જૈન આક્રોશના પડઘા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પડ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 15:30:43

જૈનોની આસ્થાના શહેર પાલિતાણામાં આદિનાથના પગલાને નુકસાન પહોંચતા અને સરકારે ઝારખંડમાં સ્થિત સમ્મેત શીખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે સુરત શહેરમાં આક્રોશની મહારેલી થઈ હતી. સુરત શહેરમાં જૈન સમાજે કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદન આપવા સમયે સુરત શહેરમાં જૈનોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. જૈન સમાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સુરતની 3 કિલોમીટર સુધીની યોજાયેલી રેલીમાં 10 હજારથી વધુ અનુયાયીઓ જોડાયા હતા. 


જૈન સુરક્ષા મામલે પોલીસ ખડકાઈ

ભાવનગરના પાલીતાણા શહેરના શેત્રુંજય પર્વત પર અસામાજિક  તત્વોએ થોડા દિવસો પહેલા તોડફોડ કરી હતી. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં જૈન સમાજે વિરોધ નોંધાવ્યા હતા. ત્યારે શેત્રુંજય પર્વત પર કાયદો અને સુરક્ષા જાળવી રાખવા માટે પોલીસ ચોકી ઉભી કરી દેવાઈ છે. આ પોલીસ ચોકીમાં 1 પોલીસ સબ ઈન્સપેક્ટર, 1 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર અને 10 પોલીસ કર્મચારીનો કાફલો ઉભો કરી દેવાયો છે. શેત્રુંજય પર્વત પર કોઈ ઘર્ષણ વગેરે ના થાય તે વાતને ધ્યાનમાં રાખીને પોલીસને ઉભી કરી દેવાઈ છે. 

"સમ્મેત શીખર અમારી આસ્થા અને લાગણીનું પ્રતિક"

જૈન સમાજ માગણી કરી રહ્યો છે કે સરકારે શેત્રુંજય અને સમ્મેત શીખરને તીર્થસ્થળ તરીકે જાહેર કરે. સરકારે સમ્મેત શીખરને તીર્થસ્થળની જગ્યાએ પર્યટન સ્થળ જાહેર કર્યું છે. તેથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે કે સમ્મેત શીખરને પર્યટન સ્થળ નહીં તીર્થસ્થળ જાહેર કરો. જૈન સમાજની માગણી છે કે સમ્મેત શીખર તેમની લાગણી અને આસ્થાનું પ્રતિક છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.