Jamawatની ટીમે કરી Valsad Loksabha Seatના ઉમેદવાર Dhaval Patel સાથે વાત, શું Anant Patel છે તેમના માટે પડકાર? સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-08 17:37:54

લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો પર મતદાન થયું.. ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી અને અનેક બેઠકો એવી હતી જે અનેક વખત આ ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી. વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. 

ધવલ પટેલ સાથે જમાવટની ટીમે કરી વાત ત્યારે..

જમાવટની ટીમે જનતા વતી અનેક ઉમેદવારોને ફોન કર્યા હતા તેમનું વિઝન જાણવા. ત્યારે મતદાન બાદ ઉમેદવારને એ જાણવા ફોન કર્યો હતો કે મતદાન બાદ શું તેમને પડકાર લાગે છે? ધવલ પટેલ સાથે મતદાન પૂર્ણ થયા બાદ ફોન પર વાત કરી હતી અને મતદાન બાદ તેમને શું લાગે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. વલસાડમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. ગામડાના લોકો મતદાન કરવા માટે નિકળ્યા હતા. મતદાન બાદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે સાતેય સાત વિધાનસભા વિસ્તારમાં પીએમ મોદી માટે ઉત્સાહ, આનંદ જોયો છે.. તેમના તરફી મતદાન થયું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.


કોંગ્રેસ માટે કહી આ વાત!

ધવલ પટેલની ટક્કર ઈન્ડિયા ગઠબંધનના અનંત પટેલ સાથે હતી. ત્યારે અનંત પટેલને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો. અનંત પટેલના વિસ્તારમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે ત્યારે તેને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેમને પડકાર લાગે છે? ત્યારે તેમણે કહ્યું કોઈ પડકાર નથી.. તે ઉપરાંત તે સવાલ પણ પૂછવામાં આવ્યો કે જ્યારે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે ભાજપમાં આંતરિક ડખો જોવા મળ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને સારો એવો સપોર્ટ મળ્યો છે ગ્રાઉન્ડ પર. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આ બધા કોંગ્રેસના કાવતરા હતા. મહત્વનું છે કે આ બેઠક એવી છે જ્યાં કાંટાની ટક્કર થવાની છે.   



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.