Jamawat Election Yatra પહોંચી Banaskantha Loksabha, કોણ છે મતદાતાની પસંદ Rekhaben Chaudhary કે GeniBen Thakor?


  • Published By :
  • Published Date : 2024-04-27 12:37:49

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે તે અનેક વખત કહ્યું છે...  રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ગેનીબેન માટે એવું કહીએ કે તેમણે માહોલ જબરદસ્ત બનાવી દીધો છે બનાસકાંઠામાં તો ખોટા ના પાડીએ... ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા બનાસકાંઠા લોકસભા બેઠક પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓ બંને ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી. આ બેઠક પર કોંગ્રેસના અને ભાજપ બંને પાર્ટીના સમર્થકો મળ્યા હતા.. સમર્થકો એવા હતા કે તે લોકો એકબીજા સાથે બાજી પડ્યા... 

ઉમેદવારોને લઈ શું વિચારે છે મતદાતા? 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે બની રહ્યો છે... ઉમેદવારો એડીચોટીનું જોર પ્રચાર માટે લગાવી રહ્યા છે... બનાસકાંઠા લોકસભા બેઠક એમ પણ ચર્ચામાં રહેતી હોય છે... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે તો ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે.. બનાસકાંઠાના ઉમેદવારોની ચર્ચા તો થતી રહેતી હોય છે ત્યારે મતદાતાઓ ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા બનાસકાંઠા પહોંચી હતી..   


ગેનીબેનના વિસ્તારમાં પહોંચી જમાવટની ઈલેક્શન યાત્રા

લોકસભા ચૂંટણીને લઈ, રાજકીય પાર્ટીઓને લઈ, મુદ્દાઓને લઈ રાજ્યના મતદાતા શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરી રહી છે. લોકોને મળે છે અને મતદાતાના મિજાજને જાણવાની કોશિશ કરી રહી છે. વાવના ઢીમા ગામમાં જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી કે ત્યાંના લોકો ઉમેદવારોને લઈ શું વિચારે છે તે જાણવા.. જે વિસ્તારમાં જમાવટની ટીમ પહોંચી હતી તે વિસ્તાર હતો ગેનીબેનનો એટલે વાવના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય છે..


કોંગ્રેસ અને ભાજપના સમર્થકો મળ્યા!

મતદાતાઓનો મિજાજ જ્યારે જાણવાની કોશિશ કરી ત્યારે અનેક મતદાતાઓ એવા હતા જે કોંગ્રેસની  તરફેણમાં વાત કરતા હતા તો અનેક મતદાતાઓ એવા હતા જે ભાજપના સમર્થનમાં વાત કરતા હતા.. કોઈએ કહ્યું કે એક બેઠક પર આવી કોંગ્રેસ કોઈ બદલાવ ના લાવી શકે તો કોઈએ કહ્યું કે તે પક્ષને જોઈ વોટ આપે છે.. કોઈએ કહ્યું કે ભાજપ જ જીતશે તો કોઈએ કહ્યું કે કોંગ્રેસ જ જીતશે... અલગ અલગ મત મતાંતર આ બેઠકના મતદાતાઓના જોવા મળ્યા... ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા લોકસભા બેઠકના મતદાતાઓ કોને જીતાડે છે?     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે