Jamawat Weather Analysis : Gujaratમાં ક્યાં જામશે વરસાદી માહોલ? હવામાન વિભાગે અને Ambalal Patelએ વરસાદને લઈ કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-05 09:46:03

ઘણા સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનો કોરો કટ વિત્યો ત્યારે સપ્ટેમ્બરમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સારો વરસાદ થશે તેવી આશા રાખી વાવણી તો કરી દીધી પરંતુ તે બાદ વરસાદે ખેડૂતો સાથે સંતાકુકડી રમી હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ના બરાબર વરસ્યો હતો. અનેક વર્ષોનો રેકોર્ડ વરસાદે તોડી દીધો હતો. ત્યારે સારા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. આવનાર થોડા દિવસોમાં વરસાદની મહેર જોવા મળી શકે છે.  

વધારે વરસાદ પણ ખેડૂતોને રડાવે અને ઓછો વરસાદ પણ...!  

ચોમાસાની શરૂઆતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ આપણને જોવા મળી. થોડા દિવસોની અંદર જ સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો હતો. સારો વરસાદ થતાં જગતનો તાત આનંદિત હતો, પરંતુ ઓગસ્ટ મહિનો આવતા સુધીમાં તો વરસાદે વિરામ લઈ લીધો હતો. ઓગસ્ટ મહિનામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો ન હતો. વધારે વરસાદે પણ ખેડૂતોને રડાવ્યા અને વરસાદ ન થવાને પણ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક સમય ખેડૂતો કહેતા હતા કે ખમૈયા કરો મેઘરાજા, હવે ખેડૂતો કહી રહ્યા છે પધરામણી કરો મેઘરાજા. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી પાંચ દિવસ વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 7થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને અનેક જગ્યાઓ પર મેઘમહેર જોવા મળશે. 


આગામી સપ્તાહમાં આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તો એવી આગાહી કરવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ આવશે. અંબાલાલ કાકાની આગાહી સાંભળી ધરતીપુત્રો ઘેલા બની ગયા હતા. ત્યારે ખેડૂતોને આનંદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં સારા એવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ , દાદરાનગર, છોટાઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઈ શકે છે.  


ગુજરાતના અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવનાઓ છે જેને લઈ આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદ પણ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ પાંચ દિવસ ત્યાંનું વાતાવરણ સૂકું રહેશે. તે સિવાય પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસે તેવી ખેડૂતો રાખી રહ્યા છે આશા 

મહત્વનું છે કે વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તેમનો પાક નિષ્ફળ જશે તેવો ડર તેમને સતાવી રહ્યો હતો. એક તરફ ખેડૂતોને પાકના પોષણ સમા ભાવ નથી મળતા જેને કારણે ખેડૂતો ચિંતિત હોય છે તો બીજી તરફ વરસાદ ન થવાને કારણે પણ જગતનો તાત ચિંતિત બન્યો છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સારો થાય તેવી આશા ખેડૂતો કરી રહ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.