જમાવટે મોરબીની વેદના કહી, એક નાગરીકે કમેન્ટમાં કવિતા લખીને પીડા વર્ણવી


  • Published By :
  • Published Date : 2022-11-01 15:33:01

મોરબીમાં દુર્ઘટના બની તે બાદ સમગ્ર ગુજરાત ગમગીન થઈ ગયું છે. આ ઘટના બાદ તમામ લોકો શોકમાં ડૂબી ગયા છે. જે લોકોએ પોતાના પરિવારના સભ્યને ગુમાવ્યા છે તે લોકો તો પોતાની વેદનાને વર્ણવી પણ નથી શક્તા. જ્યારે જમાવટે મોરબીની પ્રજાની વેદના કહી ત્યારે એક વ્યક્તિએ કમેન્ટમાં એક કવિતા પોસ્ટ કરી હતી. આ કવિતા એવી ઘટના પર લખવામાં આવી છે જેને જોઈ લોકો ખૂબ દુખી થયા છે. આ કવિતા લખાઈ છે વડાપ્રધાનના મોરબી પ્રવાસ પર તેમની મુલાકાત પહેલા કવિએ પોતાની વેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. તેમની મુલાકાતને પગલે સિવિલ હોસ્પિટલને રાતોરાત રંગીન કરી દેવામાં આવી છે. 

આ છે કવિતા-

રંગ રોગાન થાય છે, લાલ જાજમ પથરાય છે,

ને આમ જ મોરબીના પ્રજાની મશ્કરી થાય છે.

માતમમાં છે મારું પુરું મોજીલું મોરબી શહેર,

રાતો રાત એક હોસ્પિટલ દુલહન બની જાય છે.

જોવો ખેલ તમે મોત પર કેવા કેવા તાયફા થાય, 

ત્રણ દેહ એક પથારૂ પડ્યા, નવા બેડ લવાય છે.

વંચિત રહ્યું છે પ્રાથમિક સુવિધાથી મારૂ મોરબી,

પહેરી શ્વેત વસ્ત્રો ગીધો શાકાહારી બની જાય છે.

રહ્યું અસફળ તંત્ર, પ્રધાન આવતા જાગતું થયું,

બાકીના દિવસોમાં એ કુંભકર્ણ બનું સૂઈ જાય છે.

બસ કરો તમારો આ તમાશો, મૃતકોને ખલેલ પડે, 

મનોજ માનવતા ખેતરને નરાધમો ચરી જાય છે.


આ કવિતાએ તમામ મોરબી વાસીઓની વેદનાને વર્ણવી દીધી છે. વડાપ્રધાનના આગમન પહેલા સિવિલ હોસ્પિટલને ચકચકાટ કરી દેવામાં આવી છે. સરકાર જાણે મોતનો તમાશો કરતી હોય તેવું લાગે છે. મોરબીની પ્રજાની આમ જ મશ્કરી થાય છે. કુંભકર્ણ બની નિંદ્રામાં ઉંઘેલુ તંત્ર પ્રધાન એટલે કે વડાપ્રધાન આવતા અચાનક જાગી જાય છે. અને તેમના ગયા પછી તંત્ર ફરી એક વખત ગહેરી નિંદ્રામાં ઉંઘી જાય છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા આવા તાયફાથી મૃતદેહને પરેશાની પહોંચશે.          




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .