જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ, સેનાના બે કેપ્ટન સહિત ત્રણ શહીદ


  • Published By :
  • Published Date : 2023-11-22 19:33:58

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે કેપ્ટન સહિત ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર સેનાને આજે સવારે 9 વાગ્યે આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટરમાં સેનાના બે કેપ્ટન અને એક જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યો છે.


આતંકીઓએ ઘાત લગાવીને કર્યો હુમલો


પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે બે આતંકીઓ છુપાયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગમાં બે અધિકારીઓ અને એક જવાન શહીદ થયા છે.સર્ચ ઓપરેશનમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોની સાથે પેરાટ્રુપર્સ પણ જોડાયા હતા. પરંતુ આતંકીઓ છુપાઈને બેઠા હતા. જેવી સેના તે આતંકીઓની નજીક પહોંચી કે આતંકીઓએ સેના પર ઝડપથી ગોળીબાર શરૂ કરી દીધું હતું. જેમાં બે કેપ્ટન રેન્કના ઓફિસર અને સેનાનો એક જવાન શહીદ થયો હતો. સેનાનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યો છે, ઘાયલ જવાનના હાથ અને છાતીમાં ઈજાઓ છે.


વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો 


9 કલાકથી વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જેથી આતંકીઓ ભાગી ન શકે. કહેવામાં આવી રહ્યું છે કે એનકાઉન્ટરમાં રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન અને પેરાટ્રૂપર્સનો બીજો કેપ્ટન શહીદ થયો છે. જ્યારે પેરાટ્રૂપર્સનો એક સાર્જન્ટ શહીદ થયો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે