જૈન આક્રોશના પડઘા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પડ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 15:30:43

જૈનોની આસ્થાના શહેર પાલિતાણામાં આદિનાથના પગલાને નુકસાન પહોંચતા અને સરકારે ઝારખંડમાં સ્થિત સમ્મેત શીખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે સુરત શહેરમાં આક્રોશની મહારેલી થઈ હતી. સુરત શહેરમાં જૈન સમાજે કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદન આપવા સમયે સુરત શહેરમાં જૈનોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. જૈન સમાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સુરતની 3 કિલોમીટર સુધીની યોજાયેલી રેલીમાં 10 હજારથી વધુ અનુયાયીઓ જોડાયા હતા. 


જૈન સુરક્ષા મામલે પોલીસ ખડકાઈ

ભાવનગરના પાલીતાણા શહેરના શેત્રુંજય પર્વત પર અસામાજિક  તત્વોએ થોડા દિવસો પહેલા તોડફોડ કરી હતી. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં જૈન સમાજે વિરોધ નોંધાવ્યા હતા. ત્યારે શેત્રુંજય પર્વત પર કાયદો અને સુરક્ષા જાળવી રાખવા માટે પોલીસ ચોકી ઉભી કરી દેવાઈ છે. આ પોલીસ ચોકીમાં 1 પોલીસ સબ ઈન્સપેક્ટર, 1 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર અને 10 પોલીસ કર્મચારીનો કાફલો ઉભો કરી દેવાયો છે. શેત્રુંજય પર્વત પર કોઈ ઘર્ષણ વગેરે ના થાય તે વાતને ધ્યાનમાં રાખીને પોલીસને ઉભી કરી દેવાઈ છે. 

"સમ્મેત શીખર અમારી આસ્થા અને લાગણીનું પ્રતિક"

જૈન સમાજ માગણી કરી રહ્યો છે કે સરકારે શેત્રુંજય અને સમ્મેત શીખરને તીર્થસ્થળ તરીકે જાહેર કરે. સરકારે સમ્મેત શીખરને તીર્થસ્થળની જગ્યાએ પર્યટન સ્થળ જાહેર કર્યું છે. તેથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે કે સમ્મેત શીખરને પર્યટન સ્થળ નહીં તીર્થસ્થળ જાહેર કરો. જૈન સમાજની માગણી છે કે સમ્મેત શીખર તેમની લાગણી અને આસ્થાનું પ્રતિક છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.