Jamnagar: આ પંથકના લોકોએ સરકારી કચેરીને તાળા મારવાનો કર્યો પ્રયાસ, ખરાબ રસ્તાથી લોકો પરેશાન, સાંભળો ગ્રામજનોના આક્રોશને...


  • Published By :
  • Published Date : 2023-09-23 17:41:20

રસ્તાઓની બિસ્માર હાલત જોઈને લોકો પણ કદાચ ત્રાહિમામ પોકારી ગયા હશે. ખરાબ રસ્તાને કારણે વાહનોને તો નુકસાન થાય છે પરંતુ લોકોના શરીરને પણ કષ્ટ વેઠવાનો વારો આવે છે. સામાન્ય દિવસોમાં પણ આ સામાન્ય બનતું હોય છે ત્યારે હમણાં તો વરસાદી મોસમ છે ત્યારે રસ્તાની ખરાબ હાલત થવી સ્વભાવિક છે. ખરાબ રસ્તાને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવી હશે પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે જામનગરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને તે અત્યંત દયનીય છ. જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં બિસ્માર રસ્તાઓના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. 

ધારાસભ્યે પ્રાંત કચેરી ખાતે પાઠવ્યું આવેદનપત્ર 

રાજ્યમાં રસ્તા પર પડેલા ખાડાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રસ્તા પર પડેલા ખાડા ઘણી વખત લોકો માટે યમદૂત સાબિત થતા હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ગામડાના રસ્તાઓ ખરાબ હોય છે પરંતુ ના તે વાત ખોટી છે. મેઘા સિટીમાં, મોટા શહેરોમાં, સ્માર્ટ સિટી ગણાતા શહેરોના રસ્તાની હાલત પણ એવી જ જોવા મળે છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર પંથકના 40થી વધુ ગામડાઓમાં રસ્તાઓની હાલત ખરાબ છે. ખરાબ રસ્તાની સ્થિતિને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ લાલપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો.


40 ગામોના લોકોને ખરાબ રસ્તાને કારણે પડે છે મુશ્કેલી 

રાજ્યના અનેક રસ્તાઓ એવા છે જ્યાં જતા પહેલા તમારે તમારા કમરનો ખ્યાલ રાખવો પડશે. કારણ કે રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોય છે. તેવી જ દયનિય સ્થિતિ છે જામનગર જિલ્લાના લાલપુર પંથકના ગામડાઓના રસ્તાઓની. જો તમારે પણ આ રસ્તા પરથી જો પસાર થવાનું હોય તો વિચારી લેજો કારણ કે રસ્તાની બિસ્માર હાલત તમારી કમર તોડી શકે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના 40 ઉપરાંતના ગામો એવા છે કે જેમાં રસ્તાઓની બિસ્માર હાલતના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


ગ્રામજનો બન્યા આત્મનિર્ભર!

છેલ્લા સાત વર્ષથી આ રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે. ત્યારે સાત વર્ષમાં એક વખત પણ રસ્તાઓને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. જેને કારણે લોકોને તેમજ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમુક ગામોમાં તો વરસાદના કારણે રસ્તાઓ તૂટી ગયા હતા જેના કારણે ગામ સંપર્ક વિહોણા બન્યા, છતાં પણ તંત્ર દ્વારા રસ્તાને સુધારવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ગ્રામજનો દ્વારા આત્મનિર્ભર બનીને તે રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા હતા.


મેડિકલ ઈમરજન્સીમાં આ રસ્તાએથી પસાર થવા લોકો મજબૂર

બિસ્માર રસ્તાઓના કારણે લોકોના વાહનોમાં નુકસાની થવી , લોકોને શારીરિક ઇજાઓ પહોંચવી તેમજ જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો આ રસ્તા પરથી શહેરમાં હોસ્પિટલ પહોંચવું એ સિદ્ધિ હાંસલ કર્યા બરાબર બન્યું છે. અનેક વખત લોકોને ઈજાઓ પહોંચવાના કારણે લોકોમાં આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો ત્યારે લાલપુર પ્રાંત કચેરી ખાતે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈને ત્યાં તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.


સરકાર ગ્રાન્ટ ફાળવીમાં કરે છે ભેદભાવ - ધારાસભ્યના આક્ષેપ 

રસ્તાઓ માટે ફાળવવામાં આવતી યોગ્ય ગ્રાન્ટમાં પણ સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોય એવો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. 152 કિલોમીટરના રોડ બનાવવા માટે માત્ર પાંચ જ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તેવા આક્ષેપ ધારાસભ્ય હેમંત ખવા દ્વારા કરવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા વણથંભી વિકાસ યાત્રાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ વાસ્તવિક સ્તરે જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે...



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.