ગુજરાત સરકાર ક્યાંથી ચાલે છે તેનો જવાબ આપ્યો જગદીશ ઠાકોરે? યુવરાજસિંહ વિશે જગદીશ ઠાકોરે કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-04-26 12:51:30

ઘણા સમયથી કોંગ્રેસ એકદમ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જગદીશ ઠાકોરે સરકાર  પર આકરા પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત ડમીકાંડ મામલે પણ જગદીશ ઠાકોરે વાત કરી હતી અને યુવરાજસિંહના સમર્થનમાં વાત કરી હતી.

ભાજપ પર જગદીશ ઠાકોરના પ્રહાર!

કોંગ્રેસ દ્વારા અનેક વખત સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ આક્રામક દેખાતી હોય છે. ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર તેમણે પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર ગાંધીનગરથી નહીં પરંતુ સુરતથી ચાલે છે. સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ નથી પરંતુ 107 ગુનાનો રેકોર્ડ ધરાવતા સી.આર.પાટીલ રાજ્યના મુખ્યમંત્રી છે. તેમણે એવું જણાવ્યું કે ભાજપના નેતા કોઈપણ ગુનો કરે, બળાત્કાર કરે તો તેમને કોઈ કલમ લાગતી નથી. 


ડમીકાંડ મામલે જગદીશ ઠાકોરે આપ્યું નિવેદન!

જગદીશ ઠાકોરે યુવરાજસિંહને લઈ પણ વાત કરી હતી. ડમીકાંડ મુદ્દે નિવેદન આપતા તેમણે કહ્યું કે ડમીકાંડ જેવા કૌભાંડ ઘણા સમયથી ચાલે છે, કહેવાય છે કે મધ્યપ્રદેશના વ્યાપમ ઘોટાળો કરતા પણ આ વ્યાપર ડમીકાંડ હોય કે પેપર ફૂટવાના બનાવો હોય તે ગુજરાતમાં બની રહ્યા છે. આ ઘોટાળા કેમ બની રહ્યા છે તે સરકાર શોધતી નથી. સરકાર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો છે. આ ભરોસો ઉઠી ગયેલા બેરોજગાર યુવાનોને વાચા આપવાનું કામ આવતા દિવસોમાં કોંગ્રેસ કરશે. સમગ્ર જે કઈ બનાવો બની રહ્યા છે દબાવવાની, ડરાવવાની, ધમકાવવાની સરકારીની નીતિ બની છે, સરકારની સામે કોઈ સવાલ ના કરે, સરકારને કોઈ સવાલ ન કરે, એના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને દેશમાં બનાવો બની રહ્યા છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.