જમાવટે મોરબીની વેદના કહી, એક નાગરીકે કમેન્ટમાં કવિતા લખીને પીડા વર્ણવી


  • Published By :
  • Published Date : 2022-11-01 15:33:01

મોરબીમાં દુર્ઘટના બની તે બાદ સમગ્ર ગુજરાત ગમગીન થઈ ગયું છે. આ ઘટના બાદ તમામ લોકો શોકમાં ડૂબી ગયા છે. જે લોકોએ પોતાના પરિવારના સભ્યને ગુમાવ્યા છે તે લોકો તો પોતાની વેદનાને વર્ણવી પણ નથી શક્તા. જ્યારે જમાવટે મોરબીની પ્રજાની વેદના કહી ત્યારે એક વ્યક્તિએ કમેન્ટમાં એક કવિતા પોસ્ટ કરી હતી. આ કવિતા એવી ઘટના પર લખવામાં આવી છે જેને જોઈ લોકો ખૂબ દુખી થયા છે. આ કવિતા લખાઈ છે વડાપ્રધાનના મોરબી પ્રવાસ પર તેમની મુલાકાત પહેલા કવિએ પોતાની વેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. તેમની મુલાકાતને પગલે સિવિલ હોસ્પિટલને રાતોરાત રંગીન કરી દેવામાં આવી છે. 

આ છે કવિતા-

રંગ રોગાન થાય છે, લાલ જાજમ પથરાય છે,

ને આમ જ મોરબીના પ્રજાની મશ્કરી થાય છે.

માતમમાં છે મારું પુરું મોજીલું મોરબી શહેર,

રાતો રાત એક હોસ્પિટલ દુલહન બની જાય છે.

જોવો ખેલ તમે મોત પર કેવા કેવા તાયફા થાય, 

ત્રણ દેહ એક પથારૂ પડ્યા, નવા બેડ લવાય છે.

વંચિત રહ્યું છે પ્રાથમિક સુવિધાથી મારૂ મોરબી,

પહેરી શ્વેત વસ્ત્રો ગીધો શાકાહારી બની જાય છે.

રહ્યું અસફળ તંત્ર, પ્રધાન આવતા જાગતું થયું,

બાકીના દિવસોમાં એ કુંભકર્ણ બનું સૂઈ જાય છે.

બસ કરો તમારો આ તમાશો, મૃતકોને ખલેલ પડે, 

મનોજ માનવતા ખેતરને નરાધમો ચરી જાય છે.


આ કવિતાએ તમામ મોરબી વાસીઓની વેદનાને વર્ણવી દીધી છે. વડાપ્રધાનના આગમન પહેલા સિવિલ હોસ્પિટલને ચકચકાટ કરી દેવામાં આવી છે. સરકાર જાણે મોતનો તમાશો કરતી હોય તેવું લાગે છે. મોરબીની પ્રજાની આમ જ મશ્કરી થાય છે. કુંભકર્ણ બની નિંદ્રામાં ઉંઘેલુ તંત્ર પ્રધાન એટલે કે વડાપ્રધાન આવતા અચાનક જાગી જાય છે. અને તેમના ગયા પછી તંત્ર ફરી એક વખત ગહેરી નિંદ્રામાં ઉંઘી જાય છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા આવા તાયફાથી મૃતદેહને પરેશાની પહોંચશે.          




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.