Jamawat Election Yatra પહોંચી વલસાડ, જાણો મતદાતાઓનો કોની તરફ છે ઝુકાવ? Dhaval Patel અને Anant Patelને લઈ શું વિચારે છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-04-29 16:09:43

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે...એ બેઠક ભરૂચ હોય, વલસાડની બેઠક હોય કે પછી બનાસકાંઠા હોય.. અને બેઠકોની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. વલસાડ લોકસભા બેઠકના મતદાતાનો મિજાજ શું છે તે જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી વલસાડના ધરમપુર... ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે..  


કોણ છે વલસાડ મતદાતાઓની પસંદ?

વલસાડ લોકસભા બેઠક માટે માનવામાં આવે છે કે આ સીટ પર જે પાર્ટીના ઉમેદવારની જીત થાય છે તે પાર્ટીની સરકાર કેન્દ્રમાં બને છે... આ બેઠક પર બંને પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. અનંત પટેલના પ્રચાર માટે થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધી આવ્યા હતા. લોકો સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી અને કયા ઉમેદવાર તેમની પસંદ છે તે જાણવાની કોશિશ કરી ત્યારે મુખ્યત્વે લોકોએ અનંત પટેલનું નામ લીધું હતું.. અનંત પટેલ જ ચાલે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..


ધવલ પટેલને લઈ શું માને છે મતદાર? 

અનંત પટેલને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનંત પટેલના વખાણ કર્યા હતા. આદિવાસી નેતા તરીકે તેમની કામગીરી સારી છે પરંતુ બાકીના વર્ગો માટે તે કામ કરે છે, તે લોકલાડિલા છે. તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. જ્યારે મતદાતાઓને ધવલ પટેલ માટે પૂછવામાં આવ્યું  ત્યારે તેમણે કહ્યું કે તેમના ગામના લોકો જ તેમને નહીં ઓળખતા હોય.. જ્યારે મતદાતાઓને પૂછ્યું કે ઉમેદવારને જોઈ વોટ આપો કે પક્ષને જોઈ ત્યારે તેમણે કહ્યું કે પાર્ટીએ પહેલા જે કામ કર્યા હતા તે કામને સાચવી રાખવાનું કામ અનંત પટેલ કરી રહ્યા છે. બદલાવ આવવો જરૂરી છે...


ઈન્ડિયા ગઠબંધનને લઈ મતદાતાઓ માને છે કે... 

ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે ત્યારે તેને લઈ મતદાતાઓએ પ્રતિક્રિયા આપી છે... અનેક ઉમેદવારોના નામ મતદાતાઓ દ્વારા લેવામાં આવ્યા. જ્યારે પૂછવામાં આવ્યું કે પીએમ તરીકેની પસંદ કોણ જો ઈન્ડિયા ગઠબંધન જીતે છે તો તેમણે કહ્યું કે રાહુલ ગાંધી..  ધારાસભ્ય તરીકે અનંત પટેલે કેવા કામ કર્યા તો તેના જવાબમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય તરીકે તેમણે સારા કામ કર્યા છે. વલસાડ અનંત પટેલ જીતશે તેવી વાત કરવામાં આવી છે... 

 

અનેક ગામોમાં નથી પહોંચ્યું પાણી...

જ્યારે કયું કામ નથી થયું તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અનેક કામો ગણાવ્યા. પાણી નથી પહોંચતું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું.. આજે પણ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું. ... ત્યારે જોવું રહ્યું કે વલસાડ બેઠક પર કોની જીત થાય છે અનંત પટેલ કે ધવલ પટેલ?    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.