જગતના તાત માટે વરસાદ બન્યો આફત, ડીસાના ખેડૂતોને વ્યાપક નુકશાન


  • Published By : Admin
  • Published Date : 2023-09-19 16:00:12

ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આઠ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. અંદાજિત 10 થી વધુ ગામડાઓમાં બાજરીનો પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

ડીસામાં ત્રણ દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને ફાયદો તો થયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ થયું છે. ખાસ કરીને ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા, જાવલ, તાલેપુરા,બુરાલ સહિત આજુબાજુના દસથી વધુ ગામડાઓમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા હોવાથી મોટાભાગે લોકો ચોમાસા આધારિત ખેતી કરે છે અને આ વખતે આ વિસ્તારમાં બાજરીનું મોટાપાયે વાવેતર થયું હતું અને બાજરીનો પાક પણ સારો થયો હોવાથી ખેડૂતો તૈયાર થયેલી બાજરીનો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા. તો કેટલીક જગ્યાએ ખેડૂતોએ બાજરી લણીને ખેતરમાં રાખી હતી તે દરમિયાન જ અચાનક વરસાદ શરૂ થઈ જતા બાજરીનો મોટાભાગનો પાક પલળી ગયો છે અને સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાજરીનો પાક ધોવાઈ જતા ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.


આ અંગે થેરવાડા ગામના અસરગ્રસ્ત ખેડુત આંબાભાઈ અને ભરતભાઈએ જણાવ્યું હતું કે તેમણે આ વખતે ચોમાસામાં બાજરીનું વાવેતર કર્યું હતું શરૂઆતમાં સારો વરસાદ થયો હોવાથી બાજરીનું ખૂબ જ સારું ઉત્પાદન થયું હતું અને તેમણે બાજરી લણીને તેમના ખેતરમાં રાખી હતી પરંતુ અચાનક વરસાદ શરૂ થઈ જતા અને સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ ચાલુ રહેતા બાજરીનો પાક ધોવાઈ ગયો છે અને તેમને મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર આ વિસ્તારમાં સર્વે કરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી માંગ કરી છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.