Jamawat Election Yatra : જાણો Gujaratની ભાવિ પેઢી શું વિચારે છે રોજગારને લઈ? કોઈને બે નંબરનો ધંધો કરવો છે તો કોઈને પોલીસ બનીને...


  • Published By :
  • Published Date : 2024-04-26 15:19:24

જમાવટની ઈલેક્શન યાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાઓ કવર કરવામાં આવે છે... ચૂંટણીને લઈ લોકો શું માને છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુવાનોનો મત જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. રોજગારીને લઈ, દેશને આગામી વર્ષોમાં શું જોઈએ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આજે યુવાનો અને બાળકોની વાત કરવી છે... બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટા થઈને શું બનવું છે તો કોઈએ કહ્યું કે તેમને પોલીસ બનીને બધાને ડંડા મારવા છે તો કોઈએ કહ્યું કે તેમને તેમના પપ્પાની જેમ ગાડી ચલાવી છે.. જ્યારે એક યુવાનને પૂછવામાં આવ્યું રોજગારીને લઈ ત્યારે તેણે જણાવ્યું કે બે નંબરનો ધંધો કરવો છે....   

બે નંબરનો ધંધો કરવાની યુવકે કહી વાત   

દેશના બાળકો, દેશના યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે.. યુવાનો જેટલા આગળ વધશે તેટલો જ દેશ આપણો આગળ વધશે... યુવાનોને જ્યારે રોજગારીને લઈ પૂછવામાં આવ્યું ત્યારે અમને અપેક્ષા હતી કે કંઈ સારો જવાબ મળશે.. પરંતુ તે યુવાને જે વાત કરી, તેનો જવાબ સાંભળી અમે દંગ રહી ગયા.. વાતચીત દરમિયાન તે યુવાને કહ્યું કે તેને બે નંબરનો ધંધો કરવો છે... તેના હિસાબથી ભણવાથી ઉદ્ધાર નથી... રોજગારી મળતી નથી.. બે નંબરનો ધંધો કરે તો પૈસા મળે...! 

બાળકો પોતાની આસપાસ જે જુએ છે તેને અનુસરે છે

જામનગરના વસાઈ ગામમાં જ્યારે જમાવટની ટીમ પહોંચી હતી ત્યારે અનેક નાના બાળકો બેઠા હતા.. એકદમ મસ્તમોલા બાળકો હતા... દેશના ભાવિ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી.. વાતચીત એકદમ મસ્ત કરી છે.. બાળકો માટે આપણે માનીએ છીએ કે બાળકો જોઈને શીખે છે... મોટાઓ જે કરતા હોય તે બાળકો અનુસરે છે.. અહીંયા પણ એ જ જોવા મળ્યું.. બાળકોએ એવા જ જવાબ આપ્યા જે તેમણે જોયું છે. 



ભલે બાળકોએ મજાક મજાકમાં કહ્યું પરંતુ.... 

એક બાળકના પિતા ઈકો ગાડી ચલાવે છે એટલે તેને ઈકો ગાડી ચલાવી છે તો બીજા એક છોકરાએ કહ્યું કે મોટા બની પોલીસ બનવું છે... બાળકે એક વખત જોયું હશે કે પોલીસે જુગારીઓને ડંડા માર્યા તો તેના દિમાગ બેસી ગયું કે મોટા થઈ પોલીસ બનવું અને લોકોને ડંડા મારવા... કોઈએ કહ્યું કે ડોક્ટર બનવાનું અને ખાલી ખુરશી પર બેસી રહેવાનું અને પૈસા કમાવાના... બાળકો માટો થશે ત્યારે અલગ હશે, તેમનું વિઝન અલગ હશે.. બાળકોએ ભલે હસી મજાકમાં આ વાતો કરી પરંતુ બાળકોએ જે જોયુંએ જ કહ્યું.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.