Jamawat Election Yatra પહોંચી હિંમતનગરના દેધરોટા ગામમાં જ્યાં ભાજપના નેતાઓની છે પ્રવેશબંધી! જાણો કેવો છે ત્યાંના લોકોનો મિજાજ?


  • Published By :
  • Published Date : 2024-04-30 14:37:20

પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ અપાયેલા નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..

ભાજપના નેતાઓના પ્રવેશ પર મૂકવામાં આવી બંધી

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.. અલગ અલગ મુદ્દાઓને લઈ લોકો શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોમાં જઈ રહી છે... અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પરંતુ જે ગામની મુલાકાત ટીમે લીધી તેની બહાર ભાજપના નેતાઓના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી. 



કયા મુદ્દાઓને ધ્યાન રાખી મતદાતા કરે છે મતદાન?

 જે લોકો સાથે ટીમે મુલાકાત કરી તેમાંથી અનેક લોકો ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા એટલે આ વિરોધને લઈ, આ મુદ્દાને લઈ તે શું વિચારે છે, તેને લઈ સવાલો પૂછ્યા હતા.. કોઈએ કહ્યું કે અમે તો નરેન્દ્ર મોદીને જ વોટ આપીશું.. જ્યારે ગામમાં વિકાસના કામો થયા કે નહીં એ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કામો જ નથી થયા.. રસ્તા સરખા નથી.. ગરીબોને તો બધુ આપવું જ જોઈએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શું જોઈને વોટ આપશો ત્યારે તેમણે કહ્યું કે બધા કહેશે તે પ્રમાણે વોટ આપીશું.. 


શું કહ્યું ક્ષત્રિય આંદોલનને લઈ?

જ્યારે પૂછવામાં આવ્યું કે બેનરો ક્યારથી લગાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે બે મહિના જેટલો સમય થઈ ગયો છે. ભાજપના ઉમેદવારો પ્રચાર માટે નથી આવતા.. ક્ષત્રિયોનો વિરોધ કર્યો એટલે ભાજપના નેતાઓને નથી ઘૂસવા દેતા... તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ બાજુ.. જ્યારે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ તેમણે પૂછ્યું ત્યારે તેમણે એ તો પછી જે થાય તે ખરી.. પહેલા ભાજપ ગમતું હતું પરંતુ હવે કોંગ્રેસ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. 


ઉમેદવારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું..

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા. સાબરકાંઠાના ઉમેદવારને ભાજપે બદલ્યા.. પહેલા ભીખાજીને ટિકીટ આપવામાં આવી હતી અને પછી શોભના બેનને ટિકીટ આપવામાં આવી. આ વાત જ્યારે પૂછવામાં આવી મતદાતાઓને ત્યારે તેમને આ વાતની ખબર ન હતી.. મહત્વનું છે કે અનેક મતદાતાઓને ખબર નથી હોતી કે તેમના ઉમેદવાર કોણ છે, માત્ર પીએમ મોદીને ઓળખે છે..!    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .