Jammu-Kashmir: ડોડામાં દર્દનાક દુર્ઘટના, બસ 300 ફિટ ખીણમાં ખાબકી, 36 લોકોના મોત, 19 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-15 15:33:50

જમ્મુ-કાશ્મીરમાં એક ભયાનક અકસ્માતમાં 36 લોકોના મોત થતા અરેરાટી મચી ગઈ છે. ડોડા જિલ્લાના કિસ્તવાડમાં બુધવારે બપોરે બગ્ગર વિસ્તારના ત્રાંગલમાં એક બસ 300 ફિટ ઉંટી ખીણમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં 19 ઘાયલ થયા છે, પેસેન્જર બસ કિસ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. 


બસ પરનો કાબુ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના


આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘાયલોને સારવાર માટે ડોડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર છે, આ અકસ્માત બાદ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ડ્રાઈવરે  બસ પરનો કાબુ ગુમાવી  દેતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે. બસમાં 56 લોકો મુસાફરી કરી રહ્યા હતા.



આ હ્રદયદ્રાવક અકસ્માત બાદ દરેક મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખની સહાય અને ઘાયલોને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. દુર્ઘટના અંગે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું છે.  


 કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યું ટ્વીટ

 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કમનસીબે 5 લોકોના મોત થયા છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. વધુ ઘાયલોને ટ્રાન્સફર કરવા માટે હેલિકોપ્ટર સેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરીયાત મુજબ તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હું સતત સંપર્કમાં છું.”



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.