જમ્મુ-કાશ્મીર: સેનાના કાફલા પર આતંકવાદી હુમલો, 3 જવાન શહીદ, ત્રણ ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-12-21 19:53:58

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં  ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલો પૂંચના સુરનકોટ તહસીલના ડેરા કી ગલી (DKG) જંગલ વિસ્તારમાં બની છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. ઘાયલ સેનાના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સેનાએ કહ્યું છે કે ગઈકાલે બુધવારે રાત્રે પુંછના સુરનકોટ અને બાફલિયાઝના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ગુરુવારે પણ એન્કાઉન્ટર ચાલુ છે. આતંકવાદીઓને ઘેરવા માટે વધારાના દળો સ્થળ પર મોકલવામાં આવ્યા છે.


આ વર્ષે 25 સુરક્ષાકર્મીઓ થયા શહીદ


ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે 30 નવેમ્બર સુધી જમ્મુ-કાશ્મીરમાં 25 સુરક્ષાકર્મીઓ જ્યારે 2018માં 91 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.