Jamawat Election Yatra પહોંચી વલસાડ, જાણો મતદાતાઓનો કોની તરફ છે ઝુકાવ? Dhaval Patel અને Anant Patelને લઈ શું વિચારે છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-04-29 16:09:43

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે...એ બેઠક ભરૂચ હોય, વલસાડની બેઠક હોય કે પછી બનાસકાંઠા હોય.. અને બેઠકોની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. વલસાડ લોકસભા બેઠકના મતદાતાનો મિજાજ શું છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી વલસાડના ધરમપુર... ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે..  


કોણ છે વલસાડ મતદાતાઓની પસંદ?

વલસાડ લોકસભા બેઠક માટે માનવામાં આવે છે કે આ સીટ પર જે પાર્ટીના ઉમેદવારની જીત થાય છે તે પાર્ટીની સરકાર કેન્દ્રમાં બને છે... આ બેઠક પર બંને પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. અનંત પટેલના પ્રચાર માટે થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધી આવ્યા હતા. લોકો સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી અને કયા ઉમેદવાર તેમની પસંદ છે તે જાણવાની કોશિશ કરી ત્યારે મુખ્યત્વે લોકોએ અનંત પટેલનું નામ લીધું હતું.. અનંત પટેલ જ ચાલે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..


ધવલ પટેલને લઈ શું માને છે મતદાર? 

અનંત પટેલને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનંત પટેલના વખાણ કર્યા હતા. આદિવાસી નેતા તરીકે તેમની કામગીરી સારી છે પરંતુ બાકીના વર્ગો માટે તે કામ કરે છે, તે લોકલાડિલા છે. તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. જ્યારે મતદાતાઓને ધવલ પટેલ માટે પૂછવામાં આવ્યું  ત્યારે તેમણે કહ્યું કે તેમના ગામના લોકો જ તેમને નહીં ઓળખતા હોય.. જ્યારે મતદાતાઓને પૂછ્યું કે ઉમેદવારને જોઈ વોટ આપો કે પક્ષને જોઈ ત્યારે તેમણે કહ્યું કે પાર્ટીએ પહેલા જે કામ કર્યા હતા તે કામને સાચવી રાખવાનું કામ અનંત પટેલ કરી રહ્યા છે. બદલાવ આવવો જરૂરી છે...


ઈન્ડિયા ગઠબંધનને લઈ મતદાતાઓ માને છે કે... 

ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે ત્યારે તેને લઈ મતદાતાઓએ પ્રતિક્રિયા આપી છે... અનેક ઉમેદવારોના નામ મતદાતાઓ દ્વારા લેવામાં આવ્યા. જ્યારે પૂછવામાં આવ્યું કે પીએમ તરીકેની પસંદ કોણ જો ઈન્ડિયા ગઠબંધન જીતે છે તો તેમણે કહ્યું કે રાહુલ ગાંધી..  ધારાસભ્ય તરીકે અનંત પટેલે કેવા કામ કર્યા તો તેના જવાબમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય તરીકે તેમણે સારા કામ કર્યા છે. વલસાડ અનંત પટેલ જીતશે તેવી વાત કરવામાં આવી છે... 

 

અનેક ગામોમાં નથી પહોંચ્યું પાણી...

જ્યારે કયું કામ નથી થયું તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનેક કામો ગણાવ્યા. પાણી નથી પહોંચતું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું.. આજે પણ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું. ... ત્યારે જોવું રહ્યું કે વલસાડ બેઠક પર કોની જીત થાય છે અનંત પટેલ કે ધવલ પટેલ?    



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .