Jamnagar : બોરવેલમાં ફસાયેલા 2 વર્ષના બાળકને મળ્યું જીવનદાન, અનેક કલાકોની જહેમત બાદ બાળકને બહાર કાઢવામાં મળી સફળતા...


  • Published By :
  • Published Date : 2024-02-07 13:11:37

આપણે ત્યાં અનેક એવી ઘટનાઓ થાય છે જે વારંવાર ઘટે છે પરંતુ તેમાંથી આપણે બોધપાઠ લેતા નથી! જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે તેની પર વિચારીએ છીએ કે આવી ઘટનાઓ ના થવી જોઈએ. થોડા સમય માટે એકદમ એક્ટિવ થઈ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ થોડો સમય વિત્યા પછી પરિસ્થિતિ ત્યાંની ત્યાં આવીને ઉભી રહી જાય છે. આ વાત અમે જામનગરથી સામે આવેલી ઘટના પરથી કહી રહ્યા છીએ. રાજ્યમાં બોરવેલમાં બાળકો ફસાવાની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બે વર્ષનું બાળક ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. કલાકો સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી અને અંતે બાળકને બહાર કાઢવામાં સફળતા મળી.   

News18 Gujarati

News18 Gujarati

બોરવેલમાં ફસાયું હતું બે વર્ષનું બાળક  

અનેક જગ્યાઓ પર બોરવેલ ખોદવામાં આવે છે. બોરવેલ ખોદવામાં તો આવે છે પરંતુ તેને બંધ કરવાની તસ્દી લેવામાં આવતી નથી જેને કારણે બાળકો બોરવેલની અંદર ફસાઈ જતા હોય છે. આવી ઘટનાઓ રાજ્યમાં બનવી સામાન્ય થઈ ગઈ છે તેવું લાગે છે. ગઈકાલે 2 વર્ષનું બાળક બોરવેલમાં ફસાઈ ગયું હતું. બાળકનો જીવ બચાવવા માટે પ્રયત્નો શરૂ કરાયા હતા.  બે વર્ષનું બાળક 15 થી 20 ફૂટ ઊંડા બોરમાં ફસાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેતમજૂરનું બે વર્ષનું બાળક સાંજના સમયે ખેતરમાં રમતા રમતા બોરમાં પડી જતા જ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક જામનગર ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી અને બાળકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.   

News18 Gujarati

મોડી રાત્રે બાળકને બહાર કાઢવામાં મળી સફળતા  

બાળકનો જીવ બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ તંત્રને કરાતા તાત્કાલિક NDRF અને રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. બાળકને ઓક્સિજનની કમી ન પડે તે માટે  ઓક્સિજન પણ અપાયો હતો. વિવિધ ટીમોના સભ્યોએ બાળકને બચાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા અને અંતે તેમના પ્રયાસો રંગ લાવ્યા અને બાળકનો જીવ બચી ગયો. બાળકને બહાર કાઢવામાં આવતા રેસ્ક્યુની કામગીરી કરી રહેલી ટીમે તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મહત્વનું છે કે આવી ઘટનાઓ ફરી ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ.   

News18 Gujarati



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"