Jamnagar: આ પંથકના લોકોએ સરકારી કચેરીને તાળા મારવાનો કર્યો પ્રયાસ, ખરાબ રસ્તાથી લોકો પરેશાન, સાંભળો ગ્રામજનોના આક્રોશને...


  • Published By :
  • Published Date : 2023-09-23 17:41:20

રસ્તાઓની બિસ્માર હાલત જોઈને લોકો પણ કદાચ ત્રાહિમામ પોકારી ગયા હશે. ખરાબ રસ્તાને કારણે વાહનોને તો નુકસાન થાય છે પરંતુ લોકોના શરીરને પણ કષ્ટ વેઠવાનો વારો આવે છે. સામાન્ય દિવસોમાં પણ આ સામાન્ય બનતું હોય છે ત્યારે હમણાં તો વરસાદી મોસમ છે ત્યારે રસ્તાની ખરાબ હાલત થવી સ્વભાવિક છે. ખરાબ રસ્તાને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવી હશે પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે જામનગરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને તે અત્યંત દયનીય છ. જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં બિસ્માર રસ્તાઓના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. 

ધારાસભ્યે પ્રાંત કચેરી ખાતે પાઠવ્યું આવેદનપત્ર 

રાજ્યમાં રસ્તા પર પડેલા ખાડાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રસ્તા પર પડેલા ખાડા ઘણી વખત લોકો માટે યમદૂત સાબિત થતા હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ગામડાના રસ્તાઓ ખરાબ હોય છે પરંતુ ના તે વાત ખોટી છે. મેઘા સિટીમાં, મોટા શહેરોમાં, સ્માર્ટ સિટી ગણાતા શહેરોના રસ્તાની હાલત પણ એવી જ જોવા મળે છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર પંથકના 40થી વધુ ગામડાઓમાં રસ્તાઓની હાલત ખરાબ છે. ખરાબ રસ્તાની સ્થિતિને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ લાલપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો.


40 ગામોના લોકોને ખરાબ રસ્તાને કારણે પડે છે મુશ્કેલી 

રાજ્યના અનેક રસ્તાઓ એવા છે જ્યાં જતા પહેલા તમારે તમારા કમરનો ખ્યાલ રાખવો પડશે. કારણ કે રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોય છે. તેવી જ દયનિય સ્થિતિ છે જામનગર જિલ્લાના લાલપુર પંથકના ગામડાઓના રસ્તાઓની. જો તમારે પણ આ રસ્તા પરથી જો પસાર થવાનું હોય તો વિચારી લેજો કારણ કે રસ્તાની બિસ્માર હાલત તમારી કમર તોડી શકે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના 40 ઉપરાંતના ગામો એવા છે કે જેમાં રસ્તાઓની બિસ્માર હાલતના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


ગ્રામજનો બન્યા આત્મનિર્ભર!

છેલ્લા સાત વર્ષથી આ રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે. ત્યારે સાત વર્ષમાં એક વખત પણ રસ્તાઓને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. જેને કારણે લોકોને તેમજ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમુક ગામોમાં તો વરસાદના કારણે રસ્તાઓ તૂટી ગયા હતા જેના કારણે ગામ સંપર્ક વિહોણા બન્યા, છતાં પણ તંત્ર દ્વારા રસ્તાને સુધારવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ગ્રામજનો દ્વારા આત્મનિર્ભર બનીને તે રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા હતા.


મેડિકલ ઈમરજન્સીમાં આ રસ્તાએથી પસાર થવા લોકો મજબૂર

બિસ્માર રસ્તાઓના કારણે લોકોના વાહનોમાં નુકસાની થવી , લોકોને શારીરિક ઇજાઓ પહોંચવી તેમજ જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો આ રસ્તા પરથી શહેરમાં હોસ્પિટલ પહોંચવું એ સિદ્ધિ હાંસલ કર્યા બરાબર બન્યું છે. અનેક વખત લોકોને ઈજાઓ પહોંચવાના કારણે લોકોમાં આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો ત્યારે લાલપુર પ્રાંત કચેરી ખાતે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈને ત્યાં તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.


સરકાર ગ્રાન્ટ ફાળવીમાં કરે છે ભેદભાવ - ધારાસભ્યના આક્ષેપ 

રસ્તાઓ માટે ફાળવવામાં આવતી યોગ્ય ગ્રાન્ટમાં પણ સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોય એવો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. 152 કિલોમીટરના રોડ બનાવવા માટે માત્ર પાંચ જ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તેવા આક્ષેપ ધારાસભ્ય હેમંત ખવા દ્વારા કરવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા વણથંભી વિકાસ યાત્રાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ વાસ્તવિક સ્તરે જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે...



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.