Jamawat Election Yatra : Mehsanaના મતદાતાઓનો જાણો મિજાજ, વહેલી સવારે કામની શોધમાં નીકળેલા શ્રમિકો આ ચૂંટણીને લઈ શું વિચારે છે?


  • Published By :
  • Published Date : 2024-04-27 15:03:41

ગુજરાતમાં મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સામાન્ય માણસને કયા મુદ્દાઓ અસર કરે છે, કયા વિષયો પર વિચારીને મતદાતા મતદાન કરે છે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ વિધાસનભા બેઠકો પર જઈ રહી છે... ત્યારે જમાવટની ટીમ મહેસાણા પહોંચી હતી.. જે જગ્યા પર જમાવટની ટીમ પહોંચી હતી ત્યાં અનેક શ્રમિકો હતા તે ચૂંટણીને લઈ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી.. 

જ્યારે શ્રમિકોને પૂછવામાં આવ્યું ચૂંટણી વિશે... 

બહારના રાજ્યોથી અનેક લોકો કમાવવા માટે ગુજરાત આવતા હોય છે... રોજ કમાઈ રોજ ખાનારા લોકો આપણને મળે છે... વહેલી સવારે જ્યારે કોઈ ચોકડી પર ઉભા રહીએ ત્યારે અનેક શ્રમિક લોકો આપણને દેખાતા હોય છે... જ્યારે શ્રમિકોને અને ત્યાં રહેતા લોકોને પૂછવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીને લઈ તેઓ શું માને છે? જવાબમાં તેમણે મોદી સાહેબને વિનંતી કરી કે રોજગારી ઉભી કરવામાં આવે.... વિકાસને લઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના વિસ્તારમાં વિકાસ થયો છે...



શું કહ્યું રિક્ષા ચલાવતા કાકાએ?

અનેક મતદાતાઓએ પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો છે.. ગરીબો માટે મોદી સરકારે કામ કર્યું છે તેવું મતદાતાઓનું કહેવું હતું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાથી ત્યાંના મતદાતાઓ ખુશ લાગતા હતા.. મહેસાણા બેઠક પર એક તરફ હરિભાઈ પટેલને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રામજી ઠાકોરને ઉમેદવાર બનાવામાં આવ્યા છે... કોઈએ કહ્યું કે મહેસાણામાં કોંગ્રેસનું વર્ચસ્વ જ નથી... જ્યારે રીક્ષા ચલાવતા કાકાને મિજાજ કેવો છે તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મિજાજ તો ભાજપનો જ છે... 


આ બેનને પીએમ મોદી એટલા માટે ગમે છે કારણ કે...

એક મહિલા મતાદારને તેમની અપેક્ષા શું છે સરકાર પાસેથી તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મોદી સરકારની યોજનાથી તેમને કઈ કઈ વસ્તુઓ મળી... તેમને ઘર મળ્યું છે આવાસ યોજનાને કારણે.. તેમણે કહ્યું કે તેમને મોદીએ ઘર આપ્યું એટલે તે મોદીને વોટ આપશે...મોદી કેમ ગમે જ્યારે આવું પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં તેમણે કહ્યું કે અમે રસ્તામાં રખડતા હતા અને મોદીએ અમને ઘર આપ્યું તો મોદી જ ગમેને... 


કોંગ્રેસ માટે મતદાતાઓએ કહ્યું કે.... 

જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું કે શું વિચારે છે ચૂંટણીને લઈ ત્યારે તેમણે કહ્યું કે મોંઘવારી નથી વધતી રૂપિયો વધે છે... તેમણે કહ્યું કે જેમ મોંઘવારી વધે તેમ આવક વધે.. એટલે લોકોના મગજમાં એ છે કે મોંઘવારી વધી રહી છે... મોંઘવારી અને પૈસાને લઈ કાકાએ અનેક વાતો કરી.. જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસની સરકાર સારી હતી કે ભાજપની સરકાર સારી હતી ત્યારે લોકોએ કહ્યું કે કોંગ્રેસની યોજનાઓ સારી હતી... મજૂરી મળતી નથી, મોંઘવારી વધી છે... રોજગારી મળતી નથી... જો તમે પણ મહેસાણા હોવ તો અમને જણાવજો તમારા વિચારો....   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"