જામનગર કલેકટર અને કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર વચ્ચે શાબ્દિક ટપાટપી, વીડિયો વાયરલ, શું છે સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-31 14:22:22

દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને ભારત સરકારની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ ભારતના બંધારણ અંગે કરેલી એક ટિપ્પણીએ સમગ્ર દેશમાં ભારે વિવાદ જગાવ્યો છે. આ મામલે આજે આવેદન આપવા ગયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર અને જામનગરના જિલ્લા કલેકટર અને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી. જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમારે ઉગ્ર થઈને રજુઆત કરતા મામલો ગરમાયો હતો. કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર તેમના સમર્થકો સાથે બીબેક ડેબોરોય સામે દેશદ્રોહ તથા સંવિધાન વિરોધી ટીપ્પણી કરવા અંગે કાયદેસર કાર્યવાહી કરવા અને સંવિધાનનું રક્ષણ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગરમા જિલ્લા કલેકટર ને પાઠવાયું હતું. આ સમયે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીને કલેકટર સાથે જીભાજોડી થઈ હતી. એક તબક્કે તો ડો. દિનેશ પરમારે જો સ્થિતિ બગડે તો કહેતા નહીં તેવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. 


શું કહ્યું ડો.દિનેશ પરમારે?


જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને કલેકટર બિજલ શાહે ડિસીપ્લીન અને ડેકોરમ જાળવવા સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરતા મામલો બિચક્યો હતો. કલેક્ટરની ગેરવર્તણૂક જોઈ ગુસ્સે થયેલા ડો. દિનેશભાઈ પરમારે ખૂબ જ આક્રમક અને ઉગ્ર રજુઆતો કરી હતી અને કલેકટરને જણાવી દીધું હતું કે આપ આવેદનપત્ર સ્વીકારવામાં કોઈ મહેરબાની કરતા નથી. એ તમારી ફરજ છે, આ ચેમ્બર પણ પ્રજાની છે. કલેકટરની પર્સનલ નથી. જો આવેદન નહીં સ્વીકારોતો સ્થિતિ બગડશે તેની જવાબદારી મારી રહેશે નહીં. અંતે મામલો થાળે પડતા કલેકટરે આવેદનપત્ર સ્વીકારી લીધું હતું.


સમગ્ર મામલો શું છે?


ભારત સરકારના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ દેશના એક જાણીતા અખબારમાં બંધારણની વિરૃદ્ધમાં એક લેખ લખ્યો હતો કે, જેમાં તેમણે દેશમાં નવા સંવિધાનની જરૂરીયા હોવા ભાર મુક્યો હતો અને 2047 સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ ઉપરાંત વધુમાં તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતનું બંધારણએ કોલોનીયલ લેગેસી છે. જે અંગ્રેજો દ્વારા 1935માં બનાવાયું હતું તેનું જ એક રૂપ છે. પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને જામનગર જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં  સંવિધાન વિરૃદ્ધ પ્રવૃત્તિ કરનાર સંગઠનો, રાજકીય પાર્ટીઓ, નેતાઓ, વ્યક્તિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ તેવી માગ કરી હતી. આ આવેદનપત્રમાં એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે, હાલ નું ભારતનું સંવિધાન વિશ્વમાં શ્રેષ્ઠ છે, જેના રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકર છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી