Jamnagar: સભા પહેલા જામસાહેબને મળ્યા PM Modi, જનસભામાં સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાજનો કર્યો ઉલ્લેખ.. સાંભળો તેમના ભાષણને..


  • Published By :
  • Published Date : 2024-05-02 18:15:25

ગુજરાતમાં પીએમ મોદી છેલ્લા બે દિવસથી પ્રચાર કરી રહ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેમણે જનસભાને સંબોધી.. આજે આણંદ, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરમાં તેમણે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.. જામનગરમાં પીએમ મોદીએ સભાને સંબોધી હતી તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી જામનગરથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજનો ઉલ્લેખ કર્યો હતો..

ગુજરાતમાં આજે ચાર જનસભાને સંબોધી પીએમ મોદીએ

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલ નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે સૌથી વધારે વિરોધના દ્રશ્યો જામનગરથી સામે આવ્યા છે.. ત્યારે પીએમ મોદી આજે જામનગર પહોંચ્યા હતા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે.. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, અર્જુન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ ત્યાં હાજર હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.. અનેક મુદ્દાઓને લઈ તેમણે કોંગ્રેસની વાત કરી હતી..


જામ સાહેબને મળવા પહોંચ્યા પીએમ મોદી 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વિવાદ વચ્ચે જામનગરના જામ સાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. બે પત્રો બહાર પાડવામાં આવ્યા હતા.. ત્યારે આજે જામનગરમાં પીએમ મોદી જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા પહોંચ્યા હતા.. જામ સાહેબે તેમને પાઘડી આપી હતી અને તે જામસાહેબ દ્વારા આપવામાં આવેલી પાઘડી પહેરી જનસભાને સંબોધી હતી.. જનસભા સંબોધતી વખતે તેમણે કહ્યું કે મારા માટે જામસાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે...  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે