Jamnagar : Heart Attackનો વધુ એક કિસ્સો સામે આવ્યો, મુંબઈમાં રહેતા કિશોરનું હૃદય હુમલાને કારણે થયું મોત!


  • Published By :
  • Published Date : 2023-10-10 16:02:54

સમાચારની પહેલી લાઈનમાં અમે અનેક વખત લખતા હોઈએ છીએ કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ સમાચાર પણ હાર્ટ એટેકના જ છે. પરંતુ આ વખતે યુવાનનું નહીં પરંતુ 13 વર્ષીય કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જામનગરમાં રહેતો અને મુંબઈમાં અભ્યાસ કરતા કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. એવી માહિતી સામે આવી છે કે મુંબઈ ખાતે ઓમ ગઢેયા રહેતો હતો અને યોગાભ્યાસ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે  મૃત્યુ પામ્યો.  


13 વર્ષીય ઓમનું હાર્ટ એટેકને કારણે થયું મોત  

કોરોના બાદ હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાના અનેક સમાચારો આપણી સામે આવતા હોય છે. થોડા દિવસોમાં જ આવા અનેક કિસ્સાઓ હતા જેમાં નાની ઉંમરે યુવાનો મોતને વ્હાલા થઈ રહ્યા છે. જામનગરથી પણ એક કિસ્સો સામે આવ્યો હતો, તે બાદ સુરતથી કિસ્સો સામે આવ્યો હતો. તે બાદ તો અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ગઈકાલે પણ 3 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. યુવાનોમાં વધતા હાર્ટ એટેક ચિંતાનો વિષય છે. ત્યારે આજે 13 વર્ષીય ઓમનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. 


બાળકના મોતથી પરિવાર શોકમગ્ન 

આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, જામનગરના 13 વર્ષનો કિશોર ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તે યોગનો અભ્યાસ કરી રહ્યો હતો. યોગની પ્રેક્ટિસ દરમિયાન તેની તબિયત અચાનક બગડવા લાગી. અને અંતે તેનું કરૂણ મોત નીપજ્યુ છે. બાળકની આવી ચીર વિદાયથી પરિવાર શોકમાં છે. મહત્વનું છે કે ગઈકાલે જ એક યુવાન નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે તે અચાનક ઢળી પડ્યો, તો બીજા કિસ્સામાં ડ્રાઈવર પોતાની ફરજ દરમિયાન મોતને ભેટ્યા હતા. ત્યારે યુવાનોમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. 


 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી