Jamawat Ground Zero Report - કચ્છનો એક એવો વિસ્તાર જ્યાં પાણી માટે તરસી રહી છે જિંદગી,જ્યાં લોકો માને છે મોટા માણસ હોય તો કામ થઈ જાય પણ....


  • Published By :
  • Published Date : 2024-04-26 14:01:17

જો તમને કહેવામાં આવે કે પંદર-વીસ દિવસમાં એક જ કલાક પાણી આવે તો? પાણી લેવા માટે અનેક કિલોમીટર બેડા લઈને જવું પડશે તો? આ સાંભળીને અનેક લોકો વિચારતા હશે કે આવું થોડી હોય કંઈ.. પાણી તો 24 કલાક જોઈએ... મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે પરંતુ કચ્છ જેવા વિસ્તારમાં આજે પણ આ જ પરિસ્થિતિ છે... પીવાના શુદ્ધ પાણી માટે તો વલખા મારે છે પરંતુ પાણી માટે પણ તેમને અનેક કિલોમીટર સુધી જવું પડે છે.. 

જે દ્રશ્યો સામે આવ્યા તે ગુજરાતના અનેક ભાગોની વાસ્તવિક્તા! 

એક તરફ કચ્છમાં થયેલા વિકાસનો ડંકો ચારેય તરફ વગાડવામાં આવે છે... પરંતુ એક જ કચ્છના અનેક નાના ગામો એવા છે જે સવાલ પૂછે છે કે તેમના ભાગનો વિકાસ ક્યાં ગયો? જો નર્મદાનું પાણી ધોરડો સુધી પહોંચી શકે છે તો બીજા સરહદી વિસ્તારોમાં તે પાણી કેમ ના પહોંચી શકે? ઉત્તર કચ્છના અનેક ભાગોમાં જમાવટની ટીમ જ્યારે ઈલેક્શન યાત્રા માટે પહોંચી હતી ત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે કદાચ ગુજરાતના અનેક ભાગોમાંથી અવાર નવાર જોવા મળે છે... પાણી માટે તરસતી આંખો... મોટા ધનારાથી આગળ જવાના રસ્તે જ્યારે જમાવટની ટીમ પહોંચી ત્યારે..... 



આજે પણ અનેક કિલોમીટર સુધી પાણી ભરવા મહિલાઓ જાય છે

પાણીની વ્યવસ્થા ત્યાં રહેલા લોકોએ જાતે કરવી પડે છે... ટાંકા બંધાવ્યા છે પરંતુ તેમાં ટેન્કરથી પાણી ભરવું પડે છે અને તે પણ પોતાના પૈસાથી... ટાંકામાં રહેલા પાણીને જોઈને સવાલ થાય કે આવા પાણીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? પીવા માટે શુદ્ધ પાણી મળે તે દરેક નાગરિકનો અધિકાર છે.. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, સરહદી વિસ્તારમાં રહેતા લોકોને આજે પણ પાણી માટે કિલોમીટર દૂર જવું પડે છે.. એવા પાણીનો ઉપયોગ કરવો પડે છે પાણી પીવા માટે જેનો ઉપયોગ કરતા પહેલા સો વખત વિચારીએ.. આજે પણ કુવામાંથી પાણી લાવું પડે છે...      


નળ તો પહોંચે છે પણ પાણી નથી પહોચતું... 

મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે. નળ ખોલો અને પાણી મળી જાય.. પરંતુ વિકસિત ગણાતા આપણા ગુજરાતમાં અનેક પ્રદેશો એવા છે જે આજે પણ પીવાના પાણી માટે ઝંખે છે... અનેક દ્રશ્યો આપણી સામે છે જ્યાં પાણીના બેડા લઈને દીકરીઓને જતી જોઈ છે.. લોકોના ઘરે નળ તો પહોંચ્યા છે પરંતુ પાણી નથી પહોંચ્યું... નલ સે જલ યોજના માટે કહેવામાં આવે છે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તામાં એ કામગીરી કેવી થઈ છે તે આપણે જાણીએ છીએ... નળ તો પહોંચ્યા પરંતુ પાણી નથી પહોંચ્યું... 


આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું? 

ઈલેક્શન યાત્રા વખતે જમાવટની ટીમ કચ્છના ઉત્તરીય વિસ્તારમાં પહોંચી હતી જ્યાં લોકોની પરિસ્થિતિ જોઈ સવાલ થાય કે આ દ્રશ્યો એ ગુજરાતના છે જેને વિકસીત રાજ્ય તરીકે દર્શાવવામાં આવે છે.... જ્યારે ત્યાંના સ્થાનિકો પોતાની વાતને રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમની વેદના, તેમનો આક્રોશ તેમની વાતોમાં છલલાઈ આવતો હતો... જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને સવાલ થાય કે આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું?  


નેતાઓ પ્રચાર માટે આવે છે ત્યારે પાણી આવશે તેની સાંત્વના આપે... 

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે પ્રચાર માટે નેતાઓ તો આવતા હશેને ત્યારે ત્યાં હાજર લોકોનો તાત્પર્ય હતો કે પ્રચાર માટે આવા વિસ્તારમાં નેતાઓ ના જાય, જ્યાં વિકાસ થયો હોય ત્યાં જ નેતાઓ જાય...! અને જો કોઈ નેતા આવા વિસ્તારની મુલાકાત લેતા હોય છે તો લોકોને માત્ર સાંત્વના આપે છે.. કે કામ થઈ જશે.. કામ કરવામાં આવશે.. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ત્યાંના લોકોની પરિસ્થિતિ નથી બદલાતી... નેતાઓ વાયદા કરી જાય છે પરંતુ તેમનો અમલ નથી થતો... ધીરે ધીરે વિકાસ સરહદી વિસ્તારોમાં પહોંચી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં પણ વિકાસ જલ્દી પહોંચે તેવી આશા છે.... 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.