ગુલામ નબી આઝાદના સમર્થનમાં કાશ્મીરમાં કોંગ્રેસના 65 નેતાઓના રાજીનામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 19:33:17

કોંગ્રેસ છોડનારા ગુલામ નબી આઝાદ પાર્ટીને સતત ઝટકા આપી રહ્યા છે. આઝાદના સમર્થનમાં મંગળવારે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાંથી 65 નેતાઓએ રાજીનામા આપ્યા છે. આ નેતાઓમાં પૂર્વ ડેપ્યુટી સીએમ  તારા ચંદનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત પુર્વ મંત્રી અબ્દુલ માજીદ વાની, મનોહર લાલ શર્મા, ગારૂ રામ અને બલવાન સિંહે પણ રાજીનામું આપ્યું હતુ. રાજીનામાં બાદ મિડીયા સાથે વાત કરતા બલવાન સિંહે કહ્યું કે આજે અમે પાર્ટી છોડી દીધી છે અને અમે ગુલામ નબી આઝાદના સમર્થનમાં આ નિર્ણય લીધો છે. 



આ નેતાઓએ સંયુક્તપણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કોંગ્રેસ પર સતત અવહેલના અને અપમાનજનક વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારા ચંદે કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈનું સાંભળતી નથી. જે પ્રોજેક્ટ લોકો સુધી પહોંચવાનો હતો તે પાર્ટી કરી શકી નથી. આઝાદના સમર્થનમાં રાજીનામુ આપી ચુકેલા કોંગ્રેસના બળવાખોર નેતાઓએ જમ્મુ-કશ્મીરના ઉત્તમ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 


આ પહેલા જમ્મુ કાશ્મીર વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ ગુલામ હૈદર મલિક સહિત કોંગ્રેસના 4 નેતાઓ તેમજ પાર્ટીના 12 પ્રમુખ કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસનો સાથ છોડવાનું એલાન કરી દીધું છે. આ તમામ લોકોના રાજીનામાથી એક વાત સામે આવી છે કે,મોટાભાગના નેતાઓ ગુલામ નબીના સમર્થનમાં છે.જે ખુદ પોતાની પાર્ટી બનાવવાનું એલાન કરી ચૂક્યા છે.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.