Jamnagar: સભા પહેલા જામસાહેબને મળ્યા PM Modi, જનસભામાં સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાજનો કર્યો ઉલ્લેખ.. સાંભળો તેમના ભાષણને..


  • Published By :
  • Published Date : 2024-05-02 18:15:25

ગુજરાતમાં પીએમ મોદી છેલ્લા બે દિવસથી પ્રચાર કરી રહ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેમણે જનસભાને સંબોધી.. આજે આણંદ, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરમાં તેમણે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.. જામનગરમાં પીએમ મોદીએ સભાને સંબોધી હતી તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી જામનગરથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજનો ઉલ્લેખ કર્યો હતો..

ગુજરાતમાં આજે ચાર જનસભાને સંબોધી પીએમ મોદીએ

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલ નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે સૌથી વધારે વિરોધના દ્રશ્યો જામનગરથી સામે આવ્યા છે.. ત્યારે પીએમ મોદી આજે જામનગર પહોંચ્યા હતા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે.. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, અર્જુન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ ત્યાં હાજર હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.. અનેક મુદ્દાઓને લઈ તેમણે કોંગ્રેસની વાત કરી હતી..


જામ સાહેબને મળવા પહોંચ્યા પીએમ મોદી 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વિવાદ વચ્ચે જામનગરના જામ સાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. બે પત્રો બહાર પાડવામાં આવ્યા હતા.. ત્યારે આજે જામનગરમાં પીએમ મોદી જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા પહોંચ્યા હતા.. જામ સાહેબે તેમને પાઘડી આપી હતી અને તે જામસાહેબ દ્વારા આપવામાં આવેલી પાઘડી પહેરી જનસભાને સંબોધી હતી.. જનસભા સંબોધતી વખતે તેમણે કહ્યું કે મારા માટે જામસાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે...  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે