Jamawat Election Yatra : જાણો Gujaratની ભાવિ પેઢી શું વિચારે છે રોજગારને લઈ? કોઈને બે નંબરનો ધંધો કરવો છે તો કોઈને પોલીસ બનીને...


  • Published By :
  • Published Date : 2024-04-26 15:19:24

જમાવટની ઈલેક્શન યાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાઓ કવર કરવામાં આવે છે... ચૂંટણીને લઈ લોકો શું માને છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુવાનોનો મત જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. રોજગારીને લઈ, દેશને આગામી વર્ષોમાં શું જોઈએ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આજે યુવાનો અને બાળકોની વાત કરવી છે... બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટા થઈને શું બનવું છે તો કોઈએ કહ્યું કે તેમને પોલીસ બનીને બધાને ડંડા મારવા છે તો કોઈએ કહ્યું કે તેમને તેમના પપ્પાની જેમ ગાડી ચલાવી છે.. જ્યારે એક યુવાનને પૂછવામાં આવ્યું રોજગારીને લઈ ત્યારે તેણે જણાવ્યું કે બે નંબરનો ધંધો કરવો છે....   

બે નંબરનો ધંધો કરવાની યુવકે કહી વાત   

દેશના બાળકો, દેશના યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે.. યુવાનો જેટલા આગળ વધશે તેટલો જ દેશ આપણો આગળ વધશે... યુવાનોને જ્યારે રોજગારીને લઈ પૂછવામાં આવ્યું ત્યારે અમને અપેક્ષા હતી કે કંઈ સારો જવાબ મળશે.. પરંતુ તે યુવાને જે વાત કરી, તેનો જવાબ સાંભળી અમે દંગ રહી ગયા.. વાતચીત દરમિયાન તે યુવાને કહ્યું કે તેને બે નંબરનો ધંધો કરવો છે... તેના હિસાબથી ભણવાથી ઉદ્ધાર નથી... રોજગારી મળતી નથી.. બે નંબરનો ધંધો કરે તો પૈસા મળે...! 

બાળકો પોતાની આસપાસ જે જુએ છે તેને અનુસરે છે

જામનગરના વસાઈ ગામમાં જ્યારે જમાવટની ટીમ પહોંચી હતી ત્યારે અનેક નાના બાળકો બેઠા હતા.. એકદમ મસ્તમોલા બાળકો હતા... દેશના ભાવિ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી.. વાતચીત એકદમ મસ્ત કરી છે.. બાળકો માટે આપણે માનીએ છીએ કે બાળકો જોઈને શીખે છે... મોટાઓ જે કરતા હોય તે બાળકો અનુસરે છે.. અહીંયા પણ એ જ જોવા મળ્યું.. બાળકોએ એવા જ જવાબ આપ્યા જે તેમણે જોયું છે. 



ભલે બાળકોએ મજાક મજાકમાં કહ્યું પરંતુ.... 

એક બાળકના પિતા ઈકો ગાડી ચલાવે છે એટલે તેને ઈકો ગાડી ચલાવી છે તો બીજા એક છોકરાએ કહ્યું કે મોટા બની પોલીસ બનવું છે... બાળકે એક વખત જોયું હશે કે પોલીસે જુગારીઓને ડંડા માર્યા તો તેના દિમાગ બેસી ગયું કે મોટા થઈ પોલીસ બનવું અને લોકોને ડંડા મારવા... કોઈએ કહ્યું કે ડોક્ટર બનવાનું અને ખાલી ખુરશી પર બેસી રહેવાનું અને પૈસા કમાવાના... બાળકો માટો થશે ત્યારે અલગ હશે, તેમનું વિઝન અલગ હશે.. બાળકોએ ભલે હસી મજાકમાં આ વાતો કરી પરંતુ બાળકોએ જે જોયુંએ જ કહ્યું.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.