જો તમે પણ બહારનું ખાવાનું વિચારતા હોવ તો પહેલા આ વાંચી લેજો, Jamnagarના US Pizzaના આઉટલેટના પિઝામાંથી નીકળ્યો વંદો,


  • Published By :
  • Published Date : 2023-09-30 15:30:11

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી વંદા નિકળી રહ્યા છે. જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કયા ત્યારે તેમથી વંદો નિકળ્યો!

 

 જોકે, આવી ફરિયાદ બાદ યુએસ પિઝાના દુકાનદારે માફી માંગી હતી. જોકે, ગ્રાહક પી. પી. ગોસ્વામી આજે ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાના છે.

આઈસ્ક્રીમમાંથી નિકળ્યો હતો વંદો 

બહારનું કંઈ ખાવું હોય ત્યારે આપણે કોઈ Standard જગ્યા પર જઈએ છીએ. એવું માનીને કે ત્યાંની વસ્તુઓ સારી આવતી હશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે વીડિયો, જે સમાચારો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. કોઈ વખત ખાવાની વસ્તુમાં મચ્છર નીકળે છે તો કોઈ વખત ખાવાની વસ્તુમાંથી વંદો નીકળે છે. જી હાં, થોડા સમય પહેલા ચાશવાલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં આઈસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો હતો ત્યારે હવે પિઝામાંથી વંદો નિકળ્યો છે.

  

 જામનગરનો પરિવાર યુએસ પિઝાના આઉટલેટમાં પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાંથી પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે

 જામનગર: છેલ્લા ઘણાં સમયથી રાજ્યના વિવિધ શહેરોની મોટી મોટી બ્રાંડની ખાવાની દુકાનોમાંથી જીવડાં નીકળવાની વાતો બહાર આવી રહી છે. ત્યારે જામનગરમાંથી આજે ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરનો એક્સ આર્મી મેનનો પરિવાર યુએસ પિઝા ઝોનમાં પિઝા ખાવા ગયા હતા. જ્યાંથી પિઝામાંથી જીવાત-વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, શુક્રવારે જામનગરના છાશવાલાના આઇસ્ક્રીમમાંથી પણ જીવાત નીકળી હતી.

યુએસ પીઝાના પીઝામાંથી નીકળ્યો વંદો  

જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કર્યો ત્યારે તેમથી વંદો નિકળ્યો!  JMC ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે જ્યારે ચોંકાવનારી વાત એ છે કે ગઈકાલે જામનગરમાં છાશવાલા શોપની આઇસક્રીમમાંથી વંદો નીકળ્યાનું સામે આવ્યું  હતું. એક ગ્રાહકે છાશવાલા શોપથી આઈસ્ક્રીમ લીધા બાદ તેમાં જીવાત જેવુ દેખાતા તાત્કાલિક તેમણે છાશવાલાના કસ્ટમર કેર નંબર પર વાત કરી હતી. જોકે કસ્ટમર કેર દ્વારા ગ્રાહકને અભદ્ર ભાષામાં જવાબ અપાયો હોય તેવા આક્ષેપો થયા છે. 


અમદાવાદમાં પણ બની ચૂક્યો છે આવો કિસ્સો

આ તરફ ઘટનાને લઈ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પહોંચી ચેકિંગ હાથ ધરી હતી. તે દરમિયાન ફ્રિજમાંથી પણ વંદા મળી આવ્યા હતા. થોડા દિવસ પેહલા પણ આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલમાં પણ બન્યો હતો. અને અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે આવેલા લાપીનોઝ પીઝા સેન્ટરમાંથી કસ્ટમરે પીઝા મંગાવ્યા હતા.પીઝામાંથી વંદો નિકડવાનો કિસ્સો સામે આવ્યો હતો. 


આરોગ્ય વિભાગની ટીમની કામગીરી પર પણ ઉઠે છે અનેક પ્રશ્નો 

જો તમે બ્રાન્ડેડ પીઝા ખાવા માટે જાઓ છો તો બે વખત તપાસ કરી લેજો કારણકે હવે આવા બ્રાન્ડેડ પીઝામાં પણ જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હોટલ અને રેસ્ટોરેન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થી રહ્યા છે. અનેક  હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. આ બધુ થયા પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી પર  પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 


જો તમે પણ બહારનું ખાવ છો તો ચેતી જજો...

છેલ્લા એક મહિનામાં આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પીઝા સેન્ટરોના પીઝામાંથી જીવજંતુઓ નીકળતા હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આવા પીત્ઝા સેન્ટરોના આઉટલેટ સામે કડક કાર્યવાહી અને ચેકિંગ હાથ ધરવું જોઈએ પરંતુ તેવી નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તમે પણ બહારનું ખાવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો...    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.