જામનગર કલેકટર અને કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર વચ્ચે શાબ્દિક ટપાટપી, વીડિયો વાયરલ, શું છે સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-31 14:22:22

દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને ભારત સરકારની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ ભારતના બંધારણ અંગે કરેલી એક ટિપ્પણીએ સમગ્ર દેશમાં ભારે વિવાદ જગાવ્યો છે. આ મામલે આજે આવેદન આપવા ગયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર અને જામનગરના જિલ્લા કલેકટર અને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી. જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમારે ઉગ્ર થઈને રજુઆત કરતા મામલો ગરમાયો હતો. કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર તેમના સમર્થકો સાથે બીબેક ડેબોરોય સામે દેશદ્રોહ તથા સંવિધાન વિરોધી ટીપ્પણી કરવા અંગે કાયદેસર કાર્યવાહી કરવા અને સંવિધાનનું રક્ષણ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગરમા જિલ્લા કલેકટર ને પાઠવાયું હતું. આ સમયે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીને કલેકટર સાથે જીભાજોડી થઈ હતી. એક તબક્કે તો ડો. દિનેશ પરમારે જો સ્થિતિ બગડે તો કહેતા નહીં તેવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. 


શું કહ્યું ડો.દિનેશ પરમારે?


જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને કલેકટર બિજલ શાહે ડિસીપ્લીન અને ડેકોરમ જાળવવા સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરતા મામલો બિચક્યો હતો. કલેક્ટરની ગેરવર્તણૂક જોઈ ગુસ્સે થયેલા ડો. દિનેશભાઈ પરમારે ખૂબ જ આક્રમક અને ઉગ્ર રજુઆતો કરી હતી અને કલેકટરને જણાવી દીધું હતું કે આપ આવેદનપત્ર સ્વીકારવામાં કોઈ મહેરબાની કરતા નથી. એ તમારી ફરજ છે, આ ચેમ્બર પણ પ્રજાની છે. કલેકટરની પર્સનલ નથી. જો આવેદન નહીં સ્વીકારોતો સ્થિતિ બગડશે તેની જવાબદારી મારી રહેશે નહીં. અંતે મામલો થાળે પડતા કલેકટરે આવેદનપત્ર સ્વીકારી લીધું હતું.


સમગ્ર મામલો શું છે?


ભારત સરકારના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ દેશના એક જાણીતા અખબારમાં બંધારણની વિરૃદ્ધમાં એક લેખ લખ્યો હતો કે, જેમાં તેમણે દેશમાં નવા સંવિધાનની જરૂરીયા હોવા ભાર મુક્યો હતો અને 2047 સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ ઉપરાંત વધુમાં તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતનું બંધારણએ કોલોનીયલ લેગેસી છે. જે અંગ્રેજો દ્વારા 1935માં બનાવાયું હતું તેનું જ એક રૂપ છે. પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને જામનગર જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં  સંવિધાન વિરૃદ્ધ પ્રવૃત્તિ કરનાર સંગઠનો, રાજકીય પાર્ટીઓ, નેતાઓ, વ્યક્તિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ તેવી માગ કરી હતી. આ આવેદનપત્રમાં એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે, હાલ નું ભારતનું સંવિધાન વિશ્વમાં શ્રેષ્ઠ છે, જેના રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકર છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.