Jamawatની ટીમે કરી Valsad Loksabha Seatના ઉમેદવાર Dhaval Patel સાથે વાત, શું Anant Patel છે તેમના માટે પડકાર? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-08 17:37:54

લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો પર મતદાન થયું.. ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી અને અનેક બેઠકો એવી હતી જે અનેક વખત આ ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી. વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. 

ધવલ પટેલ સાથે જમાવટની ટીમે કરી વાત ત્યારે..

જમાવટની ટીમે જનતા વતી અનેક ઉમેદવારોને ફોન કર્યા હતા તેમનું વિઝન જાણવા. ત્યારે મતદાન બાદ ઉમેદવારને એ જાણવા ફોન કર્યો હતો કે મતદાન બાદ શું તેમને પડકાર લાગે છે? ધવલ પટેલ સાથે મતદાન પૂર્ણ થયા બાદ ફોન પર વાત કરી હતી અને મતદાન બાદ તેમને શું લાગે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. વલસાડમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. ગામડાના લોકો મતદાન કરવા માટે નિકળ્યા હતા. મતદાન બાદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે સાતેય સાત વિધાનસભા વિસ્તારમાં પીએમ મોદી માટે ઉત્સાહ, આનંદ જોયો છે.. તેમના તરફી મતદાન થયું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.


કોંગ્રેસ માટે કહી આ વાત!

ધવલ પટેલની ટક્કર ઈન્ડિયા ગઠબંધનના અનંત પટેલ સાથે હતી. ત્યારે અનંત પટેલને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો. અનંત પટેલના વિસ્તારમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે ત્યારે તેને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેમને પડકાર લાગે છે? ત્યારે તેમણે કહ્યું કોઈ પડકાર નથી.. તે ઉપરાંત તે સવાલ પણ પૂછવામાં આવ્યો કે જ્યારે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે ભાજપમાં આંતરિક ડખો જોવા મળ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને સારો એવો સપોર્ટ મળ્યો છે ગ્રાઉન્ડ પર. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આ બધા કોંગ્રેસના કાવતરા હતા. મહત્વનું છે કે આ બેઠક એવી છે જ્યાં કાંટાની ટક્કર થવાની છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે