Jamnagar : Rahul Gandhiનાં નિવેદન પર જામ સાહેબે આપી પ્રતિક્રિયા, ઉદાહરણ આપી કહ્યું કે


  • Published By :
  • Published Date : 2024-05-01 18:02:50

ગુજરાતમાં થોડા સમયથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે... પહેલા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તો તે બાદ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે.... પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં જામનગરના જામસાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ત્યારે આજે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર જામસાહેબે પ્રતિક્રિયા આપી છે...    

જામસાહેબે આપી રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે રાજનીતિ ગરમાતી હોય છે.. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ક્ષત્રિયોમાં આક્રોશ ડબલ થઈ ગયો અત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે અને હવે ના માત્ર પરષોતમ રૂપાલા પણ હવે રાહુલ ગાંધી સામે પણ ક્ષત્રિયોએ લાલ આંખ કરી છે. ત્યારે આજે રાહુલ ગાંધીના નિવેદન પર જામ સાહેબે ખેડૂતના ઉદાહરણ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. 


પત્રમાં શેનો કરાયો છે ઉલ્લેખ?

જામસાહેબે એક ખેડૂતને તેની જમીનના બદલે ડબલ જમીન કૂવો પાણી અને બાજરો વાવેલી જમીન આપવામાં આવી હતી એ વાત સાથે એક પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે જ્યારે મહારાજા જામસાહેબ શ્રી રણજીતસિંહજી ઓફ નવાનગર તેમનું નવું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા હતા. તે સમય દરમિયાન એક દિવસ તેઓ ઘોડેસવારીએ એક નાની વાડી જે એમના નવા ગેસ્ટ હાઉસથી નજીકમાં હતી તેની મુલાકાતે ગયા. જામસાહેબે આ વાડીના માલિક ખેડૂતને પ્રશ્ન કર્યો કે એમને ગેસ્ટ હાઉસના ઉપયોગ માટે અહીં બગીચો બનાવવો હોય તો આ વાડી મને એટલે કે જામસાહેબને આપવા તૈયાર છો ? 


ખેડૂતે જામસાહેબને એમ સમજાવવાની અરજ કરી કે આ વાડી ઉપર મારું અને મારા પરિવારના ગુજરાનનો આધાર છે. અમે આ વાડી છોડી દઇએ તો અમે અમારું ગુજરાન કેમ કરીએ ! જવાબમાં જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે આ વાડી મને સોંપો તો એના બદલામાં હું તમને એટલી ને એટલી ખેતીની જમીન આપું. પરંતુ ખેડૂતે નમ્રતાથી કહ્યું કે પોતે જે વાડી સોંપશે તે બહુજ ઉત્તમ ખેતીવાળી છે, જેની સામે આપ અમને જમીન આપશો એ તો પડતર જમીન હશે. એના અનુસંધાને જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે એક વર્ષનો સમય લઇને નવાનગર સ્ટેટની માલિકીની ગમે તે તમને લાયક જમીન દેખાય અને તમને જે પસંદ હોય તે જમીન હું તમને આપીશ.


અમુક સમય બાદ જ્યારે ખેડૂતે જામસાહેબને જણાવ્યું કે તેણે એક જમીન પસંદ કરી છે. ત્યાર પછી એક રાજનો અમલદાર ગાડી લઇને ખેડૂતને તે જમીન દેખાડવા લઇ ગયો. ઘણા દિવસો વીતી જતાં, ખેડૂતના પરિવારના સભ્યો કહેવા લાગ્યા કે મહારાજા આપણી સાથે તો બહુજ સારી રીતે વાતો કરી ગયા પરંતુ પછી બધુ ભૂલી ગયા લાગે છે. સારી વાત એ હતી કે અચાનક એક દિવસ તે જ રાજના અમલદાર પાછા એ ખેડૂતની વાડીએ આવ્યા અને ખેડૂતને વિનંતી કરી અને જમીન જોવા લઇ ગયા. 



ભૂતકાળમાં એવા રાજાઓ પણ હતા જેમણે.... 

જમીન જોતા ખેડૂતે અમલદારને કહ્યું કે સાહેબ મેં તો એક નાનકડી અને બિલકુલ ઉજ્જડ જમીન પસંદ કરી હતી, જ્યારે આ જમીન તો બમણી મોટી છે, તેમાં સરસ મોટો પાણીથી ભરેલો કૂવો છે, સરસ મકાન ઉભું છે અને જમીનમાં બાજરાનો પાકેલો મોલ ઉભો છે. આ મારી બતાવેલી જમીન કેમ હોય ? ને પછી એ ખેડૂતને અમલદાર સમજાવે છે કે જામ સાહેબે આ ઘર ને બધુ તમારા માટે બનાવ્યું છે પોતાના ખર્ચે અને તમને એમને તમારી જમીન કરતાં બમણી જમીન આપવાનું નક્કી કર્યું હતું અને અંતે પત્રમાં લખ્યું રાજાશાહીના વખતમાં રાજા-મહારાજાઓ આવી રીતે કામ અને જામસાહેબે જે ઉદાહરણ આપ્યું છે એ તમામ લોકોએ યાદ રાખવું જોઈએ કે ભૂતકાળમાં એવા રાજાઓ પણ રહ્યા છે જેમણે માત્ર પ્રજાના કલ્યાણ માટેનું વિચાર્યું છે... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.