Jamawat Election Yatra : Mehsanaના મતદાતાઓનો જાણો મિજાજ, વહેલી સવારે કામની શોધમાં નીકળેલા શ્રમિકો આ ચૂંટણીને લઈ શું વિચારે છે?


  • Published By :
  • Published Date : 2024-04-27 15:03:41

ગુજરાતમાં મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સામાન્ય માણસને કયા મુદ્દાઓ અસર કરે છે, કયા વિષયો પર વિચારીને મતદાતા મતદાન કરે છે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ વિધાસનભા બેઠકો પર જઈ રહી છે... ત્યારે જમાવટની ટીમ મહેસાણા પહોંચી હતી.. જે જગ્યા પર જમાવટની ટીમ પહોંચી હતી ત્યાં અનેક શ્રમિકો હતા તે ચૂંટણીને લઈ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી.. 

જ્યારે શ્રમિકોને પૂછવામાં આવ્યું ચૂંટણી વિશે... 

બહારના રાજ્યોથી અનેક લોકો કમાવવા માટે ગુજરાત આવતા હોય છે... રોજ કમાઈ રોજ ખાનારા લોકો આપણને મળે છે... વહેલી સવારે જ્યારે કોઈ ચોકડી પર ઉભા રહીએ ત્યારે અનેક શ્રમિક લોકો આપણને દેખાતા હોય છે... જ્યારે શ્રમિકોને અને ત્યાં રહેતા લોકોને પૂછવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીને લઈ તેઓ શું માને છે? જવાબમાં તેમણે મોદી સાહેબને વિનંતી કરી કે રોજગારી ઉભી કરવામાં આવે.... વિકાસને લઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના વિસ્તારમાં વિકાસ થયો છે...



શું કહ્યું રિક્ષા ચલાવતા કાકાએ?

અનેક મતદાતાઓએ પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો છે.. ગરીબો માટે મોદી સરકારે કામ કર્યું છે તેવું મતદાતાઓનું કહેવું હતું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાથી ત્યાંના મતદાતાઓ ખુશ લાગતા હતા.. મહેસાણા બેઠક પર એક તરફ હરિભાઈ પટેલને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રામજી ઠાકોરને ઉમેદવાર બનાવામાં આવ્યા છે... કોઈએ કહ્યું કે મહેસાણામાં કોંગ્રેસનું વર્ચસ્વ જ નથી... જ્યારે રીક્ષા ચલાવતા કાકાને મિજાજ કેવો છે તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મિજાજ તો ભાજપનો જ છે... 


આ બેનને પીએમ મોદી એટલા માટે ગમે છે કારણ કે...

એક મહિલા મતાદારને તેમની અપેક્ષા શું છે સરકાર પાસેથી તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મોદી સરકારની યોજનાથી તેમને કઈ કઈ વસ્તુઓ મળી... તેમને ઘર મળ્યું છે આવાસ યોજનાને કારણે.. તેમણે કહ્યું કે તેમને મોદીએ ઘર આપ્યું એટલે તે મોદીને વોટ આપશે...મોદી કેમ ગમે જ્યારે આવું પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં તેમણે કહ્યું કે અમે રસ્તામાં રખડતા હતા અને મોદીએ અમને ઘર આપ્યું તો મોદી જ ગમેને... 


કોંગ્રેસ માટે મતદાતાઓએ કહ્યું કે.... 

જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું કે શું વિચારે છે ચૂંટણીને લઈ ત્યારે તેમણે કહ્યું કે મોંઘવારી નથી વધતી રૂપિયો વધે છે... તેમણે કહ્યું કે જેમ મોંઘવારી વધે તેમ આવક વધે.. એટલે લોકોના મગજમાં એ છે કે મોંઘવારી વધી રહી છે... મોંઘવારી અને પૈસાને લઈ કાકાએ અનેક વાતો કરી.. જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસની સરકાર સારી હતી કે ભાજપની સરકાર સારી હતી ત્યારે લોકોએ કહ્યું કે કોંગ્રેસની યોજનાઓ સારી હતી... મજૂરી મળતી નથી, મોંઘવારી વધી છે... રોજગારી મળતી નથી... જો તમે પણ મહેસાણા હોવ તો અમને જણાવજો તમારા વિચારો....   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે