Jamawat Election Yatra પહોંચી હિંમતનગરના દેધરોટા ગામમાં જ્યાં ભાજપના નેતાઓની છે પ્રવેશબંધી! જાણો કેવો છે ત્યાંના લોકોનો મિજાજ?


  • Published By :
  • Published Date : 2024-04-30 14:37:20

પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ અપાયેલા નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..

ભાજપના નેતાઓના પ્રવેશ પર મૂકવામાં આવી બંધી

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.. અલગ અલગ મુદ્દાઓને લઈ લોકો શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોમાં જઈ રહી છે... અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પરંતુ જે ગામની મુલાકાત ટીમે લીધી તેની બહાર ભાજપના નેતાઓના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી. 



કયા મુદ્દાઓને ધ્યાન રાખી મતદાતા કરે છે મતદાન?

 જે લોકો સાથે ટીમે મુલાકાત કરી તેમાંથી અનેક લોકો ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા એટલે આ વિરોધને લઈ, આ મુદ્દાને લઈ તે શું વિચારે છે, તેને લઈ સવાલો પૂછ્યા હતા.. કોઈએ કહ્યું કે અમે તો નરેન્દ્ર મોદીને જ વોટ આપીશું.. જ્યારે ગામમાં વિકાસના કામો થયા કે નહીં એ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કામો જ નથી થયા.. રસ્તા સરખા નથી.. ગરીબોને તો બધુ આપવું જ જોઈએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શું જોઈને વોટ આપશો ત્યારે તેમણે કહ્યું કે બધા કહેશે તે પ્રમાણે વોટ આપીશું.. 


શું કહ્યું ક્ષત્રિય આંદોલનને લઈ?

જ્યારે પૂછવામાં આવ્યું કે બેનરો ક્યારથી લગાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે બે મહિના જેટલો સમય થઈ ગયો છે. ભાજપના ઉમેદવારો પ્રચાર માટે નથી આવતા.. ક્ષત્રિયોનો વિરોધ કર્યો એટલે ભાજપના નેતાઓને નથી ઘૂસવા દેતા... તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ બાજુ.. જ્યારે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ તેમણે પૂછ્યું ત્યારે તેમણે એ તો પછી જે થાય તે ખરી.. પહેલા ભાજપ ગમતું હતું પરંતુ હવે કોંગ્રેસ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. 


ઉમેદવારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું..

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા. સાબરકાંઠાના ઉમેદવારને ભાજપે બદલ્યા.. પહેલા ભીખાજીને ટિકીટ આપવામાં આવી હતી અને પછી શોભના બેનને ટિકીટ આપવામાં આવી. આ વાત જ્યારે પૂછવામાં આવી મતદાતાઓને ત્યારે તેમને આ વાતની ખબર ન હતી.. મહત્વનું છે કે અનેક મતદાતાઓને ખબર નથી હોતી કે તેમના ઉમેદવાર કોણ છે, માત્ર પીએમ મોદીને ઓળખે છે..!    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.