જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ, સેનાના બે કેપ્ટન સહિત ત્રણ શહીદ


  • Published By :
  • Published Date : 2023-11-22 19:33:58

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે કેપ્ટન સહિત ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર સેનાને આજે સવારે 9 વાગ્યે આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટરમાં સેનાના બે કેપ્ટન અને એક જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યો છે.


આતંકીઓએ ઘાત લગાવીને કર્યો હુમલો


પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે બે આતંકીઓ છુપાયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગમાં બે અધિકારીઓ અને એક જવાન શહીદ થયા છે.સર્ચ ઓપરેશનમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોની સાથે પેરાટ્રુપર્સ પણ જોડાયા હતા. પરંતુ આતંકીઓ છુપાઈને બેઠા હતા. જેવી સેના તે આતંકીઓની નજીક પહોંચી કે આતંકીઓએ સેના પર ઝડપથી ગોળીબાર શરૂ કરી દીધું હતું. જેમાં બે કેપ્ટન રેન્કના ઓફિસર અને સેનાનો એક જવાન શહીદ થયો હતો. સેનાનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યો છે, ઘાયલ જવાનના હાથ અને છાતીમાં ઈજાઓ છે.


વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો 


9 કલાકથી વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જેથી આતંકીઓ ભાગી ન શકે. કહેવામાં આવી રહ્યું છે કે એનકાઉન્ટરમાં રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન અને પેરાટ્રૂપર્સનો બીજો કેપ્ટન શહીદ થયો છે. જ્યારે પેરાટ્રૂપર્સનો એક સાર્જન્ટ શહીદ થયો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.