Jamawat Weather Analysis : Gujaratમાં ક્યાં જામશે વરસાદી માહોલ? હવામાન વિભાગે અને Ambalal Patelએ વરસાદને લઈ કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-05 09:46:03

ઘણા સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનો કોરો કટ વિત્યો ત્યારે સપ્ટેમ્બરમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સારો વરસાદ થશે તેવી આશા રાખી વાવણી તો કરી દીધી પરંતુ તે બાદ વરસાદે ખેડૂતો સાથે સંતાકુકડી રમી હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ના બરાબર વરસ્યો હતો. અનેક વર્ષોનો રેકોર્ડ વરસાદે તોડી દીધો હતો. ત્યારે સારા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. આવનાર થોડા દિવસોમાં વરસાદની મહેર જોવા મળી શકે છે.  

વધારે વરસાદ પણ ખેડૂતોને રડાવે અને ઓછો વરસાદ પણ...!  

ચોમાસાની શરૂઆતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ આપણને જોવા મળી. થોડા દિવસોની અંદર જ સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો હતો. સારો વરસાદ થતાં જગતનો તાત આનંદિત હતો, પરંતુ ઓગસ્ટ મહિનો આવતા સુધીમાં તો વરસાદે વિરામ લઈ લીધો હતો. ઓગસ્ટ મહિનામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો ન હતો. વધારે વરસાદે પણ ખેડૂતોને રડાવ્યા અને વરસાદ ન થવાને પણ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક સમય ખેડૂતો કહેતા હતા કે ખમૈયા કરો મેઘરાજા, હવે ખેડૂતો કહી રહ્યા છે પધરામણી કરો મેઘરાજા. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી પાંચ દિવસ વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 7થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને અનેક જગ્યાઓ પર મેઘમહેર જોવા મળશે. 


આગામી સપ્તાહમાં આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તો એવી આગાહી કરવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ આવશે. અંબાલાલ કાકાની આગાહી સાંભળી ધરતીપુત્રો ઘેલા બની ગયા હતા. ત્યારે ખેડૂતોને આનંદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં સારા એવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ , દાદરાનગર, છોટાઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઈ શકે છે.  


ગુજરાતના અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવનાઓ છે જેને લઈ આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદ પણ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ પાંચ દિવસ ત્યાંનું વાતાવરણ સૂકું રહેશે. તે સિવાય પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસે તેવી ખેડૂતો રાખી રહ્યા છે આશા 

મહત્વનું છે કે વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તેમનો પાક નિષ્ફળ જશે તેવો ડર તેમને સતાવી રહ્યો હતો. એક તરફ ખેડૂતોને પાકના પોષણ સમા ભાવ નથી મળતા જેને કારણે ખેડૂતો ચિંતિત હોય છે તો બીજી તરફ વરસાદ ન થવાને કારણે પણ જગતનો તાત ચિંતિત બન્યો છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સારો થાય તેવી આશા ખેડૂતો કરી રહ્યા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.