Jamnagar : ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવાનને આવ્યો હાર્ટ એટેક, પરિવારે ગુમાવ્યો લાડકવાયો, જાણો શું છે હાર્ટ એટેકના લક્ષણો?


  • Published By :
  • Published Date : 2023-09-26 12:02:23

હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવવા જાણે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગે છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી ગયું છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જેમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. જે યુવકનું મોત થયું છે તે પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ગરબાની પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના બની. અચાનક યુવકના નિધનથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મૃતકનું નામ વિનીત કુંવરીયા છે. 

Jamnagar: 19-year-old dies of heart attack while practicing Garba in Jamnagar Jamnagar: જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા સમયે આવ્યો હાર્ટ અટેક, 19 વર્ષના યુવકનું મોત

ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક

નવરાત્રીની શરૂઆત થોડા સમય બાદ થવાની છે. નવરાત્રીમાં ગરબાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. ગરબાની પ્રેક્ટિસ માટે લોકો ગરબાના ક્લાસીસમાં જતા હોય છે. નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવા માટે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પરંતુ આ પ્રેક્ટિસ અનેક લોકો માટે આખરી બનતી હોય છે. થોડા સમય પહેલા રાજકોટથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું ત્યારે ફરી હાર્ટ એટેકનો કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. 


અનેક લોકોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે 

મહત્વનું છે કે અનેક કિસ્સાઓ હાર્ટ એટેકના સામે આવી રહ્યા છે. સાજો દેખતો માણસ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી હોતી. થોડા સમય પહેલા રાજકોટમાં 24 કલાકની અંદર ત્રણ જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. ચગડોળમાં બેઠેલી મહિલા કાળનો કોળિયો બની ગઈ હતી. મહત્વનું છે કે આવા કિસ્સાઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના કાર્યક્રમમાં 25 વર્ષીય યુવકનું નિધન હાર્ટ એટેકને કારણે થઈ ગયું. 


શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો? 

હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો છાતીમાં ભારેપણું લાગે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ શ્વાસ લેવાની તકલીફ પડવી. એક કે બે માળની સિડીઓ ચઢો અને ઉતરો તો શ્વાસ લેવામાં તકલીફ પડે. અનેક કિસ્સાઓમાં ચક્કર આવવા અથવા તો ગભરામણ થવી પણ બનતું હોય છે. આ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જો આવું થાય તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. કોઈ વખત એવું પણ થાય કે ખાધા પછી ગળામાં બળતરા શરૂ થઈ જાય. દિવસ દરમિયાન જ્યારે પણ તમે કંઇક ખાઓ ત્યારે પણ આ અનુભવી શકાય છે. આ પણ હૃદય હુમલાનું લક્ષણ હોઈ શકે છે.    



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .