Jamawat Election Yatra પહોંચી Banaskantha Loksabha, કોણ છે મતદાતાની પસંદ Rekhaben Chaudhary કે GeniBen Thakor?


  • Published By :
  • Published Date : 2024-04-27 12:37:49

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે તે અનેક વખત કહ્યું છે...  રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ગેનીબેન માટે એવું કહીએ કે તેમણે માહોલ જબરદસ્ત બનાવી દીધો છે બનાસકાંઠામાં તો ખોટા ના પાડીએ... ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા બનાસકાંઠા લોકસભા બેઠક પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓ બંને ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી. આ બેઠક પર કોંગ્રેસના અને ભાજપ બંને પાર્ટીના સમર્થકો મળ્યા હતા.. સમર્થકો એવા હતા કે તે લોકો એકબીજા સાથે બાજી પડ્યા... 

ઉમેદવારોને લઈ શું વિચારે છે મતદાતા? 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે બની રહ્યો છે... ઉમેદવારો એડીચોટીનું જોર પ્રચાર માટે લગાવી રહ્યા છે... બનાસકાંઠા લોકસભા બેઠક એમ પણ ચર્ચામાં રહેતી હોય છે... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે તો ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે.. બનાસકાંઠાના ઉમેદવારોની ચર્ચા તો થતી રહેતી હોય છે ત્યારે મતદાતાઓ ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા બનાસકાંઠા પહોંચી હતી..   


ગેનીબેનના વિસ્તારમાં પહોંચી જમાવટની ઈલેક્શન યાત્રા

લોકસભા ચૂંટણીને લઈ, રાજકીય પાર્ટીઓને લઈ, મુદ્દાઓને લઈ રાજ્યના મતદાતા શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરી રહી છે. લોકોને મળે છે અને મતદાતાના મિજાજને જાણવાની કોશિશ કરી રહી છે. વાવના ઢીમા ગામમાં જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી કે ત્યાંના લોકો ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવા.. જે વિસ્તારમાં જમાવટની ટીમ પહોંચી હતી તે વિસ્તાર હતો ગેનીબેનનો એટલે વાવના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય છે..


કોંગ્રેસ અને ભાજપના સમર્થકો મળ્યા!

મતદાતાઓનો મિજાજ જ્યારે જાણવાની કોશિશ કરી ત્યારે અનેક મતદાતાઓ એવા હતા જે કોંગ્રેસની  તરફેણમાં વાત કરતા હતા તો અનેક મતદાતાઓ એવા હતા જે ભાજપના સમર્થનમાં વાત કરતા હતા.. કોઈએ કહ્યું કે એક બેઠક પર આવી કોંગ્રેસ કોઈ બદલાવ ના લાવી શકે તો કોઈએ કહ્યું કે તે પક્ષને જોઈ વોટ આપે છે.. કોઈએ કહ્યું કે ભાજપ જ જીતશે તો કોઈએ કહ્યું કે કોંગ્રેસ જ જીતશે... અલગ અલગ મત મતાંતર આ બેઠકના મતદાતાઓના જોવા મળ્યા... ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા લોકસભા બેઠકના મતદાતાઓ કોને જીતાડે છે?     



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે