Jamawat Election Yatra : જાણો Gujaratની ભાવિ પેઢી શું વિચારે છે રોજગારને લઈ? કોઈને બે નંબરનો ધંધો કરવો છે તો કોઈને પોલીસ બનીને...


  • Published By :
  • Published Date : 2024-04-26 15:19:24

જમાવટની ઈલેક્શન યાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાઓ કવર કરવામાં આવે છે... ચૂંટણીને લઈ લોકો શું માને છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુવાનોનો મત જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. રોજગારીને લઈ, દેશને આગામી વર્ષોમાં શું જોઈએ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આજે યુવાનો અને બાળકોની વાત કરવી છે... બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટા થઈને શું બનવું છે તો કોઈએ કહ્યું કે તેમને પોલીસ બનીને બધાને ડંડા મારવા છે તો કોઈએ કહ્યું કે તેમને તેમના પપ્પાની જેમ ગાડી ચલાવી છે.. જ્યારે એક યુવાનને પૂછવામાં આવ્યું રોજગારીને લઈ ત્યારે તેણે જણાવ્યું કે બે નંબરનો ધંધો કરવો છે....   

બે નંબરનો ધંધો કરવાની યુવકે કહી વાત   

દેશના બાળકો, દેશના યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે.. યુવાનો જેટલા આગળ વધશે તેટલો જ દેશ આપણો આગળ વધશે... યુવાનોને જ્યારે રોજગારીને લઈ પૂછવામાં આવ્યું ત્યારે અમને અપેક્ષા હતી કે કંઈ સારો જવાબ મળશે.. પરંતુ તે યુવાને જે વાત કરી, તેનો જવાબ સાંભળી અમે દંગ રહી ગયા.. વાતચીત દરમિયાન તે યુવાને કહ્યું કે તેને બે નંબરનો ધંધો કરવો છે... તેના હિસાબથી ભણવાથી ઉદ્ધાર નથી... રોજગારી મળતી નથી.. બે નંબરનો ધંધો કરે તો પૈસા મળે...! 

બાળકો પોતાની આસપાસ જે જુએ છે તેને અનુસરે છે

જામનગરના વસાઈ ગામમાં જ્યારે જમાવટની ટીમ પહોંચી હતી ત્યારે અનેક નાના બાળકો બેઠા હતા.. એકદમ મસ્તમોલા બાળકો હતા... દેશના ભાવિ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી.. વાતચીત એકદમ મસ્ત કરી છે.. બાળકો માટે આપણે માનીએ છીએ કે બાળકો જોઈને શીખે છે... મોટાઓ જે કરતા હોય તે બાળકો અનુસરે છે.. અહીંયા પણ એ જ જોવા મળ્યું.. બાળકોએ એવા જ જવાબ આપ્યા જે તેમણે જોયું છે. 



ભલે બાળકોએ મજાક મજાકમાં કહ્યું પરંતુ.... 

એક બાળકના પિતા ઈકો ગાડી ચલાવે છે એટલે તેને ઈકો ગાડી ચલાવી છે તો બીજા એક છોકરાએ કહ્યું કે મોટા બની પોલીસ બનવું છે... બાળકે એક વખત જોયું હશે કે પોલીસે જુગારીઓને ડંડા માર્યા તો તેના દિમાગ બેસી ગયું કે મોટા થઈ પોલીસ બનવું અને લોકોને ડંડા મારવા... કોઈએ કહ્યું કે ડોક્ટર બનવાનું અને ખાલી ખુરશી પર બેસી રહેવાનું અને પૈસા કમાવાના... બાળકો માટો થશે ત્યારે અલગ હશે, તેમનું વિઝન અલગ હશે.. બાળકોએ ભલે હસી મજાકમાં આ વાતો કરી પરંતુ બાળકોએ જે જોયુંએ જ કહ્યું.. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"