Jamnagar : ખાણી પીણીની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, બાલાજી વેફરના પેકેટમાંથી મળ્યો મરેલો દેડકો, ગ્રાહકે કર્યો...


  • Published By :
  • Published Date : 2024-06-19 18:48:04

જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે વેફરનું પેકેટ ખાતા હોઈએ છીએ.. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં બહારના ખાવામાંથી અનેક વસ્તુઓ નીકળે છે. કોઈ વખત સૂપમાંથી ઘરોળી નીકળે છે તો કોઈ વખત આઈસ્ક્રીમમાંથી આંગળી નીકળે છે.. આ બધા વચ્ચે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફર્સમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકે બાલાજીની crunchex વેફર ખરીદી અને તે પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો. ગ્રાહકે ફૂડ વિભાગને જાણ  કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 



પ્રોવિઝિલન સ્ટોરમાંથી એક પેકેટ ખરીદ્યું અને..

ખાણી પીણીની વસ્તુઓમાંથી કંઈકને કંઈક વસ્તુઓ નીકળતી હોય છે.. આવા અનેક બનાવો આપણી સામે છે... જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકે પ્રોવિઝલન સ્ટોરમાંથી એક વેફરનું પેકેટ લીધું. પેકેટ ખોલ્યું અને તેમાંથી ફ્રાય કરેલો દેડકો નીકળતા હડકંપ મચી ગયો. આ બાદ ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો. ત્યાંથી સંતોષજનક જવાબ મળ્યો નહીં બાદમાં જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો અને બાલાજી વેફરના પેકેટ સીલ કરવામાં આવ્યા..


નાના બાળકોથી લઈ મોટા લોકો ખાય છે વેફર 

ફૂડ વિભાગ દ્વારા વેફર અને વિવિધ નમુના લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. બાલાજીની cruenchex વેફર એક ખુબ જ પ્રખ્યાત પ્રોડક્ટ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો બધા બાલાજીની અલગ અલગ પ્રોડક્ટ ખરીદતા હોય છે તેમાં આવી બેદરકારી ચલાવી લેવાય નહીં. આ મુદ્દે જામનગર નગરપાલિકા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. 

 

તમારૂં શું માનવું છે આ મામલે?  

જ્યારે પત્રકારો દ્વારા ગ્રાહક સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે આ ખુબ જ આઘાતજનક બાબત હતી. આ પ્રકારની પ્રોડક્ટના કારણે મારી લાગણી દુભાણી છે. આ ઉપરાંત કસ્ટમરકેર સેન્ટરમાં ફોન કર્યો છતા પણ કોઇ સંતોષજનક જવાબ મળ્યો નહોતો. જેથી હવે હું આ સમગ્ર મામલાને લઇને ગ્રાહક સુરક્ષામાં જઇશ. બાલાજીના એજન્સીનો સંપર્ક કરતા તેમણે જવાબ આપ્યો કે, આટલું મોટુ પ્રોડક્શન થતું હોય તેમાં એકાદી વસ્તુ રહી જાય. દેકડો નિકળ્યો છે તે પેકેટ ફેંકી દો અને બીજુ પેકેટ લઇ લો. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.