમારે પેનલ્ટી ભરવી પડશે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં 5.83 કરોડ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આ આંકડો ગયા વર્ષના રેકોર્ડને વટાવી ગયો છે. કોઈપણ વ્યક્તિ કે જેણે હજુ સુધી તેના એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું નથી, તેણે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું કે 30 જુલાઈ 2023ના રોજ બપોરે 1 વાગ્યા સુધી 5.83 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા છે. આ આંકડો ગયા વર્ષે 31 જુલાઈ સુધી ફાઈલ કરાયેલા ITRની સંખ્યાને પાર કરી ગયો છે.


1 ઓગસ્ટથી પેનલ્ટી ભરવી પડશે


31 જુલાઈ પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓએ લેટ ફી ચૂકવવી પડશે. જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં 5 લાખ રૂપિયાથી વધુ કમાણી કરે છે, તો તેને 5,000 રૂપિયા મોડા દંડ તરીકે ચૂકવવા પડશે. જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેણે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે. 31 ડિસેમ્બર, 2023 સુધી દંડ સાથે મોડું ફાઇલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.