Jamnagar : મોટી ખાવડી પાસે આવેલા રિલાયન્સ મોલમાં લાગી ભીષણ આગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-09 10:08:41

આગ લાગવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગને કારણે માલહાની તો થાય છે પરંતુ અનેક વખત જાનહાની પણ થાય છે. ત્યારે ગઈકાલે જામનગરમાં મોડી રાત્રે રિલાયન્સ મોલમાં એકાએક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં બની હતી,

આગની ઘટનામાં નથી થઈ કોઈ જાનહાની! 

જામનગરમાં ગુરૂવાર રાત્રે આગ લાગવાની દુર્ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં મોડી રાત્રે એવી ભયંકર આગ લાગી કે આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા! આ આગ એવા સમયે લાગી જ્યારે મોલ બંધ હતો. રિલાયન્સના પ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગના ધુમાડા ઉંચે સુધી ઉડ્યા હતા. 



અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા!

મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી. મોલ બંધ હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુ લેવાના કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા. મોલનો 60 ટકા જેટલો ભાગ આગમાં ખાખ થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે. અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા હતા, 



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.