Jamnagar: સભા પહેલા જામસાહેબને મળ્યા PM Modi, જનસભામાં સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાજનો કર્યો ઉલ્લેખ.. સાંભળો તેમના ભાષણને..


  • Published By :
  • Published Date : 2024-05-02 18:15:25

ગુજરાતમાં પીએમ મોદી છેલ્લા બે દિવસથી પ્રચાર કરી રહ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેમણે જનસભાને સંબોધી.. આજે આણંદ, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરમાં તેમણે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.. જામનગરમાં પીએમ મોદીએ સભાને સંબોધી હતી તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી જામનગરથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજનો ઉલ્લેખ કર્યો હતો..

ગુજરાતમાં આજે ચાર જનસભાને સંબોધી પીએમ મોદીએ

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલ નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે સૌથી વધારે વિરોધના દ્રશ્યો જામનગરથી સામે આવ્યા છે.. ત્યારે પીએમ મોદી આજે જામનગર પહોંચ્યા હતા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે.. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, અર્જુન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ ત્યાં હાજર હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.. અનેક મુદ્દાઓને લઈ તેમણે કોંગ્રેસની વાત કરી હતી..


જામ સાહેબને મળવા પહોંચ્યા પીએમ મોદી 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વિવાદ વચ્ચે જામનગરના જામ સાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. બે પત્રો બહાર પાડવામાં આવ્યા હતા.. ત્યારે આજે જામનગરમાં પીએમ મોદી જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા પહોંચ્યા હતા.. જામ સાહેબે તેમને પાઘડી આપી હતી અને તે જામસાહેબ દ્વારા આપવામાં આવેલી પાઘડી પહેરી જનસભાને સંબોધી હતી.. જનસભા સંબોધતી વખતે તેમણે કહ્યું કે મારા માટે જામસાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે...  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .