નમસ્કાર ગુજરાત... અમે હાજર છીએ, ગુજરાતી મીડિયાના આકાશમાં અમારુ અને તમારુ અસ્તિત્વ એકસાથે વિકસાવવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:04:34

ગુજરાતની જન-ચેતના માટે
ગુજરાતની અસ્મીતા માટે
કર્તવ્યો માટે સભાનતા સાથે
અધિકાર માટે બુલંદી સાથે
ગુજરાતીઓ હવે જોશે એમની ભાષામાં સમાચાર
જ્યાં નથી કોઈ નિયમ, નથી કોઈ મર્યાદા, માત્રને માત્ર મોજ-મોજ-મોજ
ગુજરાતમાં હવે થશે જમાવટ...!


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY DEVANSHI JOSHI

Jamawat Media ગુજરાતનું પહેલું ડિજીટલ માધ્યમ જે તમારી ભાષામાં તમને જરૂરી સમાચાર આપે છે, માત્ર સમાચાર નહીં પણ ગુજરાતને જરૂરી વિચાર અને અભિપ્રાયો પણ હોય છે, ક્યારેક સત્તા સુઈ જાય તો એને ઢંઢોળે છે, ક્યારેક વિપક્ષની આળસને પડકારે છે, તમારા પ્રશ્નો ના સંભળાય ત્યાં પોતે વિપક્ષ બની જાય છે, અને જનતા રાજનીતિક ચશ્મા પહેરીને દંભી બનતી જાય તો તમારી અંદરના નાગરીકને પણ ઢંઢોળે છે, જમાવટ તમને મોજ આપશે, સંતોષ આપશે, મજા કરાવશે પણ તમારી અંદર દેશ માટેના કર્તવ્ય અને નાગરીકના અધિકારોની ચેતના જીવંત રાખશે

જમાવટ જ કેમ?

જમાવટ આપણી ભાષા, આપણી બોલચાલનો ખુબ સામાન્ય શબ્દ છે, આપણે કોમન વાતચીતમાં જ્યારે મોજ પડી જાય ત્યારે કહીએ છીએ જમાવટ થઈ ગઈ, પણ સામાન્ય માણસના જીવનમાં જમાવટ લાવવા માટે જરૂર પડે છે એને અધિકારોની, રાજનીતિક સજાગતાની અને કર્તવ્યો નિભાવવાની જવાબદારીની, જ્યારે આપણે જાતિ-ધર્મથી ઉપર ઉઠીને દેશનો વિચાર કરીએ છીએ અને આગળ જતા વિશ્વનો વિચાર કરીને વૈશ્વિક માનવી બનીએ છીએ ત્યારે થઈ જાય છે જમાવટ, જ્યારે આપણે સત્તાને સવાલ કરતા થઈએ છીએ અને પ્રશ્નોને પડકાર ફેંકીએ છીએ ત્યારે થઈ જાય છે જમાવટ, અને એટલે મોજમાં રહેવા, જલસા કરવા, જમાવટ કરવા જરૂરી દરેક વાતો તમને અહીંયા જોવા મળશે, એટલે જ અમે કહીએ છીએ ગુજરાતમાં હવે થશે જમાવટ.


 

અહીં તમને શું જોવા મળશે?

ગુજરાત અને દેશની રાજનીતિ, સમાજ જીવન, સાંપ્રત ઘટનાઓના સમાચાર અને સમાચાર પર અમારા વિચાર, તમારા જીવનને અસર કરતા દરેક પાસા પર વાત, ઈન્ટરવ્યુઝ, વિશ્લેષલ સાથેની વાતો અને બાકી તમે મોજમાં રહો એના માટે જે થઈ શકે એ બધું જ.



ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."