જમાવટ આજે તમને એક સવાલ કરે છે, તેનો જવાબ તમારી પાસે છે?


  • Published By :
  • Published Date : 2023-03-19 14:15:18

મહાઠગ કિરણ પટેલનો મામલો બહાર આવતાં જ આખા દેશમાં હંગામો મચી ગયો છે. કિરણ પટેલે એકલા હાથે કરેલા આ મસમોટા કારસ્તાનથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. લોકો આ બાબતને ખુબ જ હળવાશથી લઈ રહ્યા છે. કિરણ પટેલે દેશની સુરક્ષા સિસ્ટમ, ઉચ્ચ અધિકારીઓ, તપાસ એજન્સીઓને રીતસર મામુ બનાવી છે. હવે સવાલ એ થાય છે કે કિરણ પટેલના સ્થાને લઘુમતી સમુદાયનો કોઈ યુવાન કાસબ પઠાણ હોત તો? સરકારની પ્રતિક્રિયા શું હોત?


કિરણ પટેલના સ્થાને કાસબ પઠાણ હોત તો?


કિરણ પટેલે કાશ્મિરમાં છ મહિના સુધી ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને સરકારી ખર્ચે તાગડધિન્ના કર્યા છે. જામરવાળી અને બુલેટ પ્રુફ ગાડીઓમાં કાશ્મિરના અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ચુકેલા આ કિરણ પટેલના સ્થાને જો તેનું નામ કાસબ પઠાણ નામ હોત તો સરકારની એજન્સીઓએ તેની સામે કેવી કલમો લગાવી હોત. સામાન્ય લોકોની પ્રતિક્રીયા પણ કેવી રહેત તે સમજી શકાય તેવું છે. મીડિયાએ પણ તે સમાચારને એક અલગ જ એન્ગલથી રજુ કર્યા હોત. આપણે ત્યાં સામાન્ય માનસિક્તા એવી છે કે લોકો આ પ્રકારની ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિમાં પણ ધર્મ, જાત, વર્ણ શોધે છે અને તે પ્રમાણે તેમનું વલણ નક્કી કરે છે. 


કિરણ પટેલનો મુદ્દો સંવેદનશીલ કેમ?


કિરણ પટેલનું નામ ઠગાઈમાં સામે આવતાં જ ગુજરાતના રાજકારણ અને સેલિબ્રિટી જગતમાં હલચલ મચી ગઈ છે. કિરણ પટેલ ભાજપના અનેક નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સલિબ્રિટીઓ સાથે ફોટો પડાવીને રોફ જમાવતો હતો. તેણે કાશ્મિરમાં પીએમઓના એડિશનલ અધિકારી તરીકે ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને છ મહિના સુધી તાગડધિન્ના કર્યા છે. આ ખુબ જ મહત્વનો મુદ્દો છે, તેને આમ મજાકમાં લઈ શકાય નહીં.


અત્રે ઉલ્લેખનિય છે કે કિરણ પટેલ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની છે. ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ સોસાયટીમાં રહેતા મહાઠગ કિરણ પટેલે હાલ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.