જમાવટ આજે તમને એક સવાલ કરે છે, તેનો જવાબ તમારી પાસે છે?


  • Published By :
  • Published Date : 2023-03-19 14:15:18

મહાઠગ કિરણ પટેલનો મામલો બહાર આવતાં જ આખા દેશમાં હંગામો મચી ગયો છે. કિરણ પટેલે એકલા હાથે કરેલા આ મસમોટા કારસ્તાનથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. લોકો આ બાબતને ખુબ જ હળવાશથી લઈ રહ્યા છે. કિરણ પટેલે દેશની સુરક્ષા સિસ્ટમ, ઉચ્ચ અધિકારીઓ, તપાસ એજન્સીઓને રીતસર મામુ બનાવી છે. હવે સવાલ એ થાય છે કે કિરણ પટેલના સ્થાને લઘુમતી સમુદાયનો કોઈ યુવાન કાસબ પઠાણ હોત તો? સરકારની પ્રતિક્રિયા શું હોત?


કિરણ પટેલના સ્થાને કાસબ પઠાણ હોત તો?


કિરણ પટેલે કાશ્મિરમાં છ મહિના સુધી ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને સરકારી ખર્ચે તાગડધિન્ના કર્યા છે. જામરવાળી અને બુલેટ પ્રુફ ગાડીઓમાં કાશ્મિરના અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ચુકેલા આ કિરણ પટેલના સ્થાને જો તેનું નામ કાસબ પઠાણ નામ હોત તો સરકારની એજન્સીઓએ તેની સામે કેવી કલમો લગાવી હોત. સામાન્ય લોકોની પ્રતિક્રીયા પણ કેવી રહેત તે સમજી શકાય તેવું છે. મીડિયાએ પણ તે સમાચારને એક અલગ જ એન્ગલથી રજુ કર્યા હોત. આપણે ત્યાં સામાન્ય માનસિક્તા એવી છે કે લોકો આ પ્રકારની ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિમાં પણ ધર્મ, જાત, વર્ણ શોધે છે અને તે પ્રમાણે તેમનું વલણ નક્કી કરે છે. 


કિરણ પટેલનો મુદ્દો સંવેદનશીલ કેમ?


કિરણ પટેલનું નામ ઠગાઈમાં સામે આવતાં જ ગુજરાતના રાજકારણ અને સેલિબ્રિટી જગતમાં હલચલ મચી ગઈ છે. કિરણ પટેલ ભાજપના અનેક નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સલિબ્રિટીઓ સાથે ફોટો પડાવીને રોફ જમાવતો હતો. તેણે કાશ્મિરમાં પીએમઓના એડિશનલ અધિકારી તરીકે ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને છ મહિના સુધી તાગડધિન્ના કર્યા છે. આ ખુબ જ મહત્વનો મુદ્દો છે, તેને આમ મજાકમાં લઈ શકાય નહીં.


અત્રે ઉલ્લેખનિય છે કે કિરણ પટેલ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની છે. ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ સોસાયટીમાં રહેતા મહાઠગ કિરણ પટેલે હાલ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.