Jamnagar : Rahul Gandhiનાં નિવેદન પર જામ સાહેબે આપી પ્રતિક્રિયા, ઉદાહરણ આપી કહ્યું કે


  • Published By :
  • Published Date : 2024-05-01 18:02:50

ગુજરાતમાં થોડા સમયથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે... પહેલા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તો તે બાદ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે.... પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં જામનગરના જામસાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ત્યારે આજે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર જામસાહેબે પ્રતિક્રિયા આપી છે...    

જામસાહેબે આપી રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે રાજનીતિ ગરમાતી હોય છે.. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ક્ષત્રિયોમાં આક્રોશ ડબલ થઈ ગયો અત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે અને હવે ના માત્ર પરષોતમ રૂપાલા પણ હવે રાહુલ ગાંધી સામે પણ ક્ષત્રિયોએ લાલ આંખ કરી છે. ત્યારે આજે રાહુલ ગાંધીના નિવેદન પર જામ સાહેબે ખેડૂતના ઉદાહરણ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. 


પત્રમાં શેનો કરાયો છે ઉલ્લેખ?

જામસાહેબે એક ખેડૂતને તેની જમીનના બદલે ડબલ જમીન કૂવો પાણી અને બાજરો વાવેલી જમીન આપવામાં આવી હતી એ વાત સાથે એક પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે જ્યારે મહારાજા જામસાહેબ શ્રી રણજીતસિંહજી ઓફ નવાનગર તેમનું નવું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા હતા. તે સમય દરમિયાન એક દિવસ તેઓ ઘોડેસવારીએ એક નાની વાડી જે એમના નવા ગેસ્ટ હાઉસથી નજીકમાં હતી તેની મુલાકાતે ગયા. જામસાહેબે આ વાડીના માલિક ખેડૂતને પ્રશ્ન કર્યો કે એમને ગેસ્ટ હાઉસના ઉપયોગ માટે અહીં બગીચો બનાવવો હોય તો આ વાડી મને એટલે કે જામસાહેબને આપવા તૈયાર છો ? 


ખેડૂતે જામસાહેબને એમ સમજાવવાની અરજ કરી કે આ વાડી ઉપર મારું અને મારા પરિવારના ગુજરાનનો આધાર છે. અમે આ વાડી છોડી દઇએ તો અમે અમારું ગુજરાન કેમ કરીએ ! જવાબમાં જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે આ વાડી મને સોંપો તો એના બદલામાં હું તમને એટલી ને એટલી ખેતીની જમીન આપું. પરંતુ ખેડૂતે નમ્રતાથી કહ્યું કે પોતે જે વાડી સોંપશે તે બહુજ ઉત્તમ ખેતીવાળી છે, જેની સામે આપ અમને જમીન આપશો એ તો પડતર જમીન હશે. એના અનુસંધાને જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે એક વર્ષનો સમય લઇને નવાનગર સ્ટેટની માલિકીની ગમે તે તમને લાયક જમીન દેખાય અને તમને જે પસંદ હોય તે જમીન હું તમને આપીશ.


અમુક સમય બાદ જ્યારે ખેડૂતે જામસાહેબને જણાવ્યું કે તેણે એક જમીન પસંદ કરી છે. ત્યાર પછી એક રાજનો અમલદાર ગાડી લઇને ખેડૂતને તે જમીન દેખાડવા લઇ ગયો. ઘણા દિવસો વીતી જતાં, ખેડૂતના પરિવારના સભ્યો કહેવા લાગ્યા કે મહારાજા આપણી સાથે તો બહુજ સારી રીતે વાતો કરી ગયા પરંતુ પછી બધુ ભૂલી ગયા લાગે છે. સારી વાત એ હતી કે અચાનક એક દિવસ તે જ રાજના અમલદાર પાછા એ ખેડૂતની વાડીએ આવ્યા અને ખેડૂતને વિનંતી કરી અને જમીન જોવા લઇ ગયા. 



ભૂતકાળમાં એવા રાજાઓ પણ હતા જેમણે.... 

જમીન જોતા ખેડૂતે અમલદારને કહ્યું કે સાહેબ મેં તો એક નાનકડી અને બિલકુલ ઉજ્જડ જમીન પસંદ કરી હતી, જ્યારે આ જમીન તો બમણી મોટી છે, તેમાં સરસ મોટો પાણીથી ભરેલો કૂવો છે, સરસ મકાન ઉભું છે અને જમીનમાં બાજરાનો પાકેલો મોલ ઉભો છે. આ મારી બતાવેલી જમીન કેમ હોય ? ને પછી એ ખેડૂતને અમલદાર સમજાવે છે કે જામ સાહેબે આ ઘર ને બધુ તમારા માટે બનાવ્યું છે પોતાના ખર્ચે અને તમને એમને તમારી જમીન કરતાં બમણી જમીન આપવાનું નક્કી કર્યું હતું અને અંતે પત્રમાં લખ્યું રાજાશાહીના વખતમાં રાજા-મહારાજાઓ આવી રીતે કામ અને જામસાહેબે જે ઉદાહરણ આપ્યું છે એ તમામ લોકોએ યાદ રાખવું જોઈએ કે ભૂતકાળમાં એવા રાજાઓ પણ રહ્યા છે જેમણે માત્ર પ્રજાના કલ્યાણ માટેનું વિચાર્યું છે... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે