Jamawat Election Yatra : જાણો Porbandar Loksabhaના મતદાતાઓનો કેવો છે મિજાજ? ચૂંટણી અને મતદાનને લઈ શું વિચારે લોકો?


  • Published By :
  • Published Date : 2024-05-01 18:07:55

ગુજરાતમાં લોકસભા બેઠક માટે તો મતદાન થવાનું છે પરંતુ તેની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે.. મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોની મુલાકાત લઈ રહી છે અને ત્યાંના મતદાતાઓ શું વિચારે છે ચૂંટણીને લઈ તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે જમાવટ યાત્રા પહોંચી હતી પોરબંદર.. 

ચાની લારી પર બેઠેલા લોકો સાથે કરી વાત 

જો એવું કહીએ કે ચાની લારી પર બેસી દુનિયાદારીની સમજ જેટલી પડે છે તેટલી સમજ આપણને ક્યાંય બીજેથી નથી મળતી...! ચાની લારી પર બેઠેલા લોકો અનેક મુદ્દાઓ પર વાત કરતા હોય છે.. દેશની, દુનિયાની, રાજનીતિની, શેર માર્કેટની વાતો ચાની લારી પર બેઠેલા લોકો કરતા હોય છે... ત્યારે પોરબંદર પહોંચેલી જમાવટની ટીમ ચાની કિટલી પર ભેગા થયેલા લોકોને મળી હતી અને મિજાજ જાણવાની કોશિશ કરી હતી.. જ્યારે  કયો પક્ષ જીતશે તે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જ જીતશે.. સારા કામો કર્યા છે.. પોરબંદર વિધાનસભામાં ભાજપ જીતશે..  


પોરબંદરમાં થવાની છે પેટા ચૂંટણી 

પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે ડો. મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત લલિત વસોયાને ઉમેદવાર બનાવાયા છે.. ઉમેદવારને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જીતશે.. ચા બનાવતા કાકાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે  "આપણે તો ઉપર પણ ચા વાળા જ જોઈએ!" ભાજપનો માહોલ ભાજપ તરફી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... અર્જુન મોઢવાડિયાએ પક્ષપલટાથી નારાજ ના દેખાય...


જાણો મતદાતાઓ શું માને છે ઉમેદવારો અને રાજકીય પાર્ટી માટે? 

જ્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે રોડ રસ્તા સારા બન્યા છે, હોસ્પિટલો સારી બની છે.. ઈન્ડિયા ગઠબંધનને લઈ પણ તેમને સવાલ કરવામાં આવ્યો..400 પાર દેશમાં ભાજપને મળશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... બીજા એક મતદારને પૂછવામાં આવ્યું કે તેમને કોની સરકાર જોઈએ છે તો તેમણે ભાજપનું નામ લીધું.. ભાજપ વિકાસના કામો કરે છે.. 



પોરબંદરમાં ઉદ્યોગો બંધ થઈ ગયા - મતદાતા

જ્યારે ધારાસભ્યના પક્ષપલટાને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ જનતા માટે ભાજપમાં ગયા છે... ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર લલિત વસોયાને લઈને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો. પીએમ મોદી તેમને ગમે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઉદ્યોગ બંધ થઈ ગયા પોરબંદરમાં... કારખાના બંધ થઈ ગયા... સરકાર પાસેથી આશા રાખે છે કે ઉદ્યોગો ફરી શરૂ થવા જોઈએ... શિક્ષણ મુદ્દે પણ સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે છોકરાઓને વાંચતા નથી આવડતું.. બાળકો પર લોડ વધી ગયો છે... ત્યારે જોવું રહ્યું કે પોરબંદરની જનતા કોને મત આપી જીતાડે છે... 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.