Jamnagar: સભા પહેલા જામસાહેબને મળ્યા PM Modi, જનસભામાં સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાજનો કર્યો ઉલ્લેખ.. સાંભળો તેમના ભાષણને..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 18:15:25

ગુજરાતમાં પીએમ મોદી છેલ્લા બે દિવસથી પ્રચાર કરી રહ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેમણે જનસભાને સંબોધી.. આજે આણંદ, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરમાં તેમણે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.. જામનગરમાં પીએમ મોદીએ સભાને સંબોધી હતી તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી જામનગરથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજનો ઉલ્લેખ કર્યો હતો..

ગુજરાતમાં આજે ચાર જનસભાને સંબોધી પીએમ મોદીએ

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલ નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે સૌથી વધારે વિરોધના દ્રશ્યો જામનગરથી સામે આવ્યા છે.. ત્યારે પીએમ મોદી આજે જામનગર પહોંચ્યા હતા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે.. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, અર્જુન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ ત્યાં હાજર હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.. અનેક મુદ્દાઓને લઈ તેમણે કોંગ્રેસની વાત કરી હતી..


જામ સાહેબને મળવા પહોંચ્યા પીએમ મોદી 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વિવાદ વચ્ચે જામનગરના જામ સાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. બે પત્રો બહાર પાડવામાં આવ્યા હતા.. ત્યારે આજે જામનગરમાં પીએમ મોદી જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા પહોંચ્યા હતા.. જામ સાહેબે તેમને પાઘડી આપી હતી અને તે જામસાહેબ દ્વારા આપવામાં આવેલી પાઘડી પહેરી જનસભાને સંબોધી હતી.. જનસભા સંબોધતી વખતે તેમણે કહ્યું કે મારા માટે જામસાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે...  



આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની ચર્ચા થઈ રહી છે.. આપ સાંસદ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. સીએમના સત્તાવાર નિવાસસ્થાન પર વિભવ કુમાર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી.. પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..મુખ્યમંત્રી દ્વારા એક્શન લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.

ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.