Jamawat Ground Zero Report - કચ્છનો એક એવો વિસ્તાર જ્યાં પાણી માટે તરસી રહી છે જિંદગી,જ્યાં લોકો માને છે મોટા માણસ હોય તો કામ થઈ જાય પણ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-26 14:01:17

જો તમને કહેવામાં આવે કે પંદર-વીસ દિવસમાં એક જ કલાક પાણી આવે તો? પાણી લેવા માટે અનેક કિલોમીટર બેડા લઈને જવું પડશે તો? આ સાંભળીને અનેક લોકો વિચારતા હશે કે આવું થોડી હોય કંઈ.. પાણી તો 24 કલાક જોઈએ... મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે પરંતુ કચ્છ જેવા વિસ્તારમાં આજે પણ આ જ પરિસ્થિતિ છે... પીવાના શુદ્ધ પાણી માટે તો વલખા મારે છે પરંતુ પાણી માટે પણ તેમને અનેક કિલોમીટર સુધી જવું પડે છે.. 

જે દ્રશ્યો સામે આવ્યા તે ગુજરાતના અનેક ભાગોની વાસ્તવિક્તા! 

એક તરફ કચ્છમાં થયેલા વિકાસનો ડંકો ચારેય તરફ વગાડવામાં આવે છે... પરંતુ એક જ કચ્છના અનેક નાના ગામો એવા છે જે સવાલ પૂછે છે કે તેમના ભાગનો વિકાસ ક્યાં ગયો? જો નર્મદાનું પાણી ધોરડો સુધી પહોંચી શકે છે તો બીજા સરહદી વિસ્તારોમાં તે પાણી કેમ ના પહોંચી શકે? ઉત્તર કચ્છના અનેક ભાગોમાં જમાવટની ટીમ જ્યારે ઈલેક્શન યાત્રા માટે પહોંચી હતી ત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે કદાચ ગુજરાતના અનેક ભાગોમાંથી અવાર નવાર જોવા મળે છે... પાણી માટે તરસતી આંખો... મોટા ધનારાથી આગળ જવાના રસ્તે જ્યારે જમાવટની ટીમ પહોંચી ત્યારે..... 



આજે પણ અનેક કિલોમીટર સુધી પાણી ભરવા મહિલાઓ જાય છે

પાણીની વ્યવસ્થા ત્યાં રહેલા લોકોએ જાતે કરવી પડે છે... ટાંકા બંધાવ્યા છે પરંતુ તેમાં ટેન્કરથી પાણી ભરવું પડે છે અને તે પણ પોતાના પૈસાથી... ટાંકામાં રહેલા પાણીને જોઈને સવાલ થાય કે આવા પાણીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? પીવા માટે શુદ્ધ પાણી મળે તે દરેક નાગરિકનો અધિકાર છે.. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, સરહદી વિસ્તારમાં રહેતા લોકોને આજે પણ પાણી માટે કિલોમીટર દૂર જવું પડે છે.. એવા પાણીનો ઉપયોગ કરવો પડે છે પાણી પીવા માટે જેનો ઉપયોગ કરતા પહેલા સો વખત વિચારીએ.. આજે પણ કુવામાંથી પાણી લાવું પડે છે...      


નળ તો પહોંચે છે પણ પાણી નથી પહોચતું... 

મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે. નળ ખોલો અને પાણી મળી જાય.. પરંતુ વિકસિત ગણાતા આપણા ગુજરાતમાં અનેક પ્રદેશો એવા છે જે આજે પણ પીવાના પાણી માટે ઝંખે છે... અનેક દ્રશ્યો આપણી સામે છે જ્યાં પાણીના બેડા લઈને દીકરીઓને જતી જોઈ છે.. લોકોના ઘરે નળ તો પહોંચ્યા છે પરંતુ પાણી નથી પહોંચ્યું... નલ સે જલ યોજના માટે કહેવામાં આવે છે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તામાં એ કામગીરી કેવી થઈ છે તે આપણે જાણીએ છીએ... નળ તો પહોંચ્યા પરંતુ પાણી નથી પહોંચ્યું... 


આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું? 

ઈલેક્શન યાત્રા વખતે જમાવટની ટીમ કચ્છના ઉત્તરીય વિસ્તારમાં પહોંચી હતી જ્યાં લોકોની પરિસ્થિતિ જોઈ સવાલ થાય કે આ દ્રશ્યો એ ગુજરાતના છે જેને વિકસીત રાજ્ય તરીકે દર્શાવવામાં આવે છે.... જ્યારે ત્યાંના સ્થાનિકો પોતાની વાતને રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમની વેદના, તેમનો આક્રોશ તેમની વાતોમાં છલલાઈ આવતો હતો... જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને સવાલ થાય કે આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું?  


નેતાઓ પ્રચાર માટે આવે છે ત્યારે પાણી આવશે તેની સાંત્વના આપે... 

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે પ્રચાર માટે નેતાઓ તો આવતા હશેને ત્યારે ત્યાં હાજર લોકોનો તાત્પર્ય હતો કે પ્રચાર માટે આવા વિસ્તારમાં નેતાઓ ના જાય, જ્યાં વિકાસ થયો હોય ત્યાં જ નેતાઓ જાય...! અને જો કોઈ નેતા આવા વિસ્તારની મુલાકાત લેતા હોય છે તો લોકોને માત્ર સાંત્વના આપે છે.. કે કામ થઈ જશે.. કામ કરવામાં આવશે.. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ત્યાંના લોકોની પરિસ્થિતિ નથી બદલાતી... નેતાઓ વાયદા કરી જાય છે પરંતુ તેમનો અમલ નથી થતો... ધીરે ધીરે વિકાસ સરહદી વિસ્તારોમાં પહોંચી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં પણ વિકાસ જલ્દી પહોંચે તેવી આશા છે.... 



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.