Jamawat Election Yatra : જાણો Gujaratની ભાવિ પેઢી શું વિચારે છે રોજગારને લઈ? કોઈને બે નંબરનો ધંધો કરવો છે તો કોઈને પોલીસ બનીને...


  • Published By :
  • Published Date : 2024-04-26 15:19:24

જમાવટની ઈલેક્શન યાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાઓ કવર કરવામાં આવે છે... ચૂંટણીને લઈ લોકો શું માને છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુવાનોનો મત જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. રોજગારીને લઈ, દેશને આગામી વર્ષોમાં શું જોઈએ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આજે યુવાનો અને બાળકોની વાત કરવી છે... બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટા થઈને શું બનવું છે તો કોઈએ કહ્યું કે તેમને પોલીસ બનીને બધાને ડંડા મારવા છે તો કોઈએ કહ્યું કે તેમને તેમના પપ્પાની જેમ ગાડી ચલાવી છે.. જ્યારે એક યુવાનને પૂછવામાં આવ્યું રોજગારીને લઈ ત્યારે તેણે જણાવ્યું કે બે નંબરનો ધંધો કરવો છે....   

બે નંબરનો ધંધો કરવાની યુવકે કહી વાત   

દેશના બાળકો, દેશના યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે.. યુવાનો જેટલા આગળ વધશે તેટલો જ દેશ આપણો આગળ વધશે... યુવાનોને જ્યારે રોજગારીને લઈ પૂછવામાં આવ્યું ત્યારે અમને અપેક્ષા હતી કે કંઈ સારો જવાબ મળશે.. પરંતુ તે યુવાને જે વાત કરી, તેનો જવાબ સાંભળી અમે દંગ રહી ગયા.. વાતચીત દરમિયાન તે યુવાને કહ્યું કે તેને બે નંબરનો ધંધો કરવો છે... તેના હિસાબથી ભણવાથી ઉદ્ધાર નથી... રોજગારી મળતી નથી.. બે નંબરનો ધંધો કરે તો પૈસા મળે...! 

બાળકો પોતાની આસપાસ જે જુએ છે તેને અનુસરે છે

જામનગરના વસાઈ ગામમાં જ્યારે જમાવટની ટીમ પહોંચી હતી ત્યારે અનેક નાના બાળકો બેઠા હતા.. એકદમ મસ્તમોલા બાળકો હતા... દેશના ભાવિ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી.. વાતચીત એકદમ મસ્ત કરી છે.. બાળકો માટે આપણે માનીએ છીએ કે બાળકો જોઈને શીખે છે... મોટાઓ જે કરતા હોય તે બાળકો અનુસરે છે.. અહીંયા પણ એ જ જોવા મળ્યું.. બાળકોએ એવા જ જવાબ આપ્યા જે તેમણે જોયું છે. 



ભલે બાળકોએ મજાક મજાકમાં કહ્યું પરંતુ.... 

એક બાળકના પિતા ઈકો ગાડી ચલાવે છે એટલે તેને ઈકો ગાડી ચલાવી છે તો બીજા એક છોકરાએ કહ્યું કે મોટા બની પોલીસ બનવું છે... બાળકે એક વખત જોયું હશે કે પોલીસે જુગારીઓને ડંડા માર્યા તો તેના દિમાગ બેસી ગયું કે મોટા થઈ પોલીસ બનવું અને લોકોને ડંડા મારવા... કોઈએ કહ્યું કે ડોક્ટર બનવાનું અને ખાલી ખુરશી પર બેસી રહેવાનું અને પૈસા કમાવાના... બાળકો માટો થશે ત્યારે અલગ હશે, તેમનું વિઝન અલગ હશે.. બાળકોએ ભલે હસી મજાકમાં આ વાતો કરી પરંતુ બાળકોએ જે જોયુંએ જ કહ્યું.. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે