ગુલામ નબી આઝાદના સમર્થનમાં કાશ્મીરમાં કોંગ્રેસના 65 નેતાઓના રાજીનામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 19:33:17

કોંગ્રેસ છોડનારા ગુલામ નબી આઝાદ પાર્ટીને સતત ઝટકા આપી રહ્યા છે. આઝાદના સમર્થનમાં મંગળવારે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાંથી 65 નેતાઓએ રાજીનામા આપ્યા છે. આ નેતાઓમાં પૂર્વ ડેપ્યુટી સીએમ  તારા ચંદનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત પુર્વ મંત્રી અબ્દુલ માજીદ વાની, મનોહર લાલ શર્મા, ગારૂ રામ અને બલવાન સિંહે પણ રાજીનામું આપ્યું હતુ. રાજીનામાં બાદ મિડીયા સાથે વાત કરતા બલવાન સિંહે કહ્યું કે આજે અમે પાર્ટી છોડી દીધી છે અને અમે ગુલામ નબી આઝાદના સમર્થનમાં આ નિર્ણય લીધો છે. 



આ નેતાઓએ સંયુક્તપણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કોંગ્રેસ પર સતત અવહેલના અને અપમાનજનક વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારા ચંદે કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈનું સાંભળતી નથી. જે પ્રોજેક્ટ લોકો સુધી પહોંચવાનો હતો તે પાર્ટી કરી શકી નથી. આઝાદના સમર્થનમાં રાજીનામુ આપી ચુકેલા કોંગ્રેસના બળવાખોર નેતાઓએ જમ્મુ-કશ્મીરના ઉત્તમ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 


આ પહેલા જમ્મુ કાશ્મીર વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ ગુલામ હૈદર મલિક સહિત કોંગ્રેસના 4 નેતાઓ તેમજ પાર્ટીના 12 પ્રમુખ કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસનો સાથ છોડવાનું એલાન કરી દીધું છે. આ તમામ લોકોના રાજીનામાથી એક વાત સામે આવી છે કે,મોટાભાગના નેતાઓ ગુલામ નબીના સમર્થનમાં છે.જે ખુદ પોતાની પાર્ટી બનાવવાનું એલાન કરી ચૂક્યા છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.