Jamawat Weather Analysis : નવરાત્રી દરમિયાન ગરમી હશે કે વરસાદ હશે? જાણો હવામાનને લઈ Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-10-09 17:23:56

15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. ખેલૈયાઓમાં ગરબાને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાને લઈ ગરબા આયોજકોએ તેમજ ખેલૈયાઓએ તૈયારીઓ કરી લીધી છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ તારીખો દરમિયાન વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 17 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની તેમજ ગરબા આયોજકોની ચિંતા વધી છે. 13,14 તેમજ 15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. 

નવરાત્રી દરમિયાન વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે  

14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં મેચ યોજાવાની છે. મેચને લઈ ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત 15 ઓક્ટોબરથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઘણા સમય પહેલા કરી દીધી હતી. નવરાત્રી દરમિયાન ગરબાની મજા વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વરસાદને લઈ કાકાએ આગાહી કરી છે કે 12 ઓક્ટોબર દરમિયાન અરબ સાગરમાં હાઈપ્રેશર બનશે. તે ઉપરાંત 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતાઓ રહેલી છે. જેને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગે આ અંગેની જાહેરાત કરી લીધી છે. 

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

The organizers of the ancient Garbi said, "If you don't allow it, we will  sing Garba, but to maintain the tradition, we will worship Mataji in  Navratri." | 'મંજૂરી નહીં આપે તો

ગુજરાતમાં આ તારીખો દરમિયાન વરસી શકે છે વરસાદ 

ઓક્ટોબર મહિનામાં વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કાકાની આગાહી મુજબ દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવી શકે છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે જે વરસાદ લાવશે, 10થી 12 ઓક્ટોબર દરમિયાન અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થવાની છે તે મજબૂત સિસ્ટમ હશે. જેને કારણે નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ક્યાં સુધી માવઠાનો માર સહન કરવો પડશે? - ambalal  patel weather prediction for march april and may News18 Gujarati

નવરાત્રી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો  

આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 15 ઓક્ટોબરની આસપાસ હિમાલયના ભાગોમાં બરફ પડવાની શરૂઆત થઇ શકે છે. ઓક્ટોબરમાં ફરી એક વખત ચોમાસાની સિઝન જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 17થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ગરબાના રંગમાં ભંગ પડી શકે છે. અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ સક્રિય થશે જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. નવરાત્રીમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે 14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.