Jamnagar : મોટી ખાવડી પાસે આવેલા રિલાયન્સ મોલમાં લાગી ભીષણ આગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 10:08:41

આગ લાગવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગને કારણે માલહાની તો થાય છે પરંતુ અનેક વખત જાનહાની પણ થાય છે. ત્યારે ગઈકાલે જામનગરમાં મોડી રાત્રે રિલાયન્સ મોલમાં એકાએક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં બની હતી,

આગની ઘટનામાં નથી થઈ કોઈ જાનહાની! 

જામનગરમાં ગુરૂવાર રાત્રે આગ લાગવાની દુર્ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં મોડી રાત્રે એવી ભયંકર આગ લાગી કે આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા! આ આગ એવા સમયે લાગી જ્યારે મોલ બંધ હતો. રિલાયન્સના પ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગના ધુમાડા ઉંચે સુધી ઉડ્યા હતા. 



અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા!

મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી. મોલ બંધ હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુ લેવાના કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા. મોલનો 60 ટકા જેટલો ભાગ આગમાં ખાખ થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે. અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા હતા, 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.