Jamawat Weather Analysis : નવરાત્રી દરમિયાન ગરમી હશે કે વરસાદ હશે? જાણો હવામાનને લઈ Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-10-09 17:23:56

15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. ખેલૈયાઓમાં ગરબાને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાને લઈ ગરબા આયોજકોએ તેમજ ખેલૈયાઓએ તૈયારીઓ કરી લીધી છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ તારીખો દરમિયાન વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 17 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની તેમજ ગરબા આયોજકોની ચિંતા વધી છે. 13,14 તેમજ 15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. 

નવરાત્રી દરમિયાન વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે  

14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં મેચ યોજાવાની છે. મેચને લઈ ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત 15 ઓક્ટોબરથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઘણા સમય પહેલા કરી દીધી હતી. નવરાત્રી દરમિયાન ગરબાની મજા વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વરસાદને લઈ કાકાએ આગાહી કરી છે કે 12 ઓક્ટોબર દરમિયાન અરબ સાગરમાં હાઈપ્રેશર બનશે. તે ઉપરાંત 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતાઓ રહેલી છે. જેને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગે આ અંગેની જાહેરાત કરી લીધી છે. 

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

The organizers of the ancient Garbi said, "If you don't allow it, we will  sing Garba, but to maintain the tradition, we will worship Mataji in  Navratri." | 'મંજૂરી નહીં આપે તો

ગુજરાતમાં આ તારીખો દરમિયાન વરસી શકે છે વરસાદ 

ઓક્ટોબર મહિનામાં વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કાકાની આગાહી મુજબ દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવી શકે છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે જે વરસાદ લાવશે, 10થી 12 ઓક્ટોબર દરમિયાન અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થવાની છે તે મજબૂત સિસ્ટમ હશે. જેને કારણે નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ક્યાં સુધી માવઠાનો માર સહન કરવો પડશે? - ambalal  patel weather prediction for march april and may News18 Gujarati

નવરાત્રી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો  

આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 15 ઓક્ટોબરની આસપાસ હિમાલયના ભાગોમાં બરફ પડવાની શરૂઆત થઇ શકે છે. ઓક્ટોબરમાં ફરી એક વખત ચોમાસાની સિઝન જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 17થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ગરબાના રંગમાં ભંગ પડી શકે છે. અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ સક્રિય થશે જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. નવરાત્રીમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે 14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી