Jamawatને મળ્યો TET-TAT ઉમેદવારનો મેસેજ! મેસેજમાં છલકાઈ ઉમેદવારની વેદના, સત્તા પર બેઠેલી પાર્ટી માટે કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2023-08-31 11:35:02

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયક નાબુદ થાય અને શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છતાંય તેમની વાત સાંભળવામાં આવી નહીં. મુખ્યમંત્રીને પોતાના મુદ્દાની રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પહોંચે તે પહેલા જ ઉમેદવારોને રોકી લેવામાં આવતા હતા. પીએમ મોદી સુધી પોતાના મુદ્દાને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. 

ચૈતર વસાવા આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યએ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસે જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ.

જમાવટની ઓફિસે આવી ઉમેદવારો પ્રગટ કરે છે તેમની વેદના 

ટેટ-ટાટના ઉમેદવારો પોતાની માગ સાથે અનેક વખત જમાવટની ઓફિસે આવતા હોય છે. એક આશા સાથે કે તેમની વાત કોઈ સાંભળશે. જ્યારે જ્યારે પણ ઉમેદવારો ઓફિસે આવે છે ત્યારે ત્યારે તેમની આંખોમાંથી તેમનું દુખ છલકાઈ આવે છે. પોતાને પડતી મુશ્કેલી તેમની આંખો દ્વારા વ્યક્ત થાય છે. ત્યારે ઓફિસના નંબલ પર એક મેસેજ આવ્યો, એક કવિતા સ્વરૂપે જેમાં ઉમેદવારોની વેદના છલકાતી હતી. 

ભાજપ સરકારને ઉમેદવારોએ પૂછ્યા સવાલ  

જે મેસેજ આવ્યો છે તેમાં 27 વર્ષથી રાજ્યમાં શાસન કરતી પાર્ટી પર નિશાન સાધવામાં આવ્યું છે. લોકશાહીને લઈને પણ વાત કરવામાં આવી છે. માતા-પિતા અને તેમણે જોયેલા સપના વિશે મેસેજમાં વાત કરવામાં આવી છે. (નીચે જે મેસેજ છે તે શબ્દસહ મૂકવામાં આવ્યો છે)


ખોબલે ખોબલે વોટ થકી  25-25 સત્ત્તા દીધી....

નાં દેખાય વેદના તને આ તો કેવી લોકશાહી....

આત્મનિર્ભરનાં સપના જોયા ..જીવન ખર્ચી નાખ્યું આત્મનિર્ભર બનવા....

રાત દિવસ એક કર્યા પરીક્ષા દઈ પેટ ભર્યા..

માં બાપાએ પેટે પાટા બાઘ્યા એક સપના અમારા પૂરા કરવા..

શિક્ષક કેરા સપના જોયા એમને કરાર(સહાયક ) કરી  રોળ્યાં....

સાભરો ઓ બહેરા શાસકો ...

ઘમંડ તારો પણ તુટસે એક દી....

અંગ્રેજો પણ ક્યાં કાયમ રહ્યા...    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.