Jamawatની ટીમે કરી Valsad Loksabha Seatના ઉમેદવાર Dhaval Patel સાથે વાત, શું Anant Patel છે તેમના માટે પડકાર? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-08 17:37:54

લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો પર મતદાન થયું.. ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી અને અનેક બેઠકો એવી હતી જે અનેક વખત આ ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી. વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. 

ધવલ પટેલ સાથે જમાવટની ટીમે કરી વાત ત્યારે..

જમાવટની ટીમે જનતા વતી અનેક ઉમેદવારોને ફોન કર્યા હતા તેમનું વિઝન જાણવા. ત્યારે મતદાન બાદ ઉમેદવારને એ જાણવા ફોન કર્યો હતો કે મતદાન બાદ શું તેમને પડકાર લાગે છે? ધવલ પટેલ સાથે મતદાન પૂર્ણ થયા બાદ ફોન પર વાત કરી હતી અને મતદાન બાદ તેમને શું લાગે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. વલસાડમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. ગામડાના લોકો મતદાન કરવા માટે નિકળ્યા હતા. મતદાન બાદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે સાતેય સાત વિધાનસભા વિસ્તારમાં પીએમ મોદી માટે ઉત્સાહ, આનંદ જોયો છે.. તેમના તરફી મતદાન થયું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.


કોંગ્રેસ માટે કહી આ વાત!

ધવલ પટેલની ટક્કર ઈન્ડિયા ગઠબંધનના અનંત પટેલ સાથે હતી. ત્યારે અનંત પટેલને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો. અનંત પટેલના વિસ્તારમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે ત્યારે તેને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેમને પડકાર લાગે છે? ત્યારે તેમણે કહ્યું કોઈ પડકાર નથી.. તે ઉપરાંત તે સવાલ પણ પૂછવામાં આવ્યો કે જ્યારે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે ભાજપમાં આંતરિક ડખો જોવા મળ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને સારો એવો સપોર્ટ મળ્યો છે ગ્રાઉન્ડ પર. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આ બધા કોંગ્રેસના કાવતરા હતા. મહત્વનું છે કે આ બેઠક એવી છે જ્યાં કાંટાની ટક્કર થવાની છે.   



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.