Jamawatને મળ્યો TET-TAT ઉમેદવારનો મેસેજ! મેસેજમાં છલકાઈ ઉમેદવારની વેદના, સત્તા પર બેઠેલી પાર્ટી માટે કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2023-08-31 11:35:02

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયક નાબુદ થાય અને શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છતાંય તેમની વાત સાંભળવામાં આવી નહીં. મુખ્યમંત્રીને પોતાના મુદ્દાની રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પહોંચે તે પહેલા જ ઉમેદવારોને રોકી લેવામાં આવતા હતા. પીએમ મોદી સુધી પોતાના મુદ્દાને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. 

ચૈતર વસાવા આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યએ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસે જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ.

જમાવટની ઓફિસે આવી ઉમેદવારો પ્રગટ કરે છે તેમની વેદના 

ટેટ-ટાટના ઉમેદવારો પોતાની માગ સાથે અનેક વખત જમાવટની ઓફિસે આવતા હોય છે. એક આશા સાથે કે તેમની વાત કોઈ સાંભળશે. જ્યારે જ્યારે પણ ઉમેદવારો ઓફિસે આવે છે ત્યારે ત્યારે તેમની આંખોમાંથી તેમનું દુખ છલકાઈ આવે છે. પોતાને પડતી મુશ્કેલી તેમની આંખો દ્વારા વ્યક્ત થાય છે. ત્યારે ઓફિસના નંબલ પર એક મેસેજ આવ્યો, એક કવિતા સ્વરૂપે જેમાં ઉમેદવારોની વેદના છલકાતી હતી. 

ભાજપ સરકારને ઉમેદવારોએ પૂછ્યા સવાલ  

જે મેસેજ આવ્યો છે તેમાં 27 વર્ષથી રાજ્યમાં શાસન કરતી પાર્ટી પર નિશાન સાધવામાં આવ્યું છે. લોકશાહીને લઈને પણ વાત કરવામાં આવી છે. માતા-પિતા અને તેમણે જોયેલા સપના વિશે મેસેજમાં વાત કરવામાં આવી છે. (નીચે જે મેસેજ છે તે શબ્દસહ મૂકવામાં આવ્યો છે)


ખોબલે ખોબલે વોટ થકી  25-25 સત્ત્તા દીધી....

નાં દેખાય વેદના તને આ તો કેવી લોકશાહી....

આત્મનિર્ભરનાં સપના જોયા ..જીવન ખર્ચી નાખ્યું આત્મનિર્ભર બનવા....

રાત દિવસ એક કર્યા પરીક્ષા દઈ પેટ ભર્યા..

માં બાપાએ પેટે પાટા બાઘ્યા એક સપના અમારા પૂરા કરવા..

શિક્ષક કેરા સપના જોયા એમને કરાર(સહાયક ) કરી  રોળ્યાં....

સાભરો ઓ બહેરા શાસકો ...

ઘમંડ તારો પણ તુટસે એક દી....

અંગ્રેજો પણ ક્યાં કાયમ રહ્યા...    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.