Jamawat Election Yatra પહોંચી Amreliના લોકોનો મિજાજ જાણવા, જનતા કહે છે બંને ઉમેદવારો અમારા માટે નવા છે!


  • Published By :
  • Published Date : 2024-05-04 13:25:55

7મી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે... મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરી રહી છે.. લોકોનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ પહોંચી હતી અમરેલી... અમરેલી સીટ આ વખતે Interesting એટલા માટે છે કારણ કે જેમના માટે માનવામાં આવતું કે ભાજપ આ બેઠક પર આ ઉમેદવારને ઉતારી શકે છે તેમને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવી દીધા છે.. નવા ઉમેદવારોને રાજકીય પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા છે.

રાજનેતાઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે... 

અમરેલીના લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે અનેક મતદાતાઓ મળ્યા જેમણે મોદી સરકારના વખાણ કર્યા.. તો અનેક એવા લોકો પણ મળ્યા જેમણે સ્થાનિક સમસ્યાની વાતો કરી... 400 પારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પાર થઈ જશે..! નોકરીઓની સારી સુવિધાઓ ઉભી થઈ છે વગેરે વગેરે... જ્યારે બીજા એક મતદાતાને સવાલ પૂછવામાં આવ્યો ઉમેદવારને લઈ ત્યારે તેમનો રોષ જાણે બહાર આવી ગયો તેવું લાગ્યું...! ઉમેદવારના શિક્ષણને લઈ તેમણે વાત કરી હતી.. તેમણે અમરેલીના હમણાંના સાંસદ અને રાજનેતા વિશે વાત કરી. 


પાણીની સમસ્યાને લઈ ભડકી ઉઠી મહિલા!

સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન નથી આપવામાં આવતું તેની વાત કરી.. ઉપરાંત તેમણે લોકોને લઈને પણ વાત કરી અને કહ્યું કે લોકોમાં જાગૃતિનો અભાવ છે... જે સામો પડે તો તેને દબાવવામાં આવે છે...! કોઈએ મોદી છે એટલે મોંઘવારી છે...! મોંઘવારીનો મુદ્દો મોદી ઉપાડશે જ નહીં તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ખાનગી કરણની પણ તેમણે વાત કરી હતી.. જ્યારે બીજા એક મતદાતાને પૂછવામાં આવ્યું કે પાણી પહોંચ્યું છે ત્યારે તેમણે કહ્યું કે પાણી ક્યાં પહોંચાડવામાં આવ્યું છે.? અમારા ગામમાં તો પાણી જ નથી આવતું. અઠવાડિયામાં માત્ર બે દિવસ પાણી આવે અને એ પણ માત્ર એક કલાક...


જનતાની જાગૃત્તિને લઈ કહી આ વાત...!

ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર બનાવ્યા છે. કોઈએ કહ્યું કે ભાજપની જીત થશે કારણ કે અહીંયા કામો થયા છે...જ્યારે તેમને લોકસભા ચૂંટણીને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સામા પક્ષે એવા કોઈ નાયક નથી જેવા ભાજપ પાસે પીએમ મોદી છે...! પ્રધાનમંત્રીનો ચહેરો ઈન્ડિયા ગઠબંધન દ્વારા જાહેર કરવામાં જ નથી આવ્યો... જ્યારે બીજા એક મતદારને ઉમેદવાર વિશે પૂછવામાં આવ્યું કે ઉમેદવાર તો હોવા જોઈએને જેને ઓળખતા હોઈએ... જ્યારે બીજા મતદારને પૂછવામાં આવ્યું કે વિકાસ કેટલો થયો છે ત્યારે તેમણે થયું કે કામ નથી થયા.. જનતા જાગૃત્ત નથી..  ત્યારે જોવું રહ્યું કે અમરેલીની જનતા કોને મત આપે છે?



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.