જામનગર: લાલપુરના ગોવાણામાં બે વર્ષનું બાળક બોરવેલમાં પડતા તંત્ર દોડતું થયું, રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ


  • Published By :
  • Published Date : 2024-02-06 21:35:49

રાજ્યમાં બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાઓ વધી રહી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક પડી જતા હાહાકાર મચ્યો છે.  બે વર્ષનું બાળક 15 થી 20 ફૂટ ઊંડા બોરમાં ફસાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેતમજૂરનું બે વર્ષનું બાળક સાંજના સમયે ખેતરમાં રમતા રમતા બોરમાં પડી જતા જ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક જામનગર ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. સાંજે 6 કલાક આસપાસ આ બનાવ બન્યો હતો. બાળક બોરવેલમાં પડવાના સમાચાર મળતા તંત્ર પણ દોડતું થયું છે. જામનગરથી ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. 


રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી છે. જામનગરથી ફાયરબ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. ફાયરની ટીમ દ્વારા હાલ બાળકને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને બોરવેલની નજીકમાં જ જેસીબીની મદદથી ખાડો પણ ખોદવાની શરૂઆત કરવામાં આવી છે. બાળક બોરવેલમાં પડ્યું હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. બાળકના રડવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.


ધારાસભ્ય હેમંત ખવાએ આપી માહિતી


બોરવેલમાં બાળક પડી જવાની ઘટના અંગે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં અઢી વર્ષનું બાળક પડ્યાની જાણ થઈ છે. સ્થાનિક તંત્ર બાળકને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યું છે. મેં મારા પ્રયાસથી એક રોબર્ટ તાત્કાલિક પહોંચે તેવા પ્રયાસ કર્યા છે. અમરેલીથી એક રોબોટ પણ બાળકને બહાર કાઢવા પહોંચી રહ્યો છે. NDRFનો સંપર્ક કરતા તેને 5 કલાક જેટલો સમય લાગશે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.