Jamnagar : PM Modiને પહેરાવેલી હાલારી પાઘડીની ટીકા મામલે જામ સાહેબે લખ્યો પત્ર, કહી આ વાત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-06 17:24:17

ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત નથી આવ્યો.. ક્ષત્રિય સમાજ ચૂંટણી પછી પણ આંદોલન યથાવત રાખશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ જામનગરના જામ સાહેબે અનેક વખત પત્ર લખ્યો છે ત્યારે ફરી એક વખત તેમના દ્વારા પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જામસાહેબના પત્રમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પીએમ મોદીને આપેલી પાઘડી અંગે પણ વાત કરવામાં આવી છે..


જામસાહેબે પત્રમાં લખ્યું છે કે - 


હું પહેલા તો કહેવા માંગીશ કે મને એ જોઈને આશ્ચર્ય થયું કે સામાન્ય ગામડામાંથી આવતા સામાન્ય માણસોએ પણ ખુબ વિશાળ સંખ્યામાં હાજર શ્રોતાઓની વચ્ચે આત્મવિશ્વાસથી ભાષણ આપ્યું, એના માટે એમને અભિનંદન પણ આપુ છું, જો કે એમનાં વક્તવ્યનું પરીણામ શું આવી શકે છે એ એમણે નથી વિચાર્યું. જો કે હવે મારી પાસે પણ એમને વળતા પુછવા માટે અમુક પ્રશ્નો છે


સૌથી પહેલા તો પ્રધાનમંત્રી મોદીના માથે મુકવામાં આવેલી હાલારી પાઘડીની વાત, માનનીય પ્રધાનમંત્રી મોદીએ ક્યારેય કોઈ સ્ત્રી કે જાતિ માટે ખોટી ટિપ્પણી નથી કરી, ઉપરથી આપણે જાણીએ છીએ એમ એમણે હંમેશા આઉટ ઓફ વે જઈને પણ બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને દેશની કરોડો સ્ત્રીઓની મદદ અને ઉદ્ધાર માટે કામ કર્યા છે. એટલે આ રીતે તો પ્રધાનમંત્રી મોદીને ના જ મુલવવા જોઈએ. કોઈ કશું બોલે છે તો એના માટે રાષ્ટ્રીય નેતાને કેવી રીતે જવાબદાર માની લેવાનાં!


આ સામાન્ય વક્તાઓ કદાચ એ સમજતા જ નથી કે આપણે લોકશાહી વાળી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં દરેકની પાસે વાણી સ્વતંત્રતા છે. એટલે કોઈ કશું બોલે તો એના જવાબમાં તમે પણ જવાબ આપી શકો છો. જો આ પ્રકારનું અપરિપક્વ વર્તન આપણે ચાલવા દઈશું તો તો એ આપણી લાંબા સંઘર્ષ અને મહાત્મા ગાંધીએ આખુ જીવન આપેલી કુરબાની પછી મળેલી સ્વતંત્રતાને વિનાશમાં ફેરવી દઈશું. 


છેલ્લે એટલું કહીશ કે કોઈના દ્વારા કશું બોલવામાં આવે તો એનાથી તમારા ચારિત્ર્ય પર કોઈ અસર નથી થતી, એ જ રીતે રૂપાલાના બોલવાથી કોઈ પણ સ્ત્રીની ગરિમાને કેવી રીતે અસર થવાની છે! 

- જામ શત્રુશલ્યસિંહજી


પીએમ મોદીએ જ્યારે જામનગરમાં સભા કરી હતી

મહત્વનું છે કે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જામનગરમાં જનસભાને સંબોધી હતી.. જનસભાને સંબોધિત કરતા પહેલા તે જામસાહેબને મળવા માટે પહોંચ્યા હતા. જામસાહેબે તેમને પાઘડી આપી હતી અને જનસભાને સંબોધન કરતી વખતે તેમણે તે પાઘડીને પહેરી રાખી હતી અને પોતાના સંબોધનમાં તેમણે પાઘડીનો ઉલ્લેખ પણ કર્યો હતો. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.