Jamnagar : ખાણી પીણીની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, બાલાજી વેફરના પેકેટમાંથી મળ્યો મરેલો દેડકો, ગ્રાહકે કર્યો...


  • Published By :
  • Published Date : 2024-06-19 18:48:04

જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે વેફરનું પેકેટ ખાતા હોઈએ છીએ.. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં બહારના ખાવામાંથી અનેક વસ્તુઓ નીકળે છે. કોઈ વખત સૂપમાંથી ઘરોળી નીકળે છે તો કોઈ વખત આઈસ્ક્રીમમાંથી આંગળી નીકળે છે.. આ બધા વચ્ચે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફર્સમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકે બાલાજીની crunchex વેફર ખરીદી અને તે પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો. ગ્રાહકે ફૂડ વિભાગને જાણ  કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 



પ્રોવિઝિલન સ્ટોરમાંથી એક પેકેટ ખરીદ્યું અને..

ખાણી પીણીની વસ્તુઓમાંથી કંઈકને કંઈક વસ્તુઓ નીકળતી હોય છે.. આવા અનેક બનાવો આપણી સામે છે... જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકે પ્રોવિઝલન સ્ટોરમાંથી એક વેફરનું પેકેટ લીધું. પેકેટ ખોલ્યું અને તેમાંથી ફ્રાય કરેલો દેડકો નીકળતા હડકંપ મચી ગયો. આ બાદ ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો. ત્યાંથી સંતોષજનક જવાબ મળ્યો નહીં બાદમાં જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો અને બાલાજી વેફરના પેકેટ સીલ કરવામાં આવ્યા..


નાના બાળકોથી લઈ મોટા લોકો ખાય છે વેફર 

ફૂડ વિભાગ દ્વારા વેફર અને વિવિધ નમુના લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. બાલાજીની cruenchex વેફર એક ખુબ જ પ્રખ્યાત પ્રોડક્ટ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો બધા બાલાજીની અલગ અલગ પ્રોડક્ટ ખરીદતા હોય છે તેમાં આવી બેદરકારી ચલાવી લેવાય નહીં. આ મુદ્દે જામનગર નગરપાલિકા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. 

 

તમારૂં શું માનવું છે આ મામલે?  

જ્યારે પત્રકારો દ્વારા ગ્રાહક સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે આ ખુબ જ આઘાતજનક બાબત હતી. આ પ્રકારની પ્રોડક્ટના કારણે મારી લાગણી દુભાણી છે. આ ઉપરાંત કસ્ટમરકેર સેન્ટરમાં ફોન કર્યો છતા પણ કોઇ સંતોષજનક જવાબ મળ્યો નહોતો. જેથી હવે હું આ સમગ્ર મામલાને લઇને ગ્રાહક સુરક્ષામાં જઇશ. બાલાજીના એજન્સીનો સંપર્ક કરતા તેમણે જવાબ આપ્યો કે, આટલું મોટુ પ્રોડક્શન થતું હોય તેમાં એકાદી વસ્તુ રહી જાય. દેકડો નિકળ્યો છે તે પેકેટ ફેંકી દો અને બીજુ પેકેટ લઇ લો. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.