જમ્મુ-કાશ્મીર: સેનાના કાફલા પર આતંકવાદી હુમલો, 3 જવાન શહીદ, ત્રણ ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-12-21 19:53:58

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં  ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલો પૂંચના સુરનકોટ તહસીલના ડેરા કી ગલી (DKG) જંગલ વિસ્તારમાં બની છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. ઘાયલ સેનાના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સેનાએ કહ્યું છે કે ગઈકાલે બુધવારે રાત્રે પુંછના સુરનકોટ અને બાફલિયાઝના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ગુરુવારે પણ એન્કાઉન્ટર ચાલુ છે. આતંકવાદીઓને ઘેરવા માટે વધારાના દળો સ્થળ પર મોકલવામાં આવ્યા છે.


આ વર્ષે 25 સુરક્ષાકર્મીઓ થયા શહીદ


ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે 30 નવેમ્બર સુધી જમ્મુ-કાશ્મીરમાં 25 સુરક્ષાકર્મીઓ જ્યારે 2018માં 91 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે