Jamawat Ground Zero Report - કચ્છનો એક એવો વિસ્તાર જ્યાં પાણી માટે તરસી રહી છે જિંદગી,જ્યાં લોકો માને છે મોટા માણસ હોય તો કામ થઈ જાય પણ....


  • Published By :
  • Published Date : 2024-04-26 14:01:17

જો તમને કહેવામાં આવે કે પંદર-વીસ દિવસમાં એક જ કલાક પાણી આવે તો? પાણી લેવા માટે અનેક કિલોમીટર બેડા લઈને જવું પડશે તો? આ સાંભળીને અનેક લોકો વિચારતા હશે કે આવું થોડી હોય કંઈ.. પાણી તો 24 કલાક જોઈએ... મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે પરંતુ કચ્છ જેવા વિસ્તારમાં આજે પણ આ જ પરિસ્થિતિ છે... પીવાના શુદ્ધ પાણી માટે તો વલખા મારે છે પરંતુ પાણી માટે પણ તેમને અનેક કિલોમીટર સુધી જવું પડે છે.. 

જે દ્રશ્યો સામે આવ્યા તે ગુજરાતના અનેક ભાગોની વાસ્તવિક્તા! 

એક તરફ કચ્છમાં થયેલા વિકાસનો ડંકો ચારેય તરફ વગાડવામાં આવે છે... પરંતુ એક જ કચ્છના અનેક નાના ગામો એવા છે જે સવાલ પૂછે છે કે તેમના ભાગનો વિકાસ ક્યાં ગયો? જો નર્મદાનું પાણી ધોરડો સુધી પહોંચી શકે છે તો બીજા સરહદી વિસ્તારોમાં તે પાણી કેમ ના પહોંચી શકે? ઉત્તર કચ્છના અનેક ભાગોમાં જમાવટની ટીમ જ્યારે ઈલેક્શન યાત્રા માટે પહોંચી હતી ત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે કદાચ ગુજરાતના અનેક ભાગોમાંથી અવાર નવાર જોવા મળે છે... પાણી માટે તરસતી આંખો... મોટા ધનારાથી આગળ જવાના રસ્તે જ્યારે જમાવટની ટીમ પહોંચી ત્યારે..... 



આજે પણ અનેક કિલોમીટર સુધી પાણી ભરવા મહિલાઓ જાય છે

પાણીની વ્યવસ્થા ત્યાં રહેલા લોકોએ જાતે કરવી પડે છે... ટાંકા બંધાવ્યા છે પરંતુ તેમાં ટેન્કરથી પાણી ભરવું પડે છે અને તે પણ પોતાના પૈસાથી... ટાંકામાં રહેલા પાણીને જોઈને સવાલ થાય કે આવા પાણીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? પીવા માટે શુદ્ધ પાણી મળે તે દરેક નાગરિકનો અધિકાર છે.. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, સરહદી વિસ્તારમાં રહેતા લોકોને આજે પણ પાણી માટે કિલોમીટર દૂર જવું પડે છે.. એવા પાણીનો ઉપયોગ કરવો પડે છે પાણી પીવા માટે જેનો ઉપયોગ કરતા પહેલા સો વખત વિચારીએ.. આજે પણ કુવામાંથી પાણી લાવું પડે છે...      


નળ તો પહોંચે છે પણ પાણી નથી પહોચતું... 

મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે. નળ ખોલો અને પાણી મળી જાય.. પરંતુ વિકસિત ગણાતા આપણા ગુજરાતમાં અનેક પ્રદેશો એવા છે જે આજે પણ પીવાના પાણી માટે ઝંખે છે... અનેક દ્રશ્યો આપણી સામે છે જ્યાં પાણીના બેડા લઈને દીકરીઓને જતી જોઈ છે.. લોકોના ઘરે નળ તો પહોંચ્યા છે પરંતુ પાણી નથી પહોંચ્યું... નલ સે જલ યોજના માટે કહેવામાં આવે છે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તામાં એ કામગીરી કેવી થઈ છે તે આપણે જાણીએ છીએ... નળ તો પહોંચ્યા પરંતુ પાણી નથી પહોંચ્યું... 


આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું? 

ઈલેક્શન યાત્રા વખતે જમાવટની ટીમ કચ્છના ઉત્તરીય વિસ્તારમાં પહોંચી હતી જ્યાં લોકોની પરિસ્થિતિ જોઈ સવાલ થાય કે આ દ્રશ્યો એ ગુજરાતના છે જેને વિકસીત રાજ્ય તરીકે દર્શાવવામાં આવે છે.... જ્યારે ત્યાંના સ્થાનિકો પોતાની વાતને રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમની વેદના, તેમનો આક્રોશ તેમની વાતોમાં છલલાઈ આવતો હતો... જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને સવાલ થાય કે આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું?  


નેતાઓ પ્રચાર માટે આવે છે ત્યારે પાણી આવશે તેની સાંત્વના આપે... 

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે પ્રચાર માટે નેતાઓ તો આવતા હશેને ત્યારે ત્યાં હાજર લોકોનો તાત્પર્ય હતો કે પ્રચાર માટે આવા વિસ્તારમાં નેતાઓ ના જાય, જ્યાં વિકાસ થયો હોય ત્યાં જ નેતાઓ જાય...! અને જો કોઈ નેતા આવા વિસ્તારની મુલાકાત લેતા હોય છે તો લોકોને માત્ર સાંત્વના આપે છે.. કે કામ થઈ જશે.. કામ કરવામાં આવશે.. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ત્યાંના લોકોની પરિસ્થિતિ નથી બદલાતી... નેતાઓ વાયદા કરી જાય છે પરંતુ તેમનો અમલ નથી થતો... ધીરે ધીરે વિકાસ સરહદી વિસ્તારોમાં પહોંચી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં પણ વિકાસ જલ્દી પહોંચે તેવી આશા છે.... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે