Jamawat Election Yatra પહોંચી Junagadh, જાણો કેવો છે જનતાનો મિજાજ? કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાતાઓ કરે છે મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-25 13:20:35

ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. મતદાતાઓનો મિજાજ કેવો છે, કયા મુદ્દાઓને લઈ વોટ કરશે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા સૌરાષ્ટ્ર પહોંચી હતી.. જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓ ચૂંટણીને લઈ શું, તેમના હિસાબથી કયા એવા વિષયો છે જે આ ચૂંટણીમાં અસર કરશે, જનતા ઉમેદવારને લઈ, પીએમ મોદીને લઈ વિચારે છે તે જાણવા માટે સોમનાથના બિચ પર જમાવટની ટીમ પહોંચી હતી.   

કેવો છે જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓનો મિજાજ?

દેશમાં કોની સરકાર બનશે, કઈ પાર્ટી સત્તામાં આવશે તે દર પાંચ વર્ષે જનતા નિર્ણય કરે છે કે મત આપીને...મતદાતાઓનો મિજાજ ચૂંટણીમાં મહત્વનો છે... સામાન્ય રીતે રાજનેતાઓના મુખેથી વિકાસની વાતો, રામ મંદિરની વાતો સાંભળી હશે, વિકસીત ગુજરાતની વાતો સાંભળી હશે.. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓ કયા વિષયોને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો. અનેક મતદાતાઓને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો હતો. પોતાની રાય જણાવતા અનેક મતદાતાઓએ રામ મંદિરનો, આર્ટિકલ 370ની પણ વાત કરી... 


મતદાતાઓને કરાયા અનેક મુદ્દાઓ પર સવાલ

જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારની વાત કરીએ તો ઈન્ડિયા ગઠબંધન અતંર્ગત હીરાભાઈ જોટવાને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમા છે.. સામાન્ય રીતે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા કામોની અસર લોકસભા ચૂંટણીના પરિણામો પર દેખાતી હોય છે પરંતુ જૂનાગઢમાં ધારાસભ્ય કોંગ્રેસના છે.. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે વિધાનસભામાં ચૂંટણીના મુદ્દાઓ અને લોકસભા ચૂંટણીમાં મતદાનના મુદ્દાઓ અલગ હોય છે ત્યારે તેમણે સમાજની વાત કરી હતી.. વિપક્ષના ગઠબંધનને લઈ પણ મતદારોને સવાલ પૂછવામાં આવ્યો હતો..


જ્યારે પ્રધાનમંત્રીને લઈ સવાલો કરાયા ત્યારે.... 

આગામી પાંચ વર્ષમાં લોકો શું અપેક્ષા રાખે છે સાંસદ પાસેથી તેને લગતા જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે કામો થવા જોઈએ... ત્યાંના સાંસદ જે કહે છે તે કરે છે તેવી વાત ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે... જ્યારે પ્રધાનમંત્રી કોણ બનવું જોઈને તેનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પીએમ મોદીને પસંદ કર્યા.. 



ઈન્ડિયા ગઠબંધનના સવાલ પર લોકોએ કહ્યું કે... 

રોજગારને લઈને જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે રોજગારી મળી રહે છે... અનેક મતદાતાઓએ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો... અમદાવાદથી સોમનાથ ફરવા ગયેલા લોકોનો પણ મત પૂછવામાં આવ્યો. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનો પણ ઉલ્લેખ અનેક મતદાતાઓએ કર્યો છે.. ઈન્ડિયા ગઠબંધન ટક્કર આપશે તેની વાત પણ તેમણે કરી હતી..


જનતાએ રાય પ્રસ્તુત કરતા કહ્યું કે....   

પોતાની રાય જણાવતા અનેક લોકોએ મહિલાઓની સુરક્ષાને લઈ પણ વાત કરી.. ગુજરાતમાં આરામથી, ડર વગર ફરી શકાય છે તે વાત તેમણે નોંધવામાં લીધી.. Infrastructureની પણ વાત તેમણે કરી... જે મતદાતાઓ સાથે વાત કરી તેમણે પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીને પસંદ કર્યા છે... ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોની જીત થાય છે તે 4થી જૂને ખબર પડશે..     




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.