જો તમે પણ બહારનું ખાવાનું વિચારતા હોવ તો પહેલા આ વાંચી લેજો, Jamnagarના US Pizzaના આઉટલેટના પિઝામાંથી નીકળ્યો વંદો,


  • Published By :
  • Published Date : 2023-09-30 15:30:11

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી વંદા નિકળી રહ્યા છે. જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કયા ત્યારે તેમથી વંદો નિકળ્યો!

 

 જોકે, આવી ફરિયાદ બાદ યુએસ પિઝાના દુકાનદારે માફી માંગી હતી. જોકે, ગ્રાહક પી. પી. ગોસ્વામી આજે ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાના છે.

આઈસ્ક્રીમમાંથી નિકળ્યો હતો વંદો 

બહારનું કંઈ ખાવું હોય ત્યારે આપણે કોઈ Standard જગ્યા પર જઈએ છીએ. એવું માનીને કે ત્યાંની વસ્તુઓ સારી આવતી હશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે વીડિયો, જે સમાચારો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. કોઈ વખત ખાવાની વસ્તુમાં મચ્છર નીકળે છે તો કોઈ વખત ખાવાની વસ્તુમાંથી વંદો નીકળે છે. જી હાં, થોડા સમય પહેલા ચાશવાલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં આઈસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો હતો ત્યારે હવે પિઝામાંથી વંદો નિકળ્યો છે.

  

 જામનગરનો પરિવાર યુએસ પિઝાના આઉટલેટમાં પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાંથી પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે

 જામનગર: છેલ્લા ઘણાં સમયથી રાજ્યના વિવિધ શહેરોની મોટી મોટી બ્રાંડની ખાવાની દુકાનોમાંથી જીવડાં નીકળવાની વાતો બહાર આવી રહી છે. ત્યારે જામનગરમાંથી આજે ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરનો એક્સ આર્મી મેનનો પરિવાર યુએસ પિઝા ઝોનમાં પિઝા ખાવા ગયા હતા. જ્યાંથી પિઝામાંથી જીવાત-વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, શુક્રવારે જામનગરના છાશવાલાના આઇસ્ક્રીમમાંથી પણ જીવાત નીકળી હતી.

યુએસ પીઝાના પીઝામાંથી નીકળ્યો વંદો  

જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કર્યો ત્યારે તેમથી વંદો નિકળ્યો!  JMC ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે જ્યારે ચોંકાવનારી વાત એ છે કે ગઈકાલે જામનગરમાં છાશવાલા શોપની આઇસક્રીમમાંથી વંદો નીકળ્યાનું સામે આવ્યું  હતું. એક ગ્રાહકે છાશવાલા શોપથી આઈસ્ક્રીમ લીધા બાદ તેમાં જીવાત જેવુ દેખાતા તાત્કાલિક તેમણે છાશવાલાના કસ્ટમર કેર નંબર પર વાત કરી હતી. જોકે કસ્ટમર કેર દ્વારા ગ્રાહકને અભદ્ર ભાષામાં જવાબ અપાયો હોય તેવા આક્ષેપો થયા છે. 


અમદાવાદમાં પણ બની ચૂક્યો છે આવો કિસ્સો

આ તરફ ઘટનાને લઈ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પહોંચી ચેકિંગ હાથ ધરી હતી. તે દરમિયાન ફ્રિજમાંથી પણ વંદા મળી આવ્યા હતા. થોડા દિવસ પેહલા પણ આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલમાં પણ બન્યો હતો. અને અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે આવેલા લાપીનોઝ પીઝા સેન્ટરમાંથી કસ્ટમરે પીઝા મંગાવ્યા હતા.પીઝામાંથી વંદો નિકડવાનો કિસ્સો સામે આવ્યો હતો. 


આરોગ્ય વિભાગની ટીમની કામગીરી પર પણ ઉઠે છે અનેક પ્રશ્નો 

જો તમે બ્રાન્ડેડ પીઝા ખાવા માટે જાઓ છો તો બે વખત તપાસ કરી લેજો કારણકે હવે આવા બ્રાન્ડેડ પીઝામાં પણ જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હોટલ અને રેસ્ટોરેન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થી રહ્યા છે. અનેક  હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. આ બધુ થયા પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી પર  પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 


જો તમે પણ બહારનું ખાવ છો તો ચેતી જજો...

છેલ્લા એક મહિનામાં આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પીઝા સેન્ટરોના પીઝામાંથી જીવજંતુઓ નીકળતા હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આવા પીત્ઝા સેન્ટરોના આઉટલેટ સામે કડક કાર્યવાહી અને ચેકિંગ હાથ ધરવું જોઈએ પરંતુ તેવી નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તમે પણ બહારનું ખાવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો...    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.