જમાવટની ટીમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને પૂછ્યા આકરા સવાલ.. જાણો જમાવટના પ્રશ્નોના યુવરાજસિંહે શું આપ્યા જવાબ..


  • Published By :
  • Published Date : 2023-04-15 12:00:16

પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા આ મામલે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં અનેક લોકો પર નામ સાથે આરોપ લગાવ્યો હતો. જે બાદ ગઈકાલે ભાવનગર પોલીસ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ ગેરરીતિમાં સંડોવાયેલા 36 લોકો વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી. પરંતુ આ મામલે અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે.જેમ કે યુવરાજસિંહ પાસે દરેક માહિતી પહેલા કેવી રીતે આવી જાય છે, ઉપરાંત જો તમારી પાસે પુરાવા હોય છે તો કેમ સરકાર સમક્ષ પુરાવા પહેલા રજૂ કરવામાં નથી આવતા પહેલા પત્રકાર પરિષદ કરવામાં આવે છે?  


યુવરાજસિંહ પાસે માહિતી કેવી રીતે પહેલા પહોંચી જાય છે? 

અનેક લોકોના મનમાં એવા પ્રશ્નો થતાં હોય છે કે યુવરાજસિંહ પાસે આ બધી માહિતી પહેલા કેવી રીતે પહોંચતી હોય છે? એવા તો તેમના કેવા સૂત્રો છે જે તેમને આ માહિતી આપતા હોય છે. આ આકરા પ્રશ્ન જમાવટની ટીમે તેમને આ પૂછ્યા હતા. આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ તેમને આ અંગેની માહિતી આપતા હોય છે. સરકારી તંત્ર પર ભરોસો નહીં હોય અને મારી પર ભરોસો હશે જેને લઈ વિદ્યાર્થીઓ આ માહિતી મને પહોંચાડે છે. જવાબ આપતા તેમણે પોતાના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. આ કિસ્સામાં તેમને આખા પ્રકરણની જાણ થઈ તેવી વાત યુવરાજસિંહે કરી હતી. 


કેમ સરકારને ડાયરેક્ટ જાણ કરવાની બદલી પ્રેસ કોન્ફરન્સ કરી પુરાવા રજૂ કરે  છે?  

એવો પ્રશ્ન એ થાય કે કેમ યુવરાજસિંહ પુરાવા હોવા છતાં આવી માહિતી કેમ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તે આપે છે. સરકારને કેમ ડાયરેક્ટ પુરાવા રજૂ નથી કરતા? આ પ્રશ્ન યુવરાજસિંહને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સરકાર ઉપરનો ભરોસો સરકાર ખોઈ બેસી છે. અનેક વખત પેપર લીક થયા છે પરંતુ તેને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ વિદ્યાર્થીઓનો સરકાર પરથી ભરોસો ડગી ગયો હતો.  કારણ આપતા તેમણે કહ્યું ભૂતકાળમાં અનુભવ કરી ચૂક્યો છું. સરકારને પૂરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને કારણે તે પ્રેસ કરે છે અને પબ્લીક પ્રેશર આવે છે જે બાદ કાર્યવાહી કરવામાં આવે છે. 


શું યુવરાજસિંહ નામ હોવા છતાં પણ અનેક લોકોના નામ જાહેર નથી કરતા?  

તે ઉપરાંત યુવરાજસિંહ પર માહિતી છૂપાવવાના હોવાના આક્ષેપો પણ લાગતા રહે છે. યુવરાજસિંહ પાસે માહિતી હોય છે નામ પણ હોય છે પરંતુ તો પણ તે જાહેર નથી કરતા? આ પ્રશ્નો જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યાં સુધી ક્રોસ વેરિફિકેશન વાળી માહિતી ન હોય ત્યાં સુધી તે નામોને જગજાહેર નથી કરતા. કોઈ વખત ગામોમાં અંગત અદાવતને કારણે પણ અનેક લોકો અનેક વ્યક્તિના નામ આપી દેતા હોય છે. એટલે જ્યાં સુધી આ મામલે ક્રોસ વેરિફિકેશન નથી થતું, જ્યાં સુધી પૂરાવા અને માહિતી સાચી હોવાની વાત તેમને નથી લાગતી ત્યાં સુધી તેઓ નામ જાહેર નથી કરતા.  


શું યુવરાજસિંહ પોતાના સમાજને છોડી બીજા સમાજને ટાર્ગેટ કરે છે? 

અનેક વખત એવા પ્રશ્નો પણ લોકોના મનમાં ઉભા થાય છે કે યુવરાજસિંહ પોતાના સમાજને છોડી બીજા સમાજને ટાર્ગેટ કરે છે. આ પ્રશ્ન જ્યારે તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે કોઈ પણ સમાજને ટાર્ગેટ નથી કરી રહ્યા. જ્યારે પણ પેપર ફૂંટ્યું છે ત્યારે આ ગામથી આ જગ્યાએથી પેપર ફૂટ્યું છે તે બતાવ્યું છે. આ મુદ્દો સામાજીક મુદ્દો જ નથી. વિદ્યાર્થીઓ કોઈ સમાજના નથી. વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે હોય છે. ગુન્હામાં નાતી-જાતિ જોઈ જ નથી.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે