Jamnagar : બોરવેલમાં ફસાયેલા 2 વર્ષના બાળકને મળ્યું જીવનદાન, અનેક કલાકોની જહેમત બાદ બાળકને બહાર કાઢવામાં મળી સફળતા...


  • Published By :
  • Published Date : 2024-02-07 13:11:37

આપણે ત્યાં અનેક એવી ઘટનાઓ થાય છે જે વારંવાર ઘટે છે પરંતુ તેમાંથી આપણે બોધપાઠ લેતા નથી! જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે તેની પર વિચારીએ છીએ કે આવી ઘટનાઓ ના થવી જોઈએ. થોડા સમય માટે એકદમ એક્ટિવ થઈ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ થોડો સમય વિત્યા પછી પરિસ્થિતિ ત્યાંની ત્યાં આવીને ઉભી રહી જાય છે. આ વાત અમે જામનગરથી સામે આવેલી ઘટના પરથી કહી રહ્યા છીએ. રાજ્યમાં બોરવેલમાં બાળકો ફસાવાની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બે વર્ષનું બાળક ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. કલાકો સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી અને અંતે બાળકને બહાર કાઢવામાં સફળતા મળી.   

News18 Gujarati

News18 Gujarati

બોરવેલમાં ફસાયું હતું બે વર્ષનું બાળક  

અનેક જગ્યાઓ પર બોરવેલ ખોદવામાં આવે છે. બોરવેલ ખોદવામાં તો આવે છે પરંતુ તેને બંધ કરવાની તસ્દી લેવામાં આવતી નથી જેને કારણે બાળકો બોરવેલની અંદર ફસાઈ જતા હોય છે. આવી ઘટનાઓ રાજ્યમાં બનવી સામાન્ય થઈ ગઈ છે તેવું લાગે છે. ગઈકાલે 2 વર્ષનું બાળક બોરવેલમાં ફસાઈ ગયું હતું. બાળકનો જીવ બચાવવા માટે પ્રયત્નો શરૂ કરાયા હતા.  બે વર્ષનું બાળક 15 થી 20 ફૂટ ઊંડા બોરમાં ફસાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેતમજૂરનું બે વર્ષનું બાળક સાંજના સમયે ખેતરમાં રમતા રમતા બોરમાં પડી જતા જ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક જામનગર ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી અને બાળકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.   

News18 Gujarati

મોડી રાત્રે બાળકને બહાર કાઢવામાં મળી સફળતા  

બાળકનો જીવ બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ તંત્રને કરાતા તાત્કાલિક NDRF અને રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. બાળકને ઓક્સિજનની કમી ન પડે તે માટે  ઓક્સિજન પણ અપાયો હતો. વિવિધ ટીમોના સભ્યોએ બાળકને બચાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા અને અંતે તેમના પ્રયાસો રંગ લાવ્યા અને બાળકનો જીવ બચી ગયો. બાળકને બહાર કાઢવામાં આવતા રેસ્ક્યુની કામગીરી કરી રહેલી ટીમે તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મહત્વનું છે કે આવી ઘટનાઓ ફરી ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ.   

News18 Gujarati



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે