Jamawat Election Yatra પહોંચી Junagadh, જાણો કેવો છે જનતાનો મિજાજ? કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાતાઓ કરે છે મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-25 13:20:35

ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. મતદાતાઓનો મિજાજ કેવો છે, કયા મુદ્દાઓને લઈ વોટ કરશે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા સૌરાષ્ટ્ર પહોંચી હતી.. જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓ ચૂંટણીને લઈ શું, તેમના હિસાબથી કયા એવા વિષયો છે જે આ ચૂંટણીમાં અસર કરશે, જનતા ઉમેદવારને લઈ, પીએમ મોદીને લઈ વિચારે છે તે જાણવા માટે સોમનાથના બિચ પર જમાવટની ટીમ પહોંચી હતી.   

કેવો છે જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓનો મિજાજ?

દેશમાં કોની સરકાર બનશે, કઈ પાર્ટી સત્તામાં આવશે તે દર પાંચ વર્ષે જનતા નિર્ણય કરે છે કે મત આપીને...મતદાતાઓનો મિજાજ ચૂંટણીમાં મહત્વનો છે... સામાન્ય રીતે રાજનેતાઓના મુખેથી વિકાસની વાતો, રામ મંદિરની વાતો સાંભળી હશે, વિકસીત ગુજરાતની વાતો સાંભળી હશે.. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓ કયા વિષયોને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો. અનેક મતદાતાઓને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો હતો. પોતાની રાય જણાવતા અનેક મતદાતાઓએ રામ મંદિરનો, આર્ટિકલ 370ની પણ વાત કરી... 


મતદાતાઓને કરાયા અનેક મુદ્દાઓ પર સવાલ

જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારની વાત કરીએ તો ઈન્ડિયા ગઠબંધન અતંર્ગત હીરાભાઈ જોટવાને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમા છે.. સામાન્ય રીતે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા કામોની અસર લોકસભા ચૂંટણીના પરિણામો પર દેખાતી હોય છે પરંતુ જૂનાગઢમાં ધારાસભ્ય કોંગ્રેસના છે.. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે વિધાનસભામાં ચૂંટણીના મુદ્દાઓ અને લોકસભા ચૂંટણીમાં મતદાનના મુદ્દાઓ અલગ હોય છે ત્યારે તેમણે સમાજની વાત કરી હતી.. વિપક્ષના ગઠબંધનને લઈ પણ મતદારોને સવાલ પૂછવામાં આવ્યો હતો..


જ્યારે પ્રધાનમંત્રીને લઈ સવાલો કરાયા ત્યારે.... 

આગામી પાંચ વર્ષમાં લોકો શું અપેક્ષા રાખે છે સાંસદ પાસેથી તેને લગતા જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે કામો થવા જોઈએ... ત્યાંના સાંસદ જે કહે છે તે કરે છે તેવી વાત ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે... જ્યારે પ્રધાનમંત્રી કોણ બનવું જોઈને તેનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પીએમ મોદીને પસંદ કર્યા.. 



ઈન્ડિયા ગઠબંધનના સવાલ પર લોકોએ કહ્યું કે... 

રોજગારને લઈને જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે રોજગારી મળી રહે છે... અનેક મતદાતાઓએ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો... અમદાવાદથી સોમનાથ ફરવા ગયેલા લોકોનો પણ મત પૂછવામાં આવ્યો. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનો પણ ઉલ્લેખ અનેક મતદાતાઓએ કર્યો છે.. ઈન્ડિયા ગઠબંધન ટક્કર આપશે તેની વાત પણ તેમણે કરી હતી..


જનતાએ રાય પ્રસ્તુત કરતા કહ્યું કે....   

પોતાની રાય જણાવતા અનેક લોકોએ મહિલાઓની સુરક્ષાને લઈ પણ વાત કરી.. ગુજરાતમાં આરામથી, ડર વગર ફરી શકાય છે તે વાત તેમણે નોંધવામાં લીધી.. Infrastructureની પણ વાત તેમણે કરી... જે મતદાતાઓ સાથે વાત કરી તેમણે પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીને પસંદ કર્યા છે... ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોની જીત થાય છે તે 4થી જૂને ખબર પડશે..     




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.