Jamawat Election Yatra પહોંચી વલસાડ, જાણો મતદાતાઓનો કોની તરફ છે ઝુકાવ? Dhaval Patel અને Anant Patelને લઈ શું વિચારે છે લોકો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 16:09:43

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે...એ બેઠક ભરૂચ હોય, વલસાડની બેઠક હોય કે પછી બનાસકાંઠા હોય.. અને બેઠકોની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. વલસાડ લોકસભા બેઠકના મતદાતાનો મિજાજ શું છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી વલસાડના ધરમપુર... ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે..  


કોણ છે વલસાડ મતદાતાઓની પસંદ?

વલસાડ લોકસભા બેઠક માટે માનવામાં આવે છે કે આ સીટ પર જે પાર્ટીના ઉમેદવારની જીત થાય છે તે પાર્ટીની સરકાર કેન્દ્રમાં બને છે... આ બેઠક પર બંને પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. અનંત પટેલના પ્રચાર માટે થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધી આવ્યા હતા. લોકો સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી અને કયા ઉમેદવાર તેમની પસંદ છે તે જાણવાની કોશિશ કરી ત્યારે મુખ્યત્વે લોકોએ અનંત પટેલનું નામ લીધું હતું.. અનંત પટેલ જ ચાલે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..


ધવલ પટેલને લઈ શું માને છે મતદાર? 

અનંત પટેલને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનંત પટેલના વખાણ કર્યા હતા. આદિવાસી નેતા તરીકે તેમની કામગીરી સારી છે પરંતુ બાકીના વર્ગો માટે તે કામ કરે છે, તે લોકલાડિલા છે. તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. જ્યારે મતદાતાઓને ધવલ પટેલ માટે પૂછવામાં આવ્યું  ત્યારે તેમણે કહ્યું કે તેમના ગામના લોકો જ તેમને નહીં ઓળખતા હોય.. જ્યારે મતદાતાઓને પૂછ્યું કે ઉમેદવારને જોઈ વોટ આપો કે પક્ષને જોઈ ત્યારે તેમણે કહ્યું કે પાર્ટીએ પહેલા જે કામ કર્યા હતા તે કામને સાચવી રાખવાનું કામ અનંત પટેલ કરી રહ્યા છે. બદલાવ આવવો જરૂરી છે...


ઈન્ડિયા ગઠબંધનને લઈ મતદાતાઓ માને છે કે... 

ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે ત્યારે તેને લઈ મતદાતાઓએ પ્રતિક્રિયા આપી છે... અનેક ઉમેદવારોના નામ મતદાતાઓ દ્વારા લેવામાં આવ્યા. જ્યારે પૂછવામાં આવ્યું કે પીએમ તરીકેની પસંદ કોણ જો ઈન્ડિયા ગઠબંધન જીતે છે તો તેમણે કહ્યું કે રાહુલ ગાંધી..  ધારાસભ્ય તરીકે અનંત પટેલે કેવા કામ કર્યા તો તેના જવાબમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય તરીકે તેમણે સારા કામ કર્યા છે. વલસાડ અનંત પટેલ જીતશે તેવી વાત કરવામાં આવી છે... 

 

અનેક ગામોમાં નથી પહોંચ્યું પાણી...

જ્યારે કયું કામ નથી થયું તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનેક કામો ગણાવ્યા. પાણી નથી પહોંચતું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું.. આજે પણ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું. ... ત્યારે જોવું રહ્યું કે વલસાડ બેઠક પર કોની જીત થાય છે અનંત પટેલ કે ધવલ પટેલ?    



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.