Jamawatની ટીમે કરી Valsad Loksabha Seatના ઉમેદવાર Dhaval Patel સાથે વાત, શું Anant Patel છે તેમના માટે પડકાર? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-08 17:37:54

લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો પર મતદાન થયું.. ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી અને અનેક બેઠકો એવી હતી જે અનેક વખત આ ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી. વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. 

ધવલ પટેલ સાથે જમાવટની ટીમે કરી વાત ત્યારે..

જમાવટની ટીમે જનતા વતી અનેક ઉમેદવારોને ફોન કર્યા હતા તેમનું વિઝન જાણવા. ત્યારે મતદાન બાદ ઉમેદવારને એ જાણવા ફોન કર્યો હતો કે મતદાન બાદ શું તેમને પડકાર લાગે છે? ધવલ પટેલ સાથે મતદાન પૂર્ણ થયા બાદ ફોન પર વાત કરી હતી અને મતદાન બાદ તેમને શું લાગે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. વલસાડમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. ગામડાના લોકો મતદાન કરવા માટે નિકળ્યા હતા. મતદાન બાદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે સાતેય સાત વિધાનસભા વિસ્તારમાં પીએમ મોદી માટે ઉત્સાહ, આનંદ જોયો છે.. તેમના તરફી મતદાન થયું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.


કોંગ્રેસ માટે કહી આ વાત!

ધવલ પટેલની ટક્કર ઈન્ડિયા ગઠબંધનના અનંત પટેલ સાથે હતી. ત્યારે અનંત પટેલને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો. અનંત પટેલના વિસ્તારમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે ત્યારે તેને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેમને પડકાર લાગે છે? ત્યારે તેમણે કહ્યું કોઈ પડકાર નથી.. તે ઉપરાંત તે સવાલ પણ પૂછવામાં આવ્યો કે જ્યારે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે ભાજપમાં આંતરિક ડખો જોવા મળ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને સારો એવો સપોર્ટ મળ્યો છે ગ્રાઉન્ડ પર. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આ બધા કોંગ્રેસના કાવતરા હતા. મહત્વનું છે કે આ બેઠક એવી છે જ્યાં કાંટાની ટક્કર થવાની છે.   



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."