જામનગર કલેકટર અને કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર વચ્ચે શાબ્દિક ટપાટપી, વીડિયો વાયરલ, શું છે સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-31 14:22:22

દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને ભારત સરકારની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ ભારતના બંધારણ અંગે કરેલી એક ટિપ્પણીએ સમગ્ર દેશમાં ભારે વિવાદ જગાવ્યો છે. આ મામલે આજે આવેદન આપવા ગયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર અને જામનગરના જિલ્લા કલેકટર અને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી. જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમારે ઉગ્ર થઈને રજુઆત કરતા મામલો ગરમાયો હતો. કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર તેમના સમર્થકો સાથે બીબેક ડેબોરોય સામે દેશદ્રોહ તથા સંવિધાન વિરોધી ટીપ્પણી કરવા અંગે કાયદેસર કાર્યવાહી કરવા અને સંવિધાનનું રક્ષણ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગરમા જિલ્લા કલેકટર ને પાઠવાયું હતું. આ સમયે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીને કલેકટર સાથે જીભાજોડી થઈ હતી. એક તબક્કે તો ડો. દિનેશ પરમારે જો સ્થિતિ બગડે તો કહેતા નહીં તેવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. 


શું કહ્યું ડો.દિનેશ પરમારે?


જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને કલેકટર બિજલ શાહે ડિસીપ્લીન અને ડેકોરમ જાળવવા સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરતા મામલો બિચક્યો હતો. કલેક્ટરની ગેરવર્તણૂક જોઈ ગુસ્સે થયેલા ડો. દિનેશભાઈ પરમારે ખૂબ જ આક્રમક અને ઉગ્ર રજુઆતો કરી હતી અને કલેકટરને જણાવી દીધું હતું કે આપ આવેદનપત્ર સ્વીકારવામાં કોઈ મહેરબાની કરતા નથી. એ તમારી ફરજ છે, આ ચેમ્બર પણ પ્રજાની છે. કલેકટરની પર્સનલ નથી. જો આવેદન નહીં સ્વીકારોતો સ્થિતિ બગડશે તેની જવાબદારી મારી રહેશે નહીં. અંતે મામલો થાળે પડતા કલેકટરે આવેદનપત્ર સ્વીકારી લીધું હતું.


સમગ્ર મામલો શું છે?


ભારત સરકારના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ દેશના એક જાણીતા અખબારમાં બંધારણની વિરૃદ્ધમાં એક લેખ લખ્યો હતો કે, જેમાં તેમણે દેશમાં નવા સંવિધાનની જરૂરીયા હોવા ભાર મુક્યો હતો અને 2047 સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ ઉપરાંત વધુમાં તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતનું બંધારણએ કોલોનીયલ લેગેસી છે. જે અંગ્રેજો દ્વારા 1935માં બનાવાયું હતું તેનું જ એક રૂપ છે. પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને જામનગર જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં  સંવિધાન વિરૃદ્ધ પ્રવૃત્તિ કરનાર સંગઠનો, રાજકીય પાર્ટીઓ, નેતાઓ, વ્યક્તિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ તેવી માગ કરી હતી. આ આવેદનપત્રમાં એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે, હાલ નું ભારતનું સંવિધાન વિશ્વમાં શ્રેષ્ઠ છે, જેના રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકર છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.