Jamnagar : જામસાહેબે પરષોત્તમ રૂપાલા વિવાદમાં સતત બીજા દિવસે લખ્યો પત્ર, ભાજપને બતાવ્યો સમાધાનનો રસ્તો?


  • Published By :
  • Published Date : 2024-04-10 15:19:24

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ આપણે સૌ જાણીએ છીએ. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ હજી સુધી શાંત નથી થયો. અલગ અલગ રાજવી પરિવારની આ મામલે પ્રતિક્રિયા સામે આવી. ગઈકાલે જામનગરના જામસાહેબનો એક પરિપત્ર આવ્યો હતો જેમાં તેમણે જૌહરને લઈ વાત કરી હતી... ત્યારે આજે બીજો એક પત્ર જામસાહેબ દ્વારા જારી કરવામાં આવ્યો છે. 

ફરી એક વખત જામસાહેબે લખ્યો પત્ર 

ગઈકાલે જામનગરના જામસાહેબનો એક પત્ર આવ્યો જેમાં કહ્યું, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી નહીં પરંતુ એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપુતોએ માત્ર હિંમત નહીં પરંતુ એકતા દાખવી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં જ છે. રાજપુતો ભેગા મળી અને પરસોત્તમ રૂપાલાને ચૂંટણી હરાવો. બહેનોએ હિંમત દર્શાવી એ ધન્યવાદને પાત્ર, પરંતુ હાલના સમયમાં "જોહર"નો પ્રશ્ન તેમની સામે જામસાહેબે ટીકા કરી છે. ત્યાર પછી આજે ફરી એક નવો પત્ર આવ્યો છે... જેમાં તેઓ સમાધાનની વધુ એક ફોર્મ્યુલા ભાજપને ઓફર કરી રહ્યાં છે જો ભાજપ સ્વીકારે તો... 


પત્રમાં શેનો કરવામાં આવ્યો ઉલ્લેખ? 

ત્યારે આજે જે પત્ર સામે આવ્યો છે તેમાં તેમણે લખ્યું છે કે, ગઇકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ.મારા ધ્યાન પર આવ્યું પરશોત્તમ રુપાલાએ પહેલા 2 વાર માફી માગી લીધી છે પણ આટલું પુરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એક વાર રુપાલા આ પ્રમાણે માફી માગે તો ક્ષમા વિરસ્ય ભુષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.પત્રમાં તેમણે આગળ જણાવ્યું છે કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજી દેશને ખબુ જ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષીત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ... આ વાત જામસાહેબે પત્રમાં લખી છે..



આ વિવાદમાં સમાધાન શક્ય છે જો... 

આ ઉપરાંત આજે રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદ મામલે આજે ક્ષત્રિય સમાજની અમદાવાદ રાજપૂત ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રમજુભા જાડેજા , તૃપ્તિબા રાઓલ, અનિરુદ્ધ સિંહ જાડેજા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, પરસોત્તમ રૂપાલા ત્રીજી વાર માફી માંગીને એમના સંસ્કાર બતાવે તો અને સમિતિ નક્કી કરીશું.. એટલે ભાજપ પાસે હજુ એક તક છે કે જો રુપાલા સમાજના આગેવાનો અને સંતો-મહંતોની હાજરીમાં દિલથી માફી માંગે તો સમાધાન શક્ય છે....




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.