Jamawat Election Yatra પહોંચી Banaskantha Loksabha, કોણ છે મતદાતાની પસંદ Rekhaben Chaudhary કે GeniBen Thakor?


  • Published By :
  • Published Date : 2024-04-27 12:37:49

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે તે અનેક વખત કહ્યું છે...  રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ગેનીબેન માટે એવું કહીએ કે તેમણે માહોલ જબરદસ્ત બનાવી દીધો છે બનાસકાંઠામાં તો ખોટા ના પાડીએ... ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા બનાસકાંઠા લોકસભા બેઠક પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓ બંને ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી. આ બેઠક પર કોંગ્રેસના અને ભાજપ બંને પાર્ટીના સમર્થકો મળ્યા હતા.. સમર્થકો એવા હતા કે તે લોકો એકબીજા સાથે બાજી પડ્યા... 

ઉમેદવારોને લઈ શું વિચારે છે મતદાતા? 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે બની રહ્યો છે... ઉમેદવારો એડીચોટીનું જોર પ્રચાર માટે લગાવી રહ્યા છે... બનાસકાંઠા લોકસભા બેઠક એમ પણ ચર્ચામાં રહેતી હોય છે... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે તો ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે.. બનાસકાંઠાના ઉમેદવારોની ચર્ચા તો થતી રહેતી હોય છે ત્યારે મતદાતાઓ ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા બનાસકાંઠા પહોંચી હતી..   


ગેનીબેનના વિસ્તારમાં પહોંચી જમાવટની ઈલેક્શન યાત્રા

લોકસભા ચૂંટણીને લઈ, રાજકીય પાર્ટીઓને લઈ, મુદ્દાઓને લઈ રાજ્યના મતદાતા શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરી રહી છે. લોકોને મળે છે અને મતદાતાના મિજાજને જાણવાની કોશિશ કરી રહી છે. વાવના ઢીમા ગામમાં જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી કે ત્યાંના લોકો ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવા.. જે વિસ્તારમાં જમાવટની ટીમ પહોંચી હતી તે વિસ્તાર હતો ગેનીબેનનો એટલે વાવના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય છે..


કોંગ્રેસ અને ભાજપના સમર્થકો મળ્યા!

મતદાતાઓનો મિજાજ જ્યારે જાણવાની કોશિશ કરી ત્યારે અનેક મતદાતાઓ એવા હતા જે કોંગ્રેસની  તરફેણમાં વાત કરતા હતા તો અનેક મતદાતાઓ એવા હતા જે ભાજપના સમર્થનમાં વાત કરતા હતા.. કોઈએ કહ્યું કે એક બેઠક પર આવી કોંગ્રેસ કોઈ બદલાવ ના લાવી શકે તો કોઈએ કહ્યું કે તે પક્ષને જોઈ વોટ આપે છે.. કોઈએ કહ્યું કે ભાજપ જ જીતશે તો કોઈએ કહ્યું કે કોંગ્રેસ જ જીતશે... અલગ અલગ મત મતાંતર આ બેઠકના મતદાતાઓના જોવા મળ્યા... ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા લોકસભા બેઠકના મતદાતાઓ કોને જીતાડે છે?     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.