Jamnagar : PM Modiને પહેરાવેલી હાલારી પાઘડીની ટીકા મામલે જામ સાહેબે લખ્યો પત્ર, કહી આ વાત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-06 17:24:17

ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત નથી આવ્યો.. ક્ષત્રિય સમાજ ચૂંટણી પછી પણ આંદોલન યથાવત રાખશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ જામનગરના જામ સાહેબે અનેક વખત પત્ર લખ્યો છે ત્યારે ફરી એક વખત તેમના દ્વારા પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જામસાહેબના પત્રમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પીએમ મોદીને આપેલી પાઘડી અંગે પણ વાત કરવામાં આવી છે..


જામસાહેબે પત્રમાં લખ્યું છે કે - 


હું પહેલા તો કહેવા માંગીશ કે મને એ જોઈને આશ્ચર્ય થયું કે સામાન્ય ગામડામાંથી આવતા સામાન્ય માણસોએ પણ ખુબ વિશાળ સંખ્યામાં હાજર શ્રોતાઓની વચ્ચે આત્મવિશ્વાસથી ભાષણ આપ્યું, એના માટે એમને અભિનંદન પણ આપુ છું, જો કે એમનાં વક્તવ્યનું પરીણામ શું આવી શકે છે એ એમણે નથી વિચાર્યું. જો કે હવે મારી પાસે પણ એમને વળતા પુછવા માટે અમુક પ્રશ્નો છે


સૌથી પહેલા તો પ્રધાનમંત્રી મોદીના માથે મુકવામાં આવેલી હાલારી પાઘડીની વાત, માનનીય પ્રધાનમંત્રી મોદીએ ક્યારેય કોઈ સ્ત્રી કે જાતિ માટે ખોટી ટિપ્પણી નથી કરી, ઉપરથી આપણે જાણીએ છીએ એમ એમણે હંમેશા આઉટ ઓફ વે જઈને પણ બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને દેશની કરોડો સ્ત્રીઓની મદદ અને ઉદ્ધાર માટે કામ કર્યા છે. એટલે આ રીતે તો પ્રધાનમંત્રી મોદીને ના જ મુલવવા જોઈએ. કોઈ કશું બોલે છે તો એના માટે રાષ્ટ્રીય નેતાને કેવી રીતે જવાબદાર માની લેવાનાં!


આ સામાન્ય વક્તાઓ કદાચ એ સમજતા જ નથી કે આપણે લોકશાહી વાળી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં દરેકની પાસે વાણી સ્વતંત્રતા છે. એટલે કોઈ કશું બોલે તો એના જવાબમાં તમે પણ જવાબ આપી શકો છો. જો આ પ્રકારનું અપરિપક્વ વર્તન આપણે ચાલવા દઈશું તો તો એ આપણી લાંબા સંઘર્ષ અને મહાત્મા ગાંધીએ આખુ જીવન આપેલી કુરબાની પછી મળેલી સ્વતંત્રતાને વિનાશમાં ફેરવી દઈશું. 


છેલ્લે એટલું કહીશ કે કોઈના દ્વારા કશું બોલવામાં આવે તો એનાથી તમારા ચારિત્ર્ય પર કોઈ અસર નથી થતી, એ જ રીતે રૂપાલાના બોલવાથી કોઈ પણ સ્ત્રીની ગરિમાને કેવી રીતે અસર થવાની છે! 

- જામ શત્રુશલ્યસિંહજી


પીએમ મોદીએ જ્યારે જામનગરમાં સભા કરી હતી

મહત્વનું છે કે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જામનગરમાં જનસભાને સંબોધી હતી.. જનસભાને સંબોધિત કરતા પહેલા તે જામસાહેબને મળવા માટે પહોંચ્યા હતા. જામસાહેબે તેમને પાઘડી આપી હતી અને જનસભાને સંબોધન કરતી વખતે તેમણે તે પાઘડીને પહેરી રાખી હતી અને પોતાના સંબોધનમાં તેમણે પાઘડીનો ઉલ્લેખ પણ કર્યો હતો. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.