Jamawat Election Yatra : Mehsanaના મતદાતાઓનો જાણો મિજાજ, વહેલી સવારે કામની શોધમાં નીકળેલા શ્રમિકો આ ચૂંટણીને લઈ શું વિચારે છે?


  • Published By :
  • Published Date : 2024-04-27 15:03:41

ગુજરાતમાં મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સામાન્ય માણસને કયા મુદ્દાઓ અસર કરે છે, કયા વિષયો પર વિચારીને મતદાતા મતદાન કરે છે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ વિધાસનભા બેઠકો પર જઈ રહી છે... ત્યારે જમાવટની ટીમ મહેસાણા પહોંચી હતી.. જે જગ્યા પર જમાવટની ટીમ પહોંચી હતી ત્યાં અનેક શ્રમિકો હતા તે ચૂંટણીને લઈ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી.. 

જ્યારે શ્રમિકોને પૂછવામાં આવ્યું ચૂંટણી વિશે... 

બહારના રાજ્યોથી અનેક લોકો કમાવવા માટે ગુજરાત આવતા હોય છે... રોજ કમાઈ રોજ ખાનારા લોકો આપણને મળે છે... વહેલી સવારે જ્યારે કોઈ ચોકડી પર ઉભા રહીએ ત્યારે અનેક શ્રમિક લોકો આપણને દેખાતા હોય છે... જ્યારે શ્રમિકોને અને ત્યાં રહેતા લોકોને પૂછવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીને લઈ તેઓ શું માને છે? જવાબમાં તેમણે મોદી સાહેબને વિનંતી કરી કે રોજગારી ઉભી કરવામાં આવે.... વિકાસને લઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના વિસ્તારમાં વિકાસ થયો છે...



શું કહ્યું રિક્ષા ચલાવતા કાકાએ?

અનેક મતદાતાઓએ પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો છે.. ગરીબો માટે મોદી સરકારે કામ કર્યું છે તેવું મતદાતાઓનું કહેવું હતું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાથી ત્યાંના મતદાતાઓ ખુશ લાગતા હતા.. મહેસાણા બેઠક પર એક તરફ હરિભાઈ પટેલને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રામજી ઠાકોરને ઉમેદવાર બનાવામાં આવ્યા છે... કોઈએ કહ્યું કે મહેસાણામાં કોંગ્રેસનું વર્ચસ્વ જ નથી... જ્યારે રીક્ષા ચલાવતા કાકાને મિજાજ કેવો છે તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મિજાજ તો ભાજપનો જ છે... 


આ બેનને પીએમ મોદી એટલા માટે ગમે છે કારણ કે...

એક મહિલા મતાદારને તેમની અપેક્ષા શું છે સરકાર પાસેથી તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મોદી સરકારની યોજનાથી તેમને કઈ કઈ વસ્તુઓ મળી... તેમને ઘર મળ્યું છે આવાસ યોજનાને કારણે.. તેમણે કહ્યું કે તેમને મોદીએ ઘર આપ્યું એટલે તે મોદીને વોટ આપશે...મોદી કેમ ગમે જ્યારે આવું પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં તેમણે કહ્યું કે અમે રસ્તામાં રખડતા હતા અને મોદીએ અમને ઘર આપ્યું તો મોદી જ ગમેને... 


કોંગ્રેસ માટે મતદાતાઓએ કહ્યું કે.... 

જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું કે શું વિચારે છે ચૂંટણીને લઈ ત્યારે તેમણે કહ્યું કે મોંઘવારી નથી વધતી રૂપિયો વધે છે... તેમણે કહ્યું કે જેમ મોંઘવારી વધે તેમ આવક વધે.. એટલે લોકોના મગજમાં એ છે કે મોંઘવારી વધી રહી છે... મોંઘવારી અને પૈસાને લઈ કાકાએ અનેક વાતો કરી.. જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસની સરકાર સારી હતી કે ભાજપની સરકાર સારી હતી ત્યારે લોકોએ કહ્યું કે કોંગ્રેસની યોજનાઓ સારી હતી... મજૂરી મળતી નથી, મોંઘવારી વધી છે... રોજગારી મળતી નથી... જો તમે પણ મહેસાણા હોવ તો અમને જણાવજો તમારા વિચારો....   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.