અરિહા શાહને જર્મનથી સ્વદેશ લાવવા જૈન સંત નમ્રમુનિ મહારાજે PM મોદીને હાથ જોડીને કરી અપીલ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-09-18 19:28:11

ભારતીય મૂળની જૈન બાળકી અરિહા શાહને જર્મન સરકાર ફોસ્ટર કૅરમાંથી મુક્ત કરીને તેનાં માતા-પિતાને વહેલી તકે સોંપી દે એ માગણીએ જૈન સમાજમાં જોર પકડ્યું છે. આ મુદ્દે જૈન સમુદાયના જાણીતા સંત નમ્રમુનિ મહારાજે આજે  પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. પર્યુષણ પર્વના ચોથા દિવસે 15મી સપ્ટેમ્બર અને મહાવીર જન્મ કલ્યાણકના પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ જૈનોના પવિત્ર તીર્થધામની ભૂમિ ગિરનાર પર વિશાળ જનમેદનીને સંબોધતા હતા. ત્યારે તેમણે હાથ જોડીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મનીમાં ફસાયેલી અરિહાને ભારત લાવવા માટે હાથ જોડીને અપીલ કરી હતી, આ સાથે જ તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ અપીલ કરી હતી. 



 

નમ્રમુનિ મહારાજે શું કહ્યું?  


નમ્રમુનિ મહારાજે કહ્યું હતું કે ભારતના યશસ્વી વડાપ્રધાનનો સમગ્ર વિશ્વમાં એટલો પ્રભાવ છે કે તેઓ કોઈપણ દેશના વડાપ્રધાનને ભારતમાં આમંત્રિત કરી શકે છે. વડા પ્રધાનના એક નાનકડા પ્રયાસથી, ભારતીય બાળકી તેની માતાને મળી શકે છે, તેથી તેમણે જલદી યોગ્ય પગલાં લેવા જોઈએ, આ મારી અને સમગ્ર જૈન સમાજની અપીલ છે. નમ્રમુનિ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે એ બાળકીનો કોઈ વાંક નથી અને હવે તો જર્મન કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે ભાવેશ અને ધારા શાહનો કોઈ જ વાંક નથી છતાં જર્મનની ચાઇલ્ડ વેલ્ફેરે હજુ સુધી નાનકડી અરિહાને તેમનાં માતા-પિતાને સોંપી નથી. ત્યારે હું અને અહીં બધા હાજર લોકોએ ભારતના વડાપ્રધાન મોદીજીને અપીલ કરીએ છીએ કે અરિહા ફરી ભારત આવે અને તેને તેનાં માતા-પિતા મળી જાય એવી અપીલ છે અને અમને વિશ્વાસ છે કે તેઓ આ બાબતે યોગ્ય પગલાં લેશે. આ સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચાઇલ્ડ વેલ્ફેરના નામે તેઓ દર વર્ષે હજારો બાળકોને ઉઠાવી રહ્યા છે, આ પાછળ કોઈ સિક્રેટ એજન્ડા હોઈ શકે છે.


સાંસદોએ સરકારને કરી હતી રજુઆત


જર્મનીના અરિહા ચાઈલ્ડ કેર યુનિટમાં રાખવામાં આવી તે મુદ્દે ઘણાં મહિલા સંસદ સભ્યોએ તેમના હસ્તક્ષેપની વિનંતી કરીને વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા હતા. કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય રજની પાટીલ, NCPના નેતાઓ સુપ્રિયા સુલે અને વંદના ચવ્હાણ, સમાજવાદી પાર્ટીનાં સભ્ય જયા બચ્ચન અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ ધારા શાહ વતી જયશંકરને કેન્દ્રીય મંત્રીને મળ્યાં હતાં અને સરકારના હસ્તક્ષેપની માગ કરી હતી.


સરકાર કરી રહી છે પ્રયાસ


બેબી અરિહાને ભારત લાવવા મુદ્દે કેન્દ્ર સરકાર પણ પ્રયત્નો કરી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે 'અમે આ કેસને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમે જર્મન રાજદૂતને આ અંગે બોલાવ્યા છે. અમે જર્મન સત્તાવાળાઓને વહેલી તકે બાળકને પરત લાવવા કહ્યું છે. અમે જર્મન સત્તાધીશોના સંપર્કમાં છીએ.' ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેરબોક ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જયશંકરે તેમના જર્મન સમકક્ષ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો.


જર્મન સરકારે માતા-પિતા પર કર્યો છે કેસ


જર્મન સરકારે ભાવેશ અને ધારાની સામે ક્રિમિનલ કેસ કરીને તેમની ધરપકડ કરવા માટે પૂરા પ્રયાસો કર્યા હતા, પરંતુ એક પાકિસ્તાનના ઉર્દૂ ભાષાંતરકારને વચ્ચે રાખીને ભાવેશ અને ધારા તેમનો કેસ લડ્યાં હતાં જેમાં સત્યની જીત થઈ હતી અને પુરાવાના અભાવે તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યાં હતાં. માર્ચ 2022માં ભાવેશ અને ધારા સામે નોંધવામાં આવેલો કેસ જર્મન સરકાર તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે ભાવેશ અને ધારા સામે ત્યાં સિવિલ કેસ આજે પણ ચાલી રહ્યો છે.


શું છે સમગ્ર ઘટના?


મુંબઈના ભાઈંદરમાં રહેતાં ભાવેશ શાહ અને ધારા શાહ 2019માં નોકરી કરવા માટે જર્મનીના બર્લિન શહેરમાં શિફ્ટ થયાં હતાં. ત્યાં ફેબ્રુઆરી 2021માં અરિહાનો જન્મ થયો હતો. સપ્ટેમ્બર 2021માં અરિહાને પ્રથમ વાર ભારતથી જર્મન જોવા ગયેલાં તેનાં નાની અરિહાનું ડાયપર ચેન્જ કરી રહ્યાં હતાં ત્યારે તેમનાથી અજાણતાં જ અરિહાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા થઈ હતી. અરિહાને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરે તેની સારવાર કરીને ડિસ્ચાર્જ આપી દીધો હતો. થોડા દિવસ પછી અરિહાને ફરીથી ડૉક્ટરને બતાવવા ભાવેશ અને ધારા હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમને જબરદસ્ત ચોંકાવનારો અનુભવ થયો હતો. જર્મનીના ડૉક્ટરોએ અરિહાને થયેલી ઈજાને જાતીય શોષણનું સ્વરૂપ આપી તેનાં માતા-પિતા પર જાતીય શોષણના આક્ષેપો કરીને આ બાબતની ફરિયાદ જર્મન ચાઇલ્ડ સર્વિસને કરી દીધી હતી. એને પરિણામે જર્મન ચાઇલ્ડ સર્વિસે હૉસ્પિટલમાંથી ભાવેશ અને ધારાને ધ્રુસકે-ધ્રુસકે રડતાં મૂકીને અને તેમની કોઈ પણ દલીલોને માન્ય રાખ્યા વગર તેમના પર ક્રિમિનલ કેસ કરીને અરિહાને તેમની પાસેથી આંચકી લીધી હતી અને અરિહાને પોતાના કબજામાં લઈ લીધી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી