Jamawat Ground Zero Report - કચ્છનો એક એવો વિસ્તાર જ્યાં પાણી માટે તરસી રહી છે જિંદગી,જ્યાં લોકો માને છે મોટા માણસ હોય તો કામ થઈ જાય પણ....


  • Published By :
  • Published Date : 2024-04-26 14:01:17

જો તમને કહેવામાં આવે કે પંદર-વીસ દિવસમાં એક જ કલાક પાણી આવે તો? પાણી લેવા માટે અનેક કિલોમીટર બેડા લઈને જવું પડશે તો? આ સાંભળીને અનેક લોકો વિચારતા હશે કે આવું થોડી હોય કંઈ.. પાણી તો 24 કલાક જોઈએ... મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે પરંતુ કચ્છ જેવા વિસ્તારમાં આજે પણ આ જ પરિસ્થિતિ છે... પીવાના શુદ્ધ પાણી માટે તો વલખા મારે છે પરંતુ પાણી માટે પણ તેમને અનેક કિલોમીટર સુધી જવું પડે છે.. 

જે દ્રશ્યો સામે આવ્યા તે ગુજરાતના અનેક ભાગોની વાસ્તવિક્તા! 

એક તરફ કચ્છમાં થયેલા વિકાસનો ડંકો ચારેય તરફ વગાડવામાં આવે છે... પરંતુ એક જ કચ્છના અનેક નાના ગામો એવા છે જે સવાલ પૂછે છે કે તેમના ભાગનો વિકાસ ક્યાં ગયો? જો નર્મદાનું પાણી ધોરડો સુધી પહોંચી શકે છે તો બીજા સરહદી વિસ્તારોમાં તે પાણી કેમ ના પહોંચી શકે? ઉત્તર કચ્છના અનેક ભાગોમાં જમાવટની ટીમ જ્યારે ઈલેક્શન યાત્રા માટે પહોંચી હતી ત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે કદાચ ગુજરાતના અનેક ભાગોમાંથી અવાર નવાર જોવા મળે છે... પાણી માટે તરસતી આંખો... મોટા ધનારાથી આગળ જવાના રસ્તે જ્યારે જમાવટની ટીમ પહોંચી ત્યારે..... 



આજે પણ અનેક કિલોમીટર સુધી પાણી ભરવા મહિલાઓ જાય છે

પાણીની વ્યવસ્થા ત્યાં રહેલા લોકોએ જાતે કરવી પડે છે... ટાંકા બંધાવ્યા છે પરંતુ તેમાં ટેન્કરથી પાણી ભરવું પડે છે અને તે પણ પોતાના પૈસાથી... ટાંકામાં રહેલા પાણીને જોઈને સવાલ થાય કે આવા પાણીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? પીવા માટે શુદ્ધ પાણી મળે તે દરેક નાગરિકનો અધિકાર છે.. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, સરહદી વિસ્તારમાં રહેતા લોકોને આજે પણ પાણી માટે કિલોમીટર દૂર જવું પડે છે.. એવા પાણીનો ઉપયોગ કરવો પડે છે પાણી પીવા માટે જેનો ઉપયોગ કરતા પહેલા સો વખત વિચારીએ.. આજે પણ કુવામાંથી પાણી લાવું પડે છે...      


નળ તો પહોંચે છે પણ પાણી નથી પહોચતું... 

મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે. નળ ખોલો અને પાણી મળી જાય.. પરંતુ વિકસિત ગણાતા આપણા ગુજરાતમાં અનેક પ્રદેશો એવા છે જે આજે પણ પીવાના પાણી માટે ઝંખે છે... અનેક દ્રશ્યો આપણી સામે છે જ્યાં પાણીના બેડા લઈને દીકરીઓને જતી જોઈ છે.. લોકોના ઘરે નળ તો પહોંચ્યા છે પરંતુ પાણી નથી પહોંચ્યું... નલ સે જલ યોજના માટે કહેવામાં આવે છે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તામાં એ કામગીરી કેવી થઈ છે તે આપણે જાણીએ છીએ... નળ તો પહોંચ્યા પરંતુ પાણી નથી પહોંચ્યું... 


આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું? 

ઈલેક્શન યાત્રા વખતે જમાવટની ટીમ કચ્છના ઉત્તરીય વિસ્તારમાં પહોંચી હતી જ્યાં લોકોની પરિસ્થિતિ જોઈ સવાલ થાય કે આ દ્રશ્યો એ ગુજરાતના છે જેને વિકસીત રાજ્ય તરીકે દર્શાવવામાં આવે છે.... જ્યારે ત્યાંના સ્થાનિકો પોતાની વાતને રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમની વેદના, તેમનો આક્રોશ તેમની વાતોમાં છલલાઈ આવતો હતો... જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને સવાલ થાય કે આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું?  


નેતાઓ પ્રચાર માટે આવે છે ત્યારે પાણી આવશે તેની સાંત્વના આપે... 

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે પ્રચાર માટે નેતાઓ તો આવતા હશેને ત્યારે ત્યાં હાજર લોકોનો તાત્પર્ય હતો કે પ્રચાર માટે આવા વિસ્તારમાં નેતાઓ ના જાય, જ્યાં વિકાસ થયો હોય ત્યાં જ નેતાઓ જાય...! અને જો કોઈ નેતા આવા વિસ્તારની મુલાકાત લેતા હોય છે તો લોકોને માત્ર સાંત્વના આપે છે.. કે કામ થઈ જશે.. કામ કરવામાં આવશે.. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ત્યાંના લોકોની પરિસ્થિતિ નથી બદલાતી... નેતાઓ વાયદા કરી જાય છે પરંતુ તેમનો અમલ નથી થતો... ધીરે ધીરે વિકાસ સરહદી વિસ્તારોમાં પહોંચી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં પણ વિકાસ જલ્દી પહોંચે તેવી આશા છે.... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.