Jamnagar : મોટી ખાવડી પાસે આવેલા રિલાયન્સ મોલમાં લાગી ભીષણ આગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 10:08:41

આગ લાગવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગને કારણે માલહાની તો થાય છે પરંતુ અનેક વખત જાનહાની પણ થાય છે. ત્યારે ગઈકાલે જામનગરમાં મોડી રાત્રે રિલાયન્સ મોલમાં એકાએક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં બની હતી,

આગની ઘટનામાં નથી થઈ કોઈ જાનહાની! 

જામનગરમાં ગુરૂવાર રાત્રે આગ લાગવાની દુર્ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં મોડી રાત્રે એવી ભયંકર આગ લાગી કે આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા! આ આગ એવા સમયે લાગી જ્યારે મોલ બંધ હતો. રિલાયન્સના પ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગના ધુમાડા ઉંચે સુધી ઉડ્યા હતા. 



અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા!

મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી. મોલ બંધ હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુ લેવાના કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા. મોલનો 60 ટકા જેટલો ભાગ આગમાં ખાખ થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે. અનંત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા હતા, 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.