Jamnagar : બોરવેલમાં ફસાયેલા 2 વર્ષના બાળકને મળ્યું જીવનદાન, અનેક કલાકોની જહેમત બાદ બાળકને બહાર કાઢવામાં મળી સફળતા...


  • Published By :
  • Published Date : 2024-02-07 13:11:37

આપણે ત્યાં અનેક એવી ઘટનાઓ થાય છે જે વારંવાર ઘટે છે પરંતુ તેમાંથી આપણે બોધપાઠ લેતા નથી! જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે તેની પર વિચારીએ છીએ કે આવી ઘટનાઓ ના થવી જોઈએ. થોડા સમય માટે એકદમ એક્ટિવ થઈ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ થોડો સમય વિત્યા પછી પરિસ્થિતિ ત્યાંની ત્યાં આવીને ઉભી રહી જાય છે. આ વાત અમે જામનગરથી સામે આવેલી ઘટના પરથી કહી રહ્યા છીએ. રાજ્યમાં બોરવેલમાં બાળકો ફસાવાની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બે વર્ષનું બાળક ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. કલાકો સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી અને અંતે બાળકને બહાર કાઢવામાં સફળતા મળી.   

News18 Gujarati

News18 Gujarati

બોરવેલમાં ફસાયું હતું બે વર્ષનું બાળક  

અનેક જગ્યાઓ પર બોરવેલ ખોદવામાં આવે છે. બોરવેલ ખોદવામાં તો આવે છે પરંતુ તેને બંધ કરવાની તસ્દી લેવામાં આવતી નથી જેને કારણે બાળકો બોરવેલની અંદર ફસાઈ જતા હોય છે. આવી ઘટનાઓ રાજ્યમાં બનવી સામાન્ય થઈ ગઈ છે તેવું લાગે છે. ગઈકાલે 2 વર્ષનું બાળક બોરવેલમાં ફસાઈ ગયું હતું. બાળકનો જીવ બચાવવા માટે પ્રયત્નો શરૂ કરાયા હતા.  બે વર્ષનું બાળક 15 થી 20 ફૂટ ઊંડા બોરમાં ફસાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેતમજૂરનું બે વર્ષનું બાળક સાંજના સમયે ખેતરમાં રમતા રમતા બોરમાં પડી જતા જ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક જામનગર ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી અને બાળકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.   

News18 Gujarati

મોડી રાત્રે બાળકને બહાર કાઢવામાં મળી સફળતા  

બાળકનો જીવ બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ તંત્રને કરાતા તાત્કાલિક NDRF અને રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. બાળકને ઓક્સિજનની કમી ન પડે તે માટે  ઓક્સિજન પણ અપાયો હતો. વિવિધ ટીમોના સભ્યોએ બાળકને બચાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા અને અંતે તેમના પ્રયાસો રંગ લાવ્યા અને બાળકનો જીવ બચી ગયો. બાળકને બહાર કાઢવામાં આવતા રેસ્ક્યુની કામગીરી કરી રહેલી ટીમે તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મહત્વનું છે કે આવી ઘટનાઓ ફરી ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ.   

News18 Gujarati



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.