જૈન આક્રોશના પડઘા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પડ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 15:30:43

જૈનોની આસ્થાના શહેર પાલિતાણામાં આદિનાથના પગલાને નુકસાન પહોંચતા અને સરકારે ઝારખંડમાં સ્થિત સમ્મેત શીખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે સુરત શહેરમાં આક્રોશની મહારેલી થઈ હતી. સુરત શહેરમાં જૈન સમાજે કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદન આપવા સમયે સુરત શહેરમાં જૈનોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. જૈન સમાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સુરતની 3 કિલોમીટર સુધીની યોજાયેલી રેલીમાં 10 હજારથી વધુ અનુયાયીઓ જોડાયા હતા. 


જૈન સુરક્ષા મામલે પોલીસ ખડકાઈ

ભાવનગરના પાલીતાણા શહેરના શેત્રુંજય પર્વત પર અસામાજિક  તત્વોએ થોડા દિવસો પહેલા તોડફોડ કરી હતી. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં જૈન સમાજે વિરોધ નોંધાવ્યા હતા. ત્યારે શેત્રુંજય પર્વત પર કાયદો અને સુરક્ષા જાળવી રાખવા માટે પોલીસ ચોકી ઉભી કરી દેવાઈ છે. આ પોલીસ ચોકીમાં 1 પોલીસ સબ ઈન્સપેક્ટર, 1 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર અને 10 પોલીસ કર્મચારીનો કાફલો ઉભો કરી દેવાયો છે. શેત્રુંજય પર્વત પર કોઈ ઘર્ષણ વગેરે ના થાય તે વાતને ધ્યાનમાં રાખીને પોલીસને ઉભી કરી દેવાઈ છે. 

"સમ્મેત શીખર અમારી આસ્થા અને લાગણીનું પ્રતિક"

જૈન સમાજ માગણી કરી રહ્યો છે કે સરકારે શેત્રુંજય અને સમ્મેત શીખરને તીર્થસ્થળ તરીકે જાહેર કરે. સરકારે સમ્મેત શીખરને તીર્થસ્થળની જગ્યાએ પર્યટન સ્થળ જાહેર કર્યું છે. તેથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે કે સમ્મેત શીખરને પર્યટન સ્થળ નહીં તીર્થસ્થળ જાહેર કરો. જૈન સમાજની માગણી છે કે સમ્મેત શીખર તેમની લાગણી અને આસ્થાનું પ્રતિક છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.