Jamawat Election Yatra પહોંચી Junagadh, જાણો કેવો છે જનતાનો મિજાજ? કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાતાઓ કરે છે મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-25 13:20:35

ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. મતદાતાઓનો મિજાજ કેવો છે, કયા મુદ્દાઓને લઈ વોટ કરશે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા સૌરાષ્ટ્ર પહોંચી હતી.. જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓ ચૂંટણીને લઈ શું, તેમના હિસાબથી કયા એવા વિષયો છે જે આ ચૂંટણીમાં અસર કરશે, જનતા ઉમેદવારને લઈ, પીએમ મોદીને લઈ વિચારે છે તે જાણવા માટે સોમનાથના બિચ પર જમાવટની ટીમ પહોંચી હતી.   

કેવો છે જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓનો મિજાજ?

દેશમાં કોની સરકાર બનશે, કઈ પાર્ટી સત્તામાં આવશે તે દર પાંચ વર્ષે જનતા નિર્ણય કરે છે કે મત આપીને...મતદાતાઓનો મિજાજ ચૂંટણીમાં મહત્વનો છે... સામાન્ય રીતે રાજનેતાઓના મુખેથી વિકાસની વાતો, રામ મંદિરની વાતો સાંભળી હશે, વિકસીત ગુજરાતની વાતો સાંભળી હશે.. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકના મતદાતાઓ કયા વિષયોને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો. અનેક મતદાતાઓને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો હતો. પોતાની રાય જણાવતા અનેક મતદાતાઓએ રામ મંદિરનો, આર્ટિકલ 370ની પણ વાત કરી... 


મતદાતાઓને કરાયા અનેક મુદ્દાઓ પર સવાલ

જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારની વાત કરીએ તો ઈન્ડિયા ગઠબંધન અતંર્ગત હીરાભાઈ જોટવાને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમા છે.. સામાન્ય રીતે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા કામોની અસર લોકસભા ચૂંટણીના પરિણામો પર દેખાતી હોય છે પરંતુ જૂનાગઢમાં ધારાસભ્ય કોંગ્રેસના છે.. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે વિધાનસભામાં ચૂંટણીના મુદ્દાઓ અને લોકસભા ચૂંટણીમાં મતદાનના મુદ્દાઓ અલગ હોય છે ત્યારે તેમણે સમાજની વાત કરી હતી.. વિપક્ષના ગઠબંધનને લઈ પણ મતદારોને સવાલ પૂછવામાં આવ્યો હતો..


જ્યારે પ્રધાનમંત્રીને લઈ સવાલો કરાયા ત્યારે.... 

આગામી પાંચ વર્ષમાં લોકો શું અપેક્ષા રાખે છે સાંસદ પાસેથી તેને લગતા જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે કામો થવા જોઈએ... ત્યાંના સાંસદ જે કહે છે તે કરે છે તેવી વાત ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે... જ્યારે પ્રધાનમંત્રી કોણ બનવું જોઈને તેનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પીએમ મોદીને પસંદ કર્યા.. 



ઈન્ડિયા ગઠબંધનના સવાલ પર લોકોએ કહ્યું કે... 

રોજગારને લઈને જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે રોજગારી મળી રહે છે... અનેક મતદાતાઓએ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો... અમદાવાદથી સોમનાથ ફરવા ગયેલા લોકોનો પણ મત પૂછવામાં આવ્યો. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનો પણ ઉલ્લેખ અનેક મતદાતાઓએ કર્યો છે.. ઈન્ડિયા ગઠબંધન ટક્કર આપશે તેની વાત પણ તેમણે કરી હતી..


જનતાએ રાય પ્રસ્તુત કરતા કહ્યું કે....   

પોતાની રાય જણાવતા અનેક લોકોએ મહિલાઓની સુરક્ષાને લઈ પણ વાત કરી.. ગુજરાતમાં આરામથી, ડર વગર ફરી શકાય છે તે વાત તેમણે નોંધવામાં લીધી.. Infrastructureની પણ વાત તેમણે કરી... જે મતદાતાઓ સાથે વાત કરી તેમણે પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીને પસંદ કર્યા છે... ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોની જીત થાય છે તે 4થી જૂને ખબર પડશે..     




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.