Jamnagar : PM Modiને પહેરાવેલી હાલારી પાઘડીની ટીકા મામલે જામ સાહેબે લખ્યો પત્ર, કહી આ વાત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-06 17:24:17

ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત નથી આવ્યો.. ક્ષત્રિય સમાજ ચૂંટણી પછી પણ આંદોલન યથાવત રાખશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ જામનગરના જામ સાહેબે અનેક વખત પત્ર લખ્યો છે ત્યારે ફરી એક વખત તેમના દ્વારા પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જામસાહેબના પત્રમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પીએમ મોદીને આપેલી પાઘડી અંગે પણ વાત કરવામાં આવી છે..


જામસાહેબે પત્રમાં લખ્યું છે કે - 


હું પહેલા તો કહેવા માંગીશ કે મને એ જોઈને આશ્ચર્ય થયું કે સામાન્ય ગામડામાંથી આવતા સામાન્ય માણસોએ પણ ખુબ વિશાળ સંખ્યામાં હાજર શ્રોતાઓની વચ્ચે આત્મવિશ્વાસથી ભાષણ આપ્યું, એના માટે એમને અભિનંદન પણ આપુ છું, જો કે એમનાં વક્તવ્યનું પરીણામ શું આવી શકે છે એ એમણે નથી વિચાર્યું. જો કે હવે મારી પાસે પણ એમને વળતા પુછવા માટે અમુક પ્રશ્નો છે


સૌથી પહેલા તો પ્રધાનમંત્રી મોદીના માથે મુકવામાં આવેલી હાલારી પાઘડીની વાત, માનનીય પ્રધાનમંત્રી મોદીએ ક્યારેય કોઈ સ્ત્રી કે જાતિ માટે ખોટી ટિપ્પણી નથી કરી, ઉપરથી આપણે જાણીએ છીએ એમ એમણે હંમેશા આઉટ ઓફ વે જઈને પણ બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને દેશની કરોડો સ્ત્રીઓની મદદ અને ઉદ્ધાર માટે કામ કર્યા છે. એટલે આ રીતે તો પ્રધાનમંત્રી મોદીને ના જ મુલવવા જોઈએ. કોઈ કશું બોલે છે તો એના માટે રાષ્ટ્રીય નેતાને કેવી રીતે જવાબદાર માની લેવાનાં!


આ સામાન્ય વક્તાઓ કદાચ એ સમજતા જ નથી કે આપણે લોકશાહી વાળી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં દરેકની પાસે વાણી સ્વતંત્રતા છે. એટલે કોઈ કશું બોલે તો એના જવાબમાં તમે પણ જવાબ આપી શકો છો. જો આ પ્રકારનું અપરિપક્વ વર્તન આપણે ચાલવા દઈશું તો તો એ આપણી લાંબા સંઘર્ષ અને મહાત્મા ગાંધીએ આખુ જીવન આપેલી કુરબાની પછી મળેલી સ્વતંત્રતાને વિનાશમાં ફેરવી દઈશું. 


છેલ્લે એટલું કહીશ કે કોઈના દ્વારા કશું બોલવામાં આવે તો એનાથી તમારા ચારિત્ર્ય પર કોઈ અસર નથી થતી, એ જ રીતે રૂપાલાના બોલવાથી કોઈ પણ સ્ત્રીની ગરિમાને કેવી રીતે અસર થવાની છે! 

- જામ શત્રુશલ્યસિંહજી


પીએમ મોદીએ જ્યારે જામનગરમાં સભા કરી હતી

મહત્વનું છે કે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જામનગરમાં જનસભાને સંબોધી હતી.. જનસભાને સંબોધિત કરતા પહેલા તે જામસાહેબને મળવા માટે પહોંચ્યા હતા. જામસાહેબે તેમને પાઘડી આપી હતી અને જનસભાને સંબોધન કરતી વખતે તેમણે તે પાઘડીને પહેરી રાખી હતી અને પોતાના સંબોધનમાં તેમણે પાઘડીનો ઉલ્લેખ પણ કર્યો હતો. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .