Jamawat Election Yatra પહોંચી હિંમતનગરના દેધરોટા ગામમાં જ્યાં ભાજપના નેતાઓની છે પ્રવેશબંધી! જાણો કેવો છે ત્યાંના લોકોનો મિજાજ?


  • Published By :
  • Published Date : 2024-04-30 14:37:20

પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ અપાયેલા નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..

ભાજપના નેતાઓના પ્રવેશ પર મૂકવામાં આવી બંધી

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.. અલગ અલગ મુદ્દાઓને લઈ લોકો શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોમાં જઈ રહી છે... અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પરંતુ જે ગામની મુલાકાત ટીમે લીધી તેની બહાર ભાજપના નેતાઓના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી. 



કયા મુદ્દાઓને ધ્યાન રાખી મતદાતા કરે છે મતદાન?

 જે લોકો સાથે ટીમે મુલાકાત કરી તેમાંથી અનેક લોકો ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા એટલે આ વિરોધને લઈ, આ મુદ્દાને લઈ તે શું વિચારે છે, તેને લઈ સવાલો પૂછ્યા હતા.. કોઈએ કહ્યું કે અમે તો નરેન્દ્ર મોદીને જ વોટ આપીશું.. જ્યારે ગામમાં વિકાસના કામો થયા કે નહીં એ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કામો જ નથી થયા.. રસ્તા સરખા નથી.. ગરીબોને તો બધુ આપવું જ જોઈએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શું જોઈને વોટ આપશો ત્યારે તેમણે કહ્યું કે બધા કહેશે તે પ્રમાણે વોટ આપીશું.. 


શું કહ્યું ક્ષત્રિય આંદોલનને લઈ?

જ્યારે પૂછવામાં આવ્યું કે બેનરો ક્યારથી લગાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે બે મહિના જેટલો સમય થઈ ગયો છે. ભાજપના ઉમેદવારો પ્રચાર માટે નથી આવતા.. ક્ષત્રિયોનો વિરોધ કર્યો એટલે ભાજપના નેતાઓને નથી ઘૂસવા દેતા... તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ બાજુ.. જ્યારે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ તેમણે પૂછ્યું ત્યારે તેમણે એ તો પછી જે થાય તે ખરી.. પહેલા ભાજપ ગમતું હતું પરંતુ હવે કોંગ્રેસ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. 


ઉમેદવારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું..

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા. સાબરકાંઠાના ઉમેદવારને ભાજપે બદલ્યા.. પહેલા ભીખાજીને ટિકીટ આપવામાં આવી હતી અને પછી શોભના બેનને ટિકીટ આપવામાં આવી. આ વાત જ્યારે પૂછવામાં આવી મતદાતાઓને ત્યારે તેમને આ વાતની ખબર ન હતી.. મહત્વનું છે કે અનેક મતદાતાઓને ખબર નથી હોતી કે તેમના ઉમેદવાર કોણ છે, માત્ર પીએમ મોદીને ઓળખે છે..!    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે