Jamnagar : PM Modiને પહેરાવેલી હાલારી પાઘડીની ટીકા મામલે જામ સાહેબે લખ્યો પત્ર, કહી આ વાત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-06 17:24:17

ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત નથી આવ્યો.. ક્ષત્રિય સમાજ ચૂંટણી પછી પણ આંદોલન યથાવત રાખશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ જામનગરના જામ સાહેબે અનેક વખત પત્ર લખ્યો છે ત્યારે ફરી એક વખત તેમના દ્વારા પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જામસાહેબના પત્રમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પીએમ મોદીને આપેલી પાઘડી અંગે પણ વાત કરવામાં આવી છે..


જામસાહેબે પત્રમાં લખ્યું છે કે - 


હું પહેલા તો કહેવા માંગીશ કે મને એ જોઈને આશ્ચર્ય થયું કે સામાન્ય ગામડામાંથી આવતા સામાન્ય માણસોએ પણ ખુબ વિશાળ સંખ્યામાં હાજર શ્રોતાઓની વચ્ચે આત્મવિશ્વાસથી ભાષણ આપ્યું, એના માટે એમને અભિનંદન પણ આપુ છું, જો કે એમનાં વક્તવ્યનું પરીણામ શું આવી શકે છે એ એમણે નથી વિચાર્યું. જો કે હવે મારી પાસે પણ એમને વળતા પુછવા માટે અમુક પ્રશ્નો છે


સૌથી પહેલા તો પ્રધાનમંત્રી મોદીના માથે મુકવામાં આવેલી હાલારી પાઘડીની વાત, માનનીય પ્રધાનમંત્રી મોદીએ ક્યારેય કોઈ સ્ત્રી કે જાતિ માટે ખોટી ટિપ્પણી નથી કરી, ઉપરથી આપણે જાણીએ છીએ એમ એમણે હંમેશા આઉટ ઓફ વે જઈને પણ બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને દેશની કરોડો સ્ત્રીઓની મદદ અને ઉદ્ધાર માટે કામ કર્યા છે. એટલે આ રીતે તો પ્રધાનમંત્રી મોદીને ના જ મુલવવા જોઈએ. કોઈ કશું બોલે છે તો એના માટે રાષ્ટ્રીય નેતાને કેવી રીતે જવાબદાર માની લેવાનાં!


આ સામાન્ય વક્તાઓ કદાચ એ સમજતા જ નથી કે આપણે લોકશાહી વાળી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં દરેકની પાસે વાણી સ્વતંત્રતા છે. એટલે કોઈ કશું બોલે તો એના જવાબમાં તમે પણ જવાબ આપી શકો છો. જો આ પ્રકારનું અપરિપક્વ વર્તન આપણે ચાલવા દઈશું તો તો એ આપણી લાંબા સંઘર્ષ અને મહાત્મા ગાંધીએ આખુ જીવન આપેલી કુરબાની પછી મળેલી સ્વતંત્રતાને વિનાશમાં ફેરવી દઈશું. 


છેલ્લે એટલું કહીશ કે કોઈના દ્વારા કશું બોલવામાં આવે તો એનાથી તમારા ચારિત્ર્ય પર કોઈ અસર નથી થતી, એ જ રીતે રૂપાલાના બોલવાથી કોઈ પણ સ્ત્રીની ગરિમાને કેવી રીતે અસર થવાની છે! 

- જામ શત્રુશલ્યસિંહજી


પીએમ મોદીએ જ્યારે જામનગરમાં સભા કરી હતી

મહત્વનું છે કે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જામનગરમાં જનસભાને સંબોધી હતી.. જનસભાને સંબોધિત કરતા પહેલા તે જામસાહેબને મળવા માટે પહોંચ્યા હતા. જામસાહેબે તેમને પાઘડી આપી હતી અને જનસભાને સંબોધન કરતી વખતે તેમણે તે પાઘડીને પહેરી રાખી હતી અને પોતાના સંબોધનમાં તેમણે પાઘડીનો ઉલ્લેખ પણ કર્યો હતો. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."