Vadodaraના પૂરને લઈને જૈન મુનિનો આક્રોશ કહ્યું, ભાજપના જ લોકો ભાજપનું કરશે પતન, સાંભળો શું કરી ભવિષ્યવાણી?


  • Published By :
  • Published Date : 2024-09-06 16:44:03

વરસાદ તો રાજ્યના અનેક વિસ્તારોમાં પડ્યો પણ સમાચાર વારંવાર વડોદરાના કેમ આવે છે... કેમ કે, જે પરિસ્થિતિ સર્જાણી છે એ ભયંકર છે અને સત્તાધીશોની ભૂલના કારણે સર્જાય છે.... બાર ઈંચ વરસાદે શહેરને બરબાદ કરી નાંખ્યું... લોકો પાંચ-પાંચ દિવસ પાણીમાં રહેવા મજબૂર બન્યા... ખાવા અનાજ, પહેરવા કપડા અને બાળકને આપવા દૂધ ન મળ્યું... તો સ્વાભાવિક છે કે લોકોનો આક્રોશ ઠલવાય... એવામાં હવે જૈન મુનિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે વડોદરાના સત્તાધીશો પર અને ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા છે.... 

પૂર અનેક વખત આવ્યું - જૈન મુની

જૈન મુનિનું કહેવું છે કે, વડોદરા ભાજપ માટે ભ્રષ્ટાચારનો સૌથી મોટો અડ્ડો બનીને રહી ગયું છે.... ભાજપનું પતન ભાજપના જ લોકો કરશે..એવુ નથી કે વડોદરામાં પહેલીવાર પૂર આવ્યું જેના કારણે આપણે આટલી બધી ચર્ચાઓ કરી રહ્યાં છીએ.... પાંચમી વખત પૂર આવ્યું અને એવા વિસ્તારોમાં પાણી ગયા જ્યાં કોઈ કાળે પાણી જવાની શક્યતાઓ જ નહોતી... લોકોના ઘરોમાં એક એક માળ સુધી પાણી ભરાય રહ્યાં અને વર્ષોની મહેનત કરી હતી એ બધુ જ ધોવાઈ ગયું... પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એક મા બાળકને ધવડાવી ન શકે એવી સ્થિતિ હતી.. 



મુનિ સૂર્યસાગર મહારાજે સરકાર પર કર્યા પ્રહાર

ભાજપના મંત્રીઓ, નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો પૂરગ્રસ્ત વિસ્તારના લોકોની મુલાકાતે પહોંચ્યા અને આક્રોશ વ્યક્ત કર્યો... હાથજોડીને ભાજપના નેતાઓને કાઢ્યા લોકોએ.... હવે એ આક્રોશ આક્રમક રીતે જૈન મુનિ તરફથી પણ વ્યક્ત કરવામા આવ્યો છે...પંચમહાલના હાલોલમાં ચાતુર્માસમાં બિરાજમાન જૈન મુનિ સૂર્યસાગર મહારાજે ભાજપના રાજનેતાઓ અને બિલ્ડરોની આકરી ઝાટકણી કાઢી છે.




ભાજપને લઈ ભવિષ્યવાણી કરતા કહ્યું...

જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, આજથી થોડાં વર્ષો પહેલાં વડોદરામાં 30 થી 35 તળાવો હતાં. ચોમાસામાં વરસાદનું પાણી સીધું આ તળાવોમાં જતું રહેતું હતું. જેથી કોઈ પ્રકારની હાનિ થતી ન હતી. આ 35 તળાવો ક્યાં ગયાં? તળાવો આ લોકો ખાઈ ગયા. વડોદરાના પોલિટિશિયનોએ બિલ્ડરોને આ તળાવો ખવડાવી દીધાં છે. વડોદરા ગુજરાતનું સૌથી મોટું ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે ભારતીય જનતા પાર્ટી માટે, પરંતુ આ લોકો સમજવા માગતા નથી... ભાજપના જ લોકો ભાજપનું જ પતન કરશે... સાથે તેમણે એવું પણ કહ્યું કે 2029માં ભાજપની સરકાર નહીં બને....ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .