Jamawat News Bulletin - સરકારી ચોપડે રાજ્યમાં નોંધાયા આટલા બેરોજગારો, ખેડૂતો આજે ફરીથી કરશે દિલ્હી તરફ કૂચ...


  • Published By :
  • Published Date : 2024-02-14 09:17:50

એક તરફ યુવાનોને રોજગારી મળી રહી છે તેવી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ વાસ્તવિક્તામાં અનેક યુવાનો બેરોજગાર છે. આપણા ઓળખીતાઓમાં પણ એવા હશે જેમને નોકરી નહીં મળી હોય! અનેક યુવાનો શિક્ષિત બેરોજગાર છે. ત્યારે રાજ્યમાં કેટલા લોકો બેરોજગાર છે તેનો આંકડો વિધાનસભામાં પેશ કરાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશ તેમજ રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગારીઓની વાત કરીએ તો તે આંકડો છે 2 લાખ 38 હજાર 978... 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયા છે. મહત્વનું છે કે સરકારી ચોપડે બેરોજગારી ઘટી છે તેવા દાવા કરવામાં આવ્યા છે. વિધાનસભામાં જણાવામાં આવેલા આંકડા અનુસાર કેન્દ્રનો બેરોજગારી દર 4.3 ટકાથી ઘટીને 3.7 ટકા થયો છે જ્યારે રાજ્યમાં બેરોજગારીનો દર 2.2 ટકાથી ઘટીને 1.7 ટકા થયો છે...


ઉમેશ મકવાણા બન્યા ભાવગર લોકસભા સીટના દાવેદાર!

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાવનગર લોકસભા બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. તે વખતે ચૈતર વસાવાના નામની જાહેરાત ભરૂચ લોકસભા સીટ માટે કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. બોટાદના ધારાસભ્યને ભાવનગર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાન માટે ઉતાર્યા છે.    


ખેડૂતો આજે ફરીથી દિલ્હી તરફ કરશે કૂચ  

છેલ્લા કેટલાય દિવસોથી જગતના તાત પોતાની માગને લઈ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે. બોર્ડરો સિલ કરી દેવામાં આવી છે. ગઈકાલે હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. બોર્ડર પર મોટા મોટા ખીલ્લાઓ મૂકવામાં આવ્યા છે. સિમેન્ટના બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે. ખેડૂતોએ બેરિકેટ તોડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા જેને કારણે અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આજે પણ ઘર્ષણના કિસ્સાઓ બની શકે છે તેવી શક્યતાઓ છે. આંદોલનને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. 


સોનિયા ગાંધી આજે નોંધાવી શકે છે ઉમેદવારી 

કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર સોમવારે ચર્ચા કરી હતી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને ખજાનચી અજય માકનનું નામ સૌથી ટોચ પર છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે રાજસ્થાન કે હિમાચલ પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટીએ બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્ય સભાની એક-એક સીટ મળશે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019એ થયો હતો આતંકી હુમલો 

14 ફેબ્રુઆરીના દિવસે અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. પ્રેમનો દિવસ 14 ફેબ્રુઆરીને માનવામાં આવે છે. પરંતુ ભારત દેશના સેનાના જવાન માટે તેમજ ભારત દેશ માટે વર્ષ 2019ની 14 ફેબ્રુઆરી કાળો દિવસ સાબિત થયો હતો. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં આંતકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો અને ભારત દેશે આ દિવસે પોતાના 40 વીર સંતાનોને ગુમાવ્યા હતા. ત્યારે દેશ માટે પોતાના પ્રાણ આપનાર દેશના વીર જવાનોને યાદ કરીએ...   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.