Jamawat News Bulletin - લોકસભા ચૂંટણીને લઈ Chaitar Vasavaનો હુંકાર, Farmer Protestના સમર્થનમાં પંજાબમાં ખેડૂતોએ કર્યું રેલ રોકો આંદોલન...


  • Published By :
  • Published Date : 2024-02-15 17:01:33

રાજ્ય સભા માટે ગુજરાતના ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. ગઈકાલે ભાજપ દ્વારા રાજ્ય સભા માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા તેમજ જશવંતસિંહ પરમારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ચારેય ઉમેદવારોએ આજે ચૂંટણી ફોર્મ ભર્યું હતું. ગુજરાત આવેલા જે.પી.નડ્ડાનું સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલે કર્યું હતું. મોટી સંખ્યામાં સમર્થકો પણ ત્યાં ઉપસ્થિત હતા. જે. પી. નડ્ડાએ કહ્યું કે ગુજરાતથી રાજ્ય સભાના ઉમેદવાર બનવાની તક મળી તે તેમના માટે ગૌરવની વાત છે. મહત્વનું છે કે ગુજરાતના ચાર રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.

    


ચૈતર વસાવાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર     

લોકસભા ચૂંટણીને લઈ દરેક પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને ઉતારવાના છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. જ્યારે ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ ત્યારે તે જેલમાં હતા. પરંતુ  તે પોતાના સમર્થકોને પ્રચાર કરવા માટે કહી રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ જાણે પ્રચારની કમાન સંભાળી લીધી હોય તેવું લાગે છે. લોકોની વચ્ચે ચૈતર વસાવા જઈ રહ્યા છે. ત્યારે જનસભાને ચૈતર વસાવાએ સંબોધી હતી અને તેમાં ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. 


હિટ એન્ડ રનની ઘટનામાં થયા ત્રણ લોકોના મોત 

રાજ્યમાં ફરીથી એક હિટ એન્ડ રનની ઘટના બની છે. પદયાત્રા કરી રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે અને જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બહુચરાજીના અંબાળા ગામથી પગપાળા સંઘ વરાણા જઈ રહ્યો હતો જેમાં 40 લોકો હતા. ત્યારે ચાણસ્મા હાઈવે દાંતરવાડા પાસે યાત્રિકો પર ટ્રક ફરી વળ્યો અને લોકોને પોતાની નીચે કચડીને નીકળી ગયો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને એવી માહિતી સામે આવી છે કે ઘાયલ લોકોમાંથી અનેક લોકોની હાલત ગંભીર છે. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ફરાર છે. મહત્વનું છે કે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. 


ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક  

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી રદ્દ કર્યા છે. આ કેન્દ્રની મોદી સરકાર માટે મોટો ઝટકો છે. વર્ષ 2018માં નરેન્દ્ર મોદી સરકારે આ યોજના શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટએ એસબીઆઈને વર્ષ 2019થી આ અંગે જાણકારી આપવાનું કહ્યું છે. તે ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પણ રાજકીય પાર્ટીઓને મળેલા તમામ ફંડને જાહેર કરવાનું પણ કહ્યું છે. બિઝનેશ હાઉસથી લઈને અન્ય લોકો પણ પાર્ટીઓને ફંડ આપે છે. આવો જાણીએ કે વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું હતું. વર્ષ 2017માં આ સ્કીમને લાવવામાં આવી હતી.  ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતાં સુપ્રીમકોર્ટે એસબીઆઇને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમમ જાણકારી જાહેર કરે. તેના માટે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

પંજાબમાં ખેડૂતોએ કર્યું રેલ રોકો આંદોલન!

જગતના તાતે ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. પોતાની 12 માગો સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષાબળોનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. ખેડૂતોને રોકવા માટે બેરિકેટ, મોટા મોટા ખિલ્લાઓ મૂકી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે સાંજના સમયે ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક થવાની છે. આ બેઠકમાં ત્રણ મંત્રીઓ સામેલ થશે તેવી માહિતી સામે આવી છે. આવતી કાલે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. પંજાબમાં ખેડૂતોએ આજે રેલ રોકો આંદોલન કર્યું હતું, રેલવે ટ્રેક પર અનેક ખેડૂતો બેસી ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.    




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.