Jamawat Election Yatra પહોંચી વલસાડ, જાણો મતદાતાઓનો કોની તરફ છે ઝુકાવ? Dhaval Patel અને Anant Patelને લઈ શું વિચારે છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-04-29 16:09:43

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે...એ બેઠક ભરૂચ હોય, વલસાડની બેઠક હોય કે પછી બનાસકાંઠા હોય.. અને બેઠકોની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. વલસાડ લોકસભા બેઠકના મતદાતાનો મિજાજ શું છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી વલસાડના ધરમપુર... ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે..  


કોણ છે વલસાડ મતદાતાઓની પસંદ?

વલસાડ લોકસભા બેઠક માટે માનવામાં આવે છે કે આ સીટ પર જે પાર્ટીના ઉમેદવારની જીત થાય છે તે પાર્ટીની સરકાર કેન્દ્રમાં બને છે... આ બેઠક પર બંને પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. અનંત પટેલના પ્રચાર માટે થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધી આવ્યા હતા. લોકો સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી અને કયા ઉમેદવાર તેમની પસંદ છે તે જાણવાની કોશિશ કરી ત્યારે મુખ્યત્વે લોકોએ અનંત પટેલનું નામ લીધું હતું.. અનંત પટેલ જ ચાલે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..


ધવલ પટેલને લઈ શું માને છે મતદાર? 

અનંત પટેલને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનંત પટેલના વખાણ કર્યા હતા. આદિવાસી નેતા તરીકે તેમની કામગીરી સારી છે પરંતુ બાકીના વર્ગો માટે તે કામ કરે છે, તે લોકલાડિલા છે. તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. જ્યારે મતદાતાઓને ધવલ પટેલ માટે પૂછવામાં આવ્યું  ત્યારે તેમણે કહ્યું કે તેમના ગામના લોકો જ તેમને નહીં ઓળખતા હોય.. જ્યારે મતદાતાઓને પૂછ્યું કે ઉમેદવારને જોઈ વોટ આપો કે પક્ષને જોઈ ત્યારે તેમણે કહ્યું કે પાર્ટીએ પહેલા જે કામ કર્યા હતા તે કામને સાચવી રાખવાનું કામ અનંત પટેલ કરી રહ્યા છે. બદલાવ આવવો જરૂરી છે...


ઈન્ડિયા ગઠબંધનને લઈ મતદાતાઓ માને છે કે... 

ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે ત્યારે તેને લઈ મતદાતાઓએ પ્રતિક્રિયા આપી છે... અનેક ઉમેદવારોના નામ મતદાતાઓ દ્વારા લેવામાં આવ્યા. જ્યારે પૂછવામાં આવ્યું કે પીએમ તરીકેની પસંદ કોણ જો ઈન્ડિયા ગઠબંધન જીતે છે તો તેમણે કહ્યું કે રાહુલ ગાંધી..  ધારાસભ્ય તરીકે અનંત પટેલે કેવા કામ કર્યા તો તેના જવાબમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય તરીકે તેમણે સારા કામ કર્યા છે. વલસાડ અનંત પટેલ જીતશે તેવી વાત કરવામાં આવી છે... 

 

અનેક ગામોમાં નથી પહોંચ્યું પાણી...

જ્યારે કયું કામ નથી થયું તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનેક કામો ગણાવ્યા. પાણી નથી પહોંચતું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું.. આજે પણ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું. ... ત્યારે જોવું રહ્યું કે વલસાડ બેઠક પર કોની જીત થાય છે અનંત પટેલ કે ધવલ પટેલ?    



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.