જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ, સેનાના બે કેપ્ટન સહિત ત્રણ શહીદ


  • Published By :
  • Published Date : 2023-11-22 19:33:58

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે કેપ્ટન સહિત ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર સેનાને આજે સવારે 9 વાગ્યે આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટરમાં સેનાના બે કેપ્ટન અને એક જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યો છે.


આતંકીઓએ ઘાત લગાવીને કર્યો હુમલો


પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે બે આતંકીઓ છુપાયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગમાં બે અધિકારીઓ અને એક જવાન શહીદ થયા છે.સર્ચ ઓપરેશનમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોની સાથે પેરાટ્રુપર્સ પણ જોડાયા હતા. પરંતુ આતંકીઓ છુપાઈને બેઠા હતા. જેવી સેના તે આતંકીઓની નજીક પહોંચી કે આતંકીઓએ સેના પર ઝડપથી ગોળીબાર શરૂ કરી દીધું હતું. જેમાં બે કેપ્ટન રેન્કના ઓફિસર અને સેનાનો એક જવાન શહીદ થયો હતો. સેનાનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યો છે, ઘાયલ જવાનના હાથ અને છાતીમાં ઈજાઓ છે.


વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો 


9 કલાકથી વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જેથી આતંકીઓ ભાગી ન શકે. કહેવામાં આવી રહ્યું છે કે એનકાઉન્ટરમાં રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન અને પેરાટ્રૂપર્સનો બીજો કેપ્ટન શહીદ થયો છે. જ્યારે પેરાટ્રૂપર્સનો એક સાર્જન્ટ શહીદ થયો છે.



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .