જમાવટે મોરબીની વેદના કહી, એક નાગરીકે કમેન્ટમાં કવિતા લખીને પીડા વર્ણવી


  • Published By :
  • Published Date : 2022-11-01 15:33:01

મોરબીમાં દુર્ઘટના બની તે બાદ સમગ્ર ગુજરાત ગમગીન થઈ ગયું છે. આ ઘટના બાદ તમામ લોકો શોકમાં ડૂબી ગયા છે. જે લોકોએ પોતાના પરિવારના સભ્યને ગુમાવ્યા છે તે લોકો તો પોતાની વેદનાને વર્ણવી પણ નથી શક્તા. જ્યારે જમાવટે મોરબીની પ્રજાની વેદના કહી ત્યારે એક વ્યક્તિએ કમેન્ટમાં એક કવિતા પોસ્ટ કરી હતી. આ કવિતા એવી ઘટના પર લખવામાં આવી છે જેને જોઈ લોકો ખૂબ દુખી થયા છે. આ કવિતા લખાઈ છે વડાપ્રધાનના મોરબી પ્રવાસ પર તેમની મુલાકાત પહેલા કવિએ પોતાની વેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. તેમની મુલાકાતને પગલે સિવિલ હોસ્પિટલને રાતોરાત રંગીન કરી દેવામાં આવી છે. 

આ છે કવિતા-

રંગ રોગાન થાય છે, લાલ જાજમ પથરાય છે,

ને આમ જ મોરબીના પ્રજાની મશ્કરી થાય છે.

માતમમાં છે મારું પુરું મોજીલું મોરબી શહેર,

રાતો રાત એક હોસ્પિટલ દુલહન બની જાય છે.

જોવો ખેલ તમે મોત પર કેવા કેવા તાયફા થાય, 

ત્રણ દેહ એક પથારૂ પડ્યા, નવા બેડ લવાય છે.

વંચિત રહ્યું છે પ્રાથમિક સુવિધાથી મારૂ મોરબી,

પહેરી શ્વેત વસ્ત્રો ગીધો શાકાહારી બની જાય છે.

રહ્યું અસફળ તંત્ર, પ્રધાન આવતા જાગતું થયું,

બાકીના દિવસોમાં એ કુંભકર્ણ બનું સૂઈ જાય છે.

બસ કરો તમારો આ તમાશો, મૃતકોને ખલેલ પડે, 

મનોજ માનવતા ખેતરને નરાધમો ચરી જાય છે.


આ કવિતાએ તમામ મોરબી વાસીઓની વેદનાને વર્ણવી દીધી છે. વડાપ્રધાનના આગમન પહેલા સિવિલ હોસ્પિટલને ચકચકાટ કરી દેવામાં આવી છે. સરકાર જાણે મોતનો તમાશો કરતી હોય તેવું લાગે છે. મોરબીની પ્રજાની આમ જ મશ્કરી થાય છે. કુંભકર્ણ બની નિંદ્રામાં ઉંઘેલુ તંત્ર પ્રધાન એટલે કે વડાપ્રધાન આવતા અચાનક જાગી જાય છે. અને તેમના ગયા પછી તંત્ર ફરી એક વખત ગહેરી નિંદ્રામાં ઉંઘી જાય છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા આવા તાયફાથી મૃતદેહને પરેશાની પહોંચશે.          




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.