Jamnagar : Poonamben Madamએ કરી ક્ષત્રિયો સાથે બેઠક, બેઠક બાદ પ્રતિક્રિયા આપતા પૂનમ માડમે શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-02 16:49:31

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનો વિષય બન્યા છે. ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા તેમના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર કરાઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિરોધ ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ ગયો અને ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો.. સૌથી વધારે વિરોધના દ્રશ્યો જામનગરથી સામે આવ્યા જ્યાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને વિરોધ નડ્યો છે. તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ધ્રોલના વાગુદળ ગામમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમે ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચો સાથે કલાકો સુધી બેઠક કરી હતી..

 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો  

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓની સભામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો...  જામનગરના લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવા દ્રશ્યો આપણી સામે છે. 



પૂનમબેન માડમની સભામાં યુવાનો ઘૂસી આવે છે  અને કરે છે વિરોધ  

વધતા વિરોધને જોતા પૂનમ માડમે ધ્રોલના વાગુદળ ગામના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચ સાથે બેઠક કરી હતી.. આ બેઠકમાં ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના 10 ગામોના ક્ષત્રિય સરપંચો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા..ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અનેક વખત જામનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે. પૂનમ માડમના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવતા અને ભાજપ હાય હાયના નારા લગાવતા..  અનેક વખત યુવાનોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થતું તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.. 


પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના લોકો સાથે સંવાદ કર્યો

અનેક કલાકો સુધી ચાલેલી બેઠક બાદ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમે પ્રતિક્રિયા આપી હતી.. પૂનમબેન માડમે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વાતો કરવામાં આવી.. સ્થાનિક મુદ્દાઓની ચર્ચા પણ થઈ હતી. ક્ષત્રિય સમાજના સદસ્ય તરીકે આ ભાઈઓને વિનંતી કરી કે આ ઈલેક્શન તો 7 તારીખ પછી પૂર્ણ થઈ જશે.. પણ આ 7 તારીખ સુધી કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ઉભો થાય તેવું તે નથી ઈચ્છતા... મહત્વનું છે કે પૂનમબેન માડમને અનેક વખત ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે.. રાત્રે સમાધાનના સમાચાર સામે આવ્યા પરંતુ સવાર પડતા પડતા સમાજમાં ફાંટા જોવા મળ્યા હતા.પૂનમબેન માડમ સાથે ક્ષત્રિય સમાજના સમાધાનને અમુક આગેવાનોએ ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.  મહત્વનું છે કે આજે પીએમ મોદી જામનગરમાં સભાને સંબોધવાના છે.    




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.