Jamnagar : ખાણી પીણીની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, બાલાજી વેફરના પેકેટમાંથી મળ્યો મરેલો દેડકો, ગ્રાહકે કર્યો...


  • Published By :
  • Published Date : 2024-06-19 18:48:04

જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે વેફરનું પેકેટ ખાતા હોઈએ છીએ.. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં બહારના ખાવામાંથી અનેક વસ્તુઓ નીકળે છે. કોઈ વખત સૂપમાંથી ઘરોળી નીકળે છે તો કોઈ વખત આઈસ્ક્રીમમાંથી આંગળી નીકળે છે.. આ બધા વચ્ચે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફર્સમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકે બાલાજીની crunchex વેફર ખરીદી અને તે પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો. ગ્રાહકે ફૂડ વિભાગને જાણ  કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 



પ્રોવિઝિલન સ્ટોરમાંથી એક પેકેટ ખરીદ્યું અને..

ખાણી પીણીની વસ્તુઓમાંથી કંઈકને કંઈક વસ્તુઓ નીકળતી હોય છે.. આવા અનેક બનાવો આપણી સામે છે... જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકે પ્રોવિઝલન સ્ટોરમાંથી એક વેફરનું પેકેટ લીધું. પેકેટ ખોલ્યું અને તેમાંથી ફ્રાય કરેલો દેડકો નીકળતા હડકંપ મચી ગયો. આ બાદ ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો. ત્યાંથી સંતોષજનક જવાબ મળ્યો નહીં બાદમાં જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો અને બાલાજી વેફરના પેકેટ સીલ કરવામાં આવ્યા..


નાના બાળકોથી લઈ મોટા લોકો ખાય છે વેફર 

ફૂડ વિભાગ દ્વારા વેફર અને વિવિધ નમુના લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. બાલાજીની cruenchex વેફર એક ખુબ જ પ્રખ્યાત પ્રોડક્ટ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો બધા બાલાજીની અલગ અલગ પ્રોડક્ટ ખરીદતા હોય છે તેમાં આવી બેદરકારી ચલાવી લેવાય નહીં. આ મુદ્દે જામનગર નગરપાલિકા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. 

 

તમારૂં શું માનવું છે આ મામલે?  

જ્યારે પત્રકારો દ્વારા ગ્રાહક સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે આ ખુબ જ આઘાતજનક બાબત હતી. આ પ્રકારની પ્રોડક્ટના કારણે મારી લાગણી દુભાણી છે. આ ઉપરાંત કસ્ટમરકેર સેન્ટરમાં ફોન કર્યો છતા પણ કોઇ સંતોષજનક જવાબ મળ્યો નહોતો. જેથી હવે હું આ સમગ્ર મામલાને લઇને ગ્રાહક સુરક્ષામાં જઇશ. બાલાજીના એજન્સીનો સંપર્ક કરતા તેમણે જવાબ આપ્યો કે, આટલું મોટુ પ્રોડક્શન થતું હોય તેમાં એકાદી વસ્તુ રહી જાય. દેકડો નિકળ્યો છે તે પેકેટ ફેંકી દો અને બીજુ પેકેટ લઇ લો. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.