Jammu-Kashmir: ડોડામાં દર્દનાક દુર્ઘટના, બસ 300 ફિટ ખીણમાં ખાબકી, 36 લોકોના મોત, 19 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-15 15:33:50

જમ્મુ-કાશ્મીરમાં એક ભયાનક અકસ્માતમાં 36 લોકોના મોત થતા અરેરાટી મચી ગઈ છે. ડોડા જિલ્લાના કિસ્તવાડમાં બુધવારે બપોરે બગ્ગર વિસ્તારના ત્રાંગલમાં એક બસ 300 ફિટ ઉંટી ખીણમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં 19 ઘાયલ થયા છે, પેસેન્જર બસ કિસ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. 


બસ પરનો કાબુ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના


આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘાયલોને સારવાર માટે ડોડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર છે, આ અકસ્માત બાદ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ડ્રાઈવરે  બસ પરનો કાબુ ગુમાવી  દેતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે. બસમાં 56 લોકો મુસાફરી કરી રહ્યા હતા.



આ હ્રદયદ્રાવક અકસ્માત બાદ દરેક મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખની સહાય અને ઘાયલોને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. દુર્ઘટના અંગે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું છે.  


 કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યું ટ્વીટ

 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કમનસીબે 5 લોકોના મોત થયા છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. વધુ ઘાયલોને ટ્રાન્સફર કરવા માટે હેલિકોપ્ટર સેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરીયાત મુજબ તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હું સતત સંપર્કમાં છું.”



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.