Jamnagar : Heart Attackનો વધુ એક કિસ્સો સામે આવ્યો, મુંબઈમાં રહેતા કિશોરનું હૃદય હુમલાને કારણે થયું મોત!


  • Published By :
  • Published Date : 2023-10-10 16:02:54

સમાચારની પહેલી લાઈનમાં અમે અનેક વખત લખતા હોઈએ છીએ કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ સમાચાર પણ હાર્ટ એટેકના જ છે. પરંતુ આ વખતે યુવાનનું નહીં પરંતુ 13 વર્ષીય કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જામનગરમાં રહેતો અને મુંબઈમાં અભ્યાસ કરતા કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. એવી માહિતી સામે આવી છે કે મુંબઈ ખાતે ઓમ ગઢેયા રહેતો હતો અને યોગાભ્યાસ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે  મૃત્યુ પામ્યો.  


13 વર્ષીય ઓમનું હાર્ટ એટેકને કારણે થયું મોત  

કોરોના બાદ હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાના અનેક સમાચારો આપણી સામે આવતા હોય છે. થોડા દિવસોમાં જ આવા અનેક કિસ્સાઓ હતા જેમાં નાની ઉંમરે યુવાનો મોતને વ્હાલા થઈ રહ્યા છે. જામનગરથી પણ એક કિસ્સો સામે આવ્યો હતો, તે બાદ સુરતથી કિસ્સો સામે આવ્યો હતો. તે બાદ તો અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ગઈકાલે પણ 3 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. યુવાનોમાં વધતા હાર્ટ એટેક ચિંતાનો વિષય છે. ત્યારે આજે 13 વર્ષીય ઓમનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. 


બાળકના મોતથી પરિવાર શોકમગ્ન 

આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, જામનગરના 13 વર્ષનો કિશોર ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તે યોગનો અભ્યાસ કરી રહ્યો હતો. યોગની પ્રેક્ટિસ દરમિયાન તેની તબિયત અચાનક બગડવા લાગી. અને અંતે તેનું કરૂણ મોત નીપજ્યુ છે. બાળકની આવી ચીર વિદાયથી પરિવાર શોકમાં છે. મહત્વનું છે કે ગઈકાલે જ એક યુવાન નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે તે અચાનક ઢળી પડ્યો, તો બીજા કિસ્સામાં ડ્રાઈવર પોતાની ફરજ દરમિયાન મોતને ભેટ્યા હતા. ત્યારે યુવાનોમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. 


 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.