Jamawat Election Yatra પહોંચી Amreliના લોકોનો મિજાજ જાણવા, જનતા કહે છે બંને ઉમેદવારો અમારા માટે નવા છે!


  • Published By :
  • Published Date : 2024-05-04 13:25:55

7મી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે... મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરી રહી છે.. લોકોનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ પહોંચી હતી અમરેલી... અમરેલી સીટ આ વખતે Interesting એટલા માટે છે કારણ કે જેમના માટે માનવામાં આવતું કે ભાજપ આ બેઠક પર આ ઉમેદવારને ઉતારી શકે છે તેમને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવી દીધા છે.. નવા ઉમેદવારોને રાજકીય પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા છે.

રાજનેતાઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે... 

અમરેલીના લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે અનેક મતદાતાઓ મળ્યા જેમણે મોદી સરકારના વખાણ કર્યા.. તો અનેક એવા લોકો પણ મળ્યા જેમણે સ્થાનિક સમસ્યાની વાતો કરી... 400 પારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પાર થઈ જશે..! નોકરીઓની સારી સુવિધાઓ ઉભી થઈ છે વગેરે વગેરે... જ્યારે બીજા એક મતદાતાને સવાલ પૂછવામાં આવ્યો ઉમેદવારને લઈ ત્યારે તેમનો રોષ જાણે બહાર આવી ગયો તેવું લાગ્યું...! ઉમેદવારના શિક્ષણને લઈ તેમણે વાત કરી હતી.. તેમણે અમરેલીના હમણાંના સાંસદ અને રાજનેતા વિશે વાત કરી. 


પાણીની સમસ્યાને લઈ ભડકી ઉઠી મહિલા!

સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન નથી આપવામાં આવતું તેની વાત કરી.. ઉપરાંત તેમણે લોકોને લઈને પણ વાત કરી અને કહ્યું કે લોકોમાં જાગૃતિનો અભાવ છે... જે સામો પડે તો તેને દબાવવામાં આવે છે...! કોઈએ મોદી છે એટલે મોંઘવારી છે...! મોંઘવારીનો મુદ્દો મોદી ઉપાડશે જ નહીં તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ખાનગી કરણની પણ તેમણે વાત કરી હતી.. જ્યારે બીજા એક મતદાતાને પૂછવામાં આવ્યું કે પાણી પહોંચ્યું છે ત્યારે તેમણે કહ્યું કે પાણી ક્યાં પહોંચાડવામાં આવ્યું છે.? અમારા ગામમાં તો પાણી જ નથી આવતું. અઠવાડિયામાં માત્ર બે દિવસ પાણી આવે અને એ પણ માત્ર એક કલાક...


જનતાની જાગૃત્તિને લઈ કહી આ વાત...!

ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર બનાવ્યા છે. કોઈએ કહ્યું કે ભાજપની જીત થશે કારણ કે અહીંયા કામો થયા છે...જ્યારે તેમને લોકસભા ચૂંટણીને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સામા પક્ષે એવા કોઈ નાયક નથી જેવા ભાજપ પાસે પીએમ મોદી છે...! પ્રધાનમંત્રીનો ચહેરો ઈન્ડિયા ગઠબંધન દ્વારા જાહેર કરવામાં જ નથી આવ્યો... જ્યારે બીજા એક મતદારને ઉમેદવાર વિશે પૂછવામાં આવ્યું કે ઉમેદવાર તો હોવા જોઈએને જેને ઓળખતા હોઈએ... જ્યારે બીજા મતદારને પૂછવામાં આવ્યું કે વિકાસ કેટલો થયો છે ત્યારે તેમણે થયું કે કામ નથી થયા.. જનતા જાગૃત્ત નથી..  ત્યારે જોવું રહ્યું કે અમરેલીની જનતા કોને મત આપે છે?



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.