નમસ્કાર ગુજરાત... અમે હાજર છીએ, ગુજરાતી મીડિયાના આકાશમાં અમારુ અને તમારુ અસ્તિત્વ એકસાથે વિકસાવવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:04:34

ગુજરાતની જન-ચેતના માટે
ગુજરાતની અસ્મીતા માટે
કર્તવ્યો માટે સભાનતા સાથે
અધિકાર માટે બુલંદી સાથે
ગુજરાતીઓ હવે જોશે એમની ભાષામાં સમાચાર
જ્યાં નથી કોઈ નિયમ, નથી કોઈ મર્યાદા, માત્રને માત્ર મોજ-મોજ-મોજ
ગુજરાતમાં હવે થશે જમાવટ...!


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY DEVANSHI JOSHI

Jamawat Media ગુજરાતનું પહેલું ડિજીટલ માધ્યમ જે તમારી ભાષામાં તમને જરૂરી સમાચાર આપે છે, માત્ર સમાચાર નહીં પણ ગુજરાતને જરૂરી વિચાર અને અભિપ્રાયો પણ હોય છે, ક્યારેક સત્તા સુઈ જાય તો એને ઢંઢોળે છે, ક્યારેક વિપક્ષની આળસને પડકારે છે, તમારા પ્રશ્નો ના સંભળાય ત્યાં પોતે વિપક્ષ બની જાય છે, અને જનતા રાજનીતિક ચશ્મા પહેરીને દંભી બનતી જાય તો તમારી અંદરના નાગરીકને પણ ઢંઢોળે છે, જમાવટ તમને મોજ આપશે, સંતોષ આપશે, મજા કરાવશે પણ તમારી અંદર દેશ માટેના કર્તવ્ય અને નાગરીકના અધિકારોની ચેતના જીવંત રાખશે

જમાવટ જ કેમ?

જમાવટ આપણી ભાષા, આપણી બોલચાલનો ખુબ સામાન્ય શબ્દ છે, આપણે કોમન વાતચીતમાં જ્યારે મોજ પડી જાય ત્યારે કહીએ છીએ જમાવટ થઈ ગઈ, પણ સામાન્ય માણસના જીવનમાં જમાવટ લાવવા માટે જરૂર પડે છે એને અધિકારોની, રાજનીતિક સજાગતાની અને કર્તવ્યો નિભાવવાની જવાબદારીની, જ્યારે આપણે જાતિ-ધર્મથી ઉપર ઉઠીને દેશનો વિચાર કરીએ છીએ અને આગળ જતા વિશ્વનો વિચાર કરીને વૈશ્વિક માનવી બનીએ છીએ ત્યારે થઈ જાય છે જમાવટ, જ્યારે આપણે સત્તાને સવાલ કરતા થઈએ છીએ અને પ્રશ્નોને પડકાર ફેંકીએ છીએ ત્યારે થઈ જાય છે જમાવટ, અને એટલે મોજમાં રહેવા, જલસા કરવા, જમાવટ કરવા જરૂરી દરેક વાતો તમને અહીંયા જોવા મળશે, એટલે જ અમે કહીએ છીએ ગુજરાતમાં હવે થશે જમાવટ.


 

અહીં તમને શું જોવા મળશે?

ગુજરાત અને દેશની રાજનીતિ, સમાજ જીવન, સાંપ્રત ઘટનાઓના સમાચાર અને સમાચાર પર અમારા વિચાર, તમારા જીવનને અસર કરતા દરેક પાસા પર વાત, ઈન્ટરવ્યુઝ, વિશ્લેષલ સાથેની વાતો અને બાકી તમે મોજમાં રહો એના માટે જે થઈ શકે એ બધું જ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.