Jamawat News Bulletin : Ram Mandirમાં ભક્તોએ કર્યું કરોડોનું દાન, Gujaratમાં આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું....


  • Published By :
  • Published Date : 2024-01-25 10:52:49

બોક્સિંગમાંથી ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે સન્યાસ લેવાની જાહેરાત કરી છે તેવી માહિતી સામે આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ઉંમરને કારણે તેમણે સન્યાસ લીધો છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે તે સન્યાસ નથી લેવાના. માહિતી પ્રમાણે ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એટલે કે IBA પુરૂષ અને મહિલા બોક્સરોને 40 વર્ષની ઉંમર સુધી જ રમતમાં ભાગ લેવાની પરવાનગી આપે છે. અને મેરી કોમની ઉંમર 40 ઉપરની છે જેને કારણે તેમને સન્યાસ લેવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે. એક ઈવેન્ટમાં તેમણે આ અંગેની વાત કરતા જણાવ્યું હતું કે તેમની ઉંમરને કારણે તેમને પરવાનગી આપવામાં આવી રહી નથી. મહત્વનું છે કે મેરી કોમ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે.2012ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ મેડલ જીત્યો છે.


અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આપી શકે છે પદ પરથી રાજીનામું

લોકસભા ચૂંટણી અંગેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. રાજકીય પાર્ટી દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આજે પણ વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. નામ અંગેની ચર્ચા કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાની અટકળો ચાલી. તો બીજી તરફ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને લઈ ચર્ચાઓ તેજ બની. તે ઉપરાંત કોંગ્રેસના જ બીજા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ધર્મેન્દ્રસિંહ અધ્યક્ષને આજે રાજીનામું સોંપશે.    


કરોડો રૂપિયાનું ભક્તોએ કર્યું દાન

22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. અનેક દાયકા બાદ આ ક્ષણ આવી હતી જ્યારે મંદિરમાં ભગવાન રામની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી હતી. સામાન્ય લોકો માટે મંદિરના દ્વાર 23 જાન્યુઆરીથી ખોલવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની પડાપડી જોવા મળી હતી. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અયોધ્યા આવી પહોંચ્યા હતા પ્રથમ દિવસે ચારથી પાંચ લાખ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો અને બીજા દિવસે પણ ભક્તોનો માનવમહેરામણ અયોધ્યમાં જોવા મળ્યો હતો. ભક્તોએ મંદિરમાં દિલ ખોલીને દાન કર્યું હતું. મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસે 3.17 કરોડ રૂપિયાનું દાન મંદિરમાં કરવામાં આવ્યું હતું. 7.5 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. 

આપ અને ટીમએસીએ ચૂંટણી પહેલા કરી મહત્વની જાહેરાત

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી માટે આ ગઠબંધન કરવામાં આવ્યું હતું પરંતુ ચૂંટણી આવે તેની પહેલા જ જાણે ગઠબંધનમાં ડખા શરૂ થઈ ગયા છે. મમતા બેનર્જીએ એવી જાહેરાત કરી કે ટીએમસી પાર્ટી પશ્ચિમ બંગાળમાં એકલી ચૂંટણી લડશે. આની ચર્ચાઓ હજી પૂર્ણ નથી થઈ ત્યાં તો સમાચાર આવ્યા કે પંજાબમાં પણ આમ આદમી પાર્ટી એકલી ચૂંટણી લડશે.        


આવનાર દિવસોમાં ઘટી શકે છે ઠંડીનું જોર

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું જોર વધી ગયું છે. ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે પરંતુ આવનાર દિવસોમાં ઠંડીનું જોર ઘટી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનમાં ઘટાડો નહીં પરંતુ વધારો થઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં  ઠંડીનું જોર ઘટી જશે તેવી માહિતી સામે આવી છે. જો નોંધાયેલા તાપમાન અંગેની વાત કરીએ તો નલિયામાં તાપમાન 9.5 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે અન્ય 8 શહેરોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચું નોંધાયુ હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની વાત કરવામાં આવી છે. અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.