Jamawat News Bulletin : Corruption Indexમાં ભારત 93મા ક્રમે, આવતી કાલે નાણા મંત્રી બજેટ રજૂ કરશે...


  • Published By :
  • Published Date : 2024-01-31 09:08:07

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે અધિકારીઓની બદલી કરવામાં આવે છે. આ વર્ષે પણ ચૂંટણી પહેલા ગુજરાતના 50 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. અધિકારીઓની બદલી જે કરવામાં આવી છે તે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંક્ષિપ્તમાં વાત કરીએ તો અમદાવાદના ડીડીઓ એમ.જે. દવેને ગાંધીનગરના કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જીટી પંડ્યા જે પહેલા મોરબીના કલેક્ટર હતા તેમની બદલી દ્વારકાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. ખેડા કલેક્ટર તરીકેની જવાબદારી અમિત પ્રકાશ યાદવને સોંપવામાં આવી છે. સુરતના કલેક્ટર તરીકે સૌરભ પારધીને જ્યારે વડોદરાના કલેક્ટર તરીકે બી.એ.શાહને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તેમજ 29 મામલતદારોની બદલી કરવામાં આવી છે. 

અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક ભયંકર રોડ અકસ્માત મેક્સિકોમાં થયો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉત્તર મેક્સિકોમાં આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને 19 લોકોના મોત થઈ ગયા હોવાની વાત સામે આવી છે. ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મોતનો આંકડો વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


દેશના બજેટ પર સૌ કોઈની નજર છે. આવતી કાલે સંસદમાં બજેટ રજૂ થવાનું છે. વતર્માન લોકસભાનું આ અંતિમ બજેટ સત્ર હશે. પહેલી ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. એવી માહિતી પણ સામે આવી છે કે જમ્મુ કાશ્મીર માટે પણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન બાદ આ સત્રનો પ્રારંભ થશે. મહત્વનું છે કે ગઈકાલે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કરપ્શન આ શબ્દ સાંભળવો જાણે સામાન્ય થઈ ગયો છે. એવું માનીએ છીએ કે કોઈ પણ સરકારી કામ કરાવું હોય તો પૈસા ખવડાવવા પડશે! એવું લાગતું હતું કે નોટબંધીને કારણે કરપ્શનમાં ઘટાડો થશે પરંતુ કદાચ આ વાત ખોટી સાબિત થયું હોય તેવું લાગે છે. કરપ્શનમાં ઘટાડો થશે તેવું લાગતું હતું પરંતુ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચારમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. વિશ્વના 180 દેશોમાં કરપ્શનના આધારે એક રેન્કિંગ આપવામાં આવ્યું છે જેમાં ભારત 93મા સ્થાન પર છે. વર્ષ 2023માં ભારતને 39નો સ્કોર મળ્યો હતો અને 93મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. ત્યાંની સ્થિતિ સામાન્ય થવાને બદલે ખરાબ થઈ રહી છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરીથી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું, ગોળીબારીની ઘટના બની હતી અને આ ઘટનામાં બે લોકોના મોત પણ થઈ ગયા હોવાનું સામે આવ્યા છે. બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે 18 જાન્યુઆરીએ પણ મણિપુરમાં હિંસા ભડકી ઉઠી હતી.




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.