ગુજરાત સરકાર ક્યાંથી ચાલે છે તેનો જવાબ આપ્યો જગદીશ ઠાકોરે? યુવરાજસિંહ વિશે જગદીશ ઠાકોરે કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-04-26 12:51:30

ઘણા સમયથી કોંગ્રેસ એકદમ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જગદીશ ઠાકોરે સરકાર  પર આકરા પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત ડમીકાંડ મામલે પણ જગદીશ ઠાકોરે વાત કરી હતી અને યુવરાજસિંહના સમર્થનમાં વાત કરી હતી.

ભાજપ પર જગદીશ ઠાકોરના પ્રહાર!

કોંગ્રેસ દ્વારા અનેક વખત સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ આક્રામક દેખાતી હોય છે. ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર તેમણે પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર ગાંધીનગરથી નહીં પરંતુ સુરતથી ચાલે છે. સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ નથી પરંતુ 107 ગુનાનો રેકોર્ડ ધરાવતા સી.આર.પાટીલ રાજ્યના મુખ્યમંત્રી છે. તેમણે એવું જણાવ્યું કે ભાજપના નેતા કોઈપણ ગુનો કરે, બળાત્કાર કરે તો તેમને કોઈ કલમ લાગતી નથી. 


ડમીકાંડ મામલે જગદીશ ઠાકોરે આપ્યું નિવેદન!

જગદીશ ઠાકોરે યુવરાજસિંહને લઈ પણ વાત કરી હતી. ડમીકાંડ મુદ્દે નિવેદન આપતા તેમણે કહ્યું કે ડમીકાંડ જેવા કૌભાંડ ઘણા સમયથી ચાલે છે, કહેવાય છે કે મધ્યપ્રદેશના વ્યાપમ ઘોટાળો કરતા પણ આ વ્યાપર ડમીકાંડ હોય કે પેપર ફૂટવાના બનાવો હોય તે ગુજરાતમાં બની રહ્યા છે. આ ઘોટાળા કેમ બની રહ્યા છે તે સરકાર શોધતી નથી. સરકાર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો છે. આ ભરોસો ઉઠી ગયેલા બેરોજગાર યુવાનોને વાચા આપવાનું કામ આવતા દિવસોમાં કોંગ્રેસ કરશે. સમગ્ર જે કઈ બનાવો બની રહ્યા છે દબાવવાની, ડરાવવાની, ધમકાવવાની સરકારીની નીતિ બની છે, સરકારની સામે કોઈ સવાલ ના કરે, સરકારને કોઈ સવાલ ન કરે, એના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને દેશમાં બનાવો બની રહ્યા છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે