Jamnagar : ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવાનને આવ્યો હાર્ટ એટેક, પરિવારે ગુમાવ્યો લાડકવાયો, જાણો શું છે હાર્ટ એટેકના લક્ષણો?


  • Published By :
  • Published Date : 2023-09-26 12:02:23

હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવવા જાણે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગે છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી ગયું છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જેમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. જે યુવકનું મોત થયું છે તે પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ગરબાની પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના બની. અચાનક યુવકના નિધનથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મૃતકનું નામ વિનીત કુંવરીયા છે. 

Jamnagar: 19-year-old dies of heart attack while practicing Garba in Jamnagar Jamnagar: જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા સમયે આવ્યો હાર્ટ અટેક, 19 વર્ષના યુવકનું મોત

ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક

નવરાત્રીની શરૂઆત થોડા સમય બાદ થવાની છે. નવરાત્રીમાં ગરબાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. ગરબાની પ્રેક્ટિસ માટે લોકો ગરબાના ક્લાસીસમાં જતા હોય છે. નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવા માટે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પરંતુ આ પ્રેક્ટિસ અનેક લોકો માટે આખરી બનતી હોય છે. થોડા સમય પહેલા રાજકોટથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું ત્યારે ફરી હાર્ટ એટેકનો કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. 


અનેક લોકોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે 

મહત્વનું છે કે અનેક કિસ્સાઓ હાર્ટ એટેકના સામે આવી રહ્યા છે. સાજો દેખતો માણસ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી હોતી. થોડા સમય પહેલા રાજકોટમાં 24 કલાકની અંદર ત્રણ જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. ચગડોળમાં બેઠેલી મહિલા કાળનો કોળિયો બની ગઈ હતી. મહત્વનું છે કે આવા કિસ્સાઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના કાર્યક્રમમાં 25 વર્ષીય યુવકનું નિધન હાર્ટ એટેકને કારણે થઈ ગયું. 


શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો? 

હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો છાતીમાં ભારેપણું લાગે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ શ્વાસ લેવાની તકલીફ પડવી. એક કે બે માળની સિડીઓ ચઢો અને ઉતરો તો શ્વાસ લેવામાં તકલીફ પડે. અનેક કિસ્સાઓમાં ચક્કર આવવા અથવા તો ગભરામણ થવી પણ બનતું હોય છે. આ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જો આવું થાય તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. કોઈ વખત એવું પણ થાય કે ખાધા પછી ગળામાં બળતરા શરૂ થઈ જાય. દિવસ દરમિયાન જ્યારે પણ તમે કંઇક ખાઓ ત્યારે પણ આ અનુભવી શકાય છે. આ પણ હૃદય હુમલાનું લક્ષણ હોઈ શકે છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી