ગુલામ નબી આઝાદના સમર્થનમાં કાશ્મીરમાં કોંગ્રેસના 65 નેતાઓના રાજીનામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 19:33:17

કોંગ્રેસ છોડનારા ગુલામ નબી આઝાદ પાર્ટીને સતત ઝટકા આપી રહ્યા છે. આઝાદના સમર્થનમાં મંગળવારે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાંથી 65 નેતાઓએ રાજીનામા આપ્યા છે. આ નેતાઓમાં પૂર્વ ડેપ્યુટી સીએમ  તારા ચંદનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત પુર્વ મંત્રી અબ્દુલ માજીદ વાની, મનોહર લાલ શર્મા, ગારૂ રામ અને બલવાન સિંહે પણ રાજીનામું આપ્યું હતુ. રાજીનામાં બાદ મિડીયા સાથે વાત કરતા બલવાન સિંહે કહ્યું કે આજે અમે પાર્ટી છોડી દીધી છે અને અમે ગુલામ નબી આઝાદના સમર્થનમાં આ નિર્ણય લીધો છે. 



આ નેતાઓએ સંયુક્તપણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કોંગ્રેસ પર સતત અવહેલના અને અપમાનજનક વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારા ચંદે કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈનું સાંભળતી નથી. જે પ્રોજેક્ટ લોકો સુધી પહોંચવાનો હતો તે પાર્ટી કરી શકી નથી. આઝાદના સમર્થનમાં રાજીનામુ આપી ચુકેલા કોંગ્રેસના બળવાખોર નેતાઓએ જમ્મુ-કશ્મીરના ઉત્તમ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 


આ પહેલા જમ્મુ કાશ્મીર વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ ગુલામ હૈદર મલિક સહિત કોંગ્રેસના 4 નેતાઓ તેમજ પાર્ટીના 12 પ્રમુખ કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસનો સાથ છોડવાનું એલાન કરી દીધું છે. આ તમામ લોકોના રાજીનામાથી એક વાત સામે આવી છે કે,મોટાભાગના નેતાઓ ગુલામ નબીના સમર્થનમાં છે.જે ખુદ પોતાની પાર્ટી બનાવવાનું એલાન કરી ચૂક્યા છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી