જમાવટ આજે તમને એક સવાલ કરે છે, તેનો જવાબ તમારી પાસે છે?


  • Published By :
  • Published Date : 2023-03-19 14:15:18

મહાઠગ કિરણ પટેલનો મામલો બહાર આવતાં જ આખા દેશમાં હંગામો મચી ગયો છે. કિરણ પટેલે એકલા હાથે કરેલા આ મસમોટા કારસ્તાનથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. લોકો આ બાબતને ખુબ જ હળવાશથી લઈ રહ્યા છે. કિરણ પટેલે દેશની સુરક્ષા સિસ્ટમ, ઉચ્ચ અધિકારીઓ, તપાસ એજન્સીઓને રીતસર મામુ બનાવી છે. હવે સવાલ એ થાય છે કે કિરણ પટેલના સ્થાને લઘુમતી સમુદાયનો કોઈ યુવાન કાસબ પઠાણ હોત તો? સરકારની પ્રતિક્રિયા શું હોત?


કિરણ પટેલના સ્થાને કાસબ પઠાણ હોત તો?


કિરણ પટેલે કાશ્મિરમાં છ મહિના સુધી ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને સરકારી ખર્ચે તાગડધિન્ના કર્યા છે. જામરવાળી અને બુલેટ પ્રુફ ગાડીઓમાં કાશ્મિરના અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ચુકેલા આ કિરણ પટેલના સ્થાને જો તેનું નામ કાસબ પઠાણ નામ હોત તો સરકારની એજન્સીઓએ તેની સામે કેવી કલમો લગાવી હોત. સામાન્ય લોકોની પ્રતિક્રીયા પણ કેવી રહેત તે સમજી શકાય તેવું છે. મીડિયાએ પણ તે સમાચારને એક અલગ જ એન્ગલથી રજુ કર્યા હોત. આપણે ત્યાં સામાન્ય માનસિક્તા એવી છે કે લોકો આ પ્રકારની ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિમાં પણ ધર્મ, જાત, વર્ણ શોધે છે અને તે પ્રમાણે તેમનું વલણ નક્કી કરે છે. 


કિરણ પટેલનો મુદ્દો સંવેદનશીલ કેમ?


કિરણ પટેલનું નામ ઠગાઈમાં સામે આવતાં જ ગુજરાતના રાજકારણ અને સેલિબ્રિટી જગતમાં હલચલ મચી ગઈ છે. કિરણ પટેલ ભાજપના અનેક નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સલિબ્રિટીઓ સાથે ફોટો પડાવીને રોફ જમાવતો હતો. તેણે કાશ્મિરમાં પીએમઓના એડિશનલ અધિકારી તરીકે ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને છ મહિના સુધી તાગડધિન્ના કર્યા છે. આ ખુબ જ મહત્વનો મુદ્દો છે, તેને આમ મજાકમાં લઈ શકાય નહીં.


અત્રે ઉલ્લેખનિય છે કે કિરણ પટેલ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની છે. ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ સોસાયટીમાં રહેતા મહાઠગ કિરણ પટેલે હાલ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. 



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.