Jamnagar : Poonamben Madamએ કરી ક્ષત્રિયો સાથે બેઠક, બેઠક બાદ પ્રતિક્રિયા આપતા પૂનમ માડમે શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-02 16:49:31

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનો વિષય બન્યા છે. ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા તેમના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર કરાઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિરોધ ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ ગયો અને ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો.. સૌથી વધારે વિરોધના દ્રશ્યો જામનગરથી સામે આવ્યા જ્યાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને વિરોધ નડ્યો છે. તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ધ્રોલના વાગુદળ ગામમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમે ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચો સાથે કલાકો સુધી બેઠક કરી હતી..

 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો  

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓની સભામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો...  જામનગરના લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવા દ્રશ્યો આપણી સામે છે. 



પૂનમબેન માડમની સભામાં યુવાનો ઘૂસી આવે છે  અને કરે છે વિરોધ  

વધતા વિરોધને જોતા પૂનમ માડમે ધ્રોલના વાગુદળ ગામના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચ સાથે બેઠક કરી હતી.. આ બેઠકમાં ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના 10 ગામોના ક્ષત્રિય સરપંચો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા..ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અનેક વખત જામનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે. પૂનમ માડમના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવતા અને ભાજપ હાય હાયના નારા લગાવતા..  અનેક વખત યુવાનોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થતું તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.. 


પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના લોકો સાથે સંવાદ કર્યો

અનેક કલાકો સુધી ચાલેલી બેઠક બાદ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમે પ્રતિક્રિયા આપી હતી.. પૂનમબેન માડમે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વાતો કરવામાં આવી.. સ્થાનિક મુદ્દાઓની ચર્ચા પણ થઈ હતી. ક્ષત્રિય સમાજના સદસ્ય તરીકે આ ભાઈઓને વિનંતી કરી કે આ ઈલેક્શન તો 7 તારીખ પછી પૂર્ણ થઈ જશે.. પણ આ 7 તારીખ સુધી કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ઉભો થાય તેવું તે નથી ઈચ્છતા... મહત્વનું છે કે પૂનમબેન માડમને અનેક વખત ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે.. રાત્રે સમાધાનના સમાચાર સામે આવ્યા પરંતુ સવાર પડતા પડતા સમાજમાં ફાંટા જોવા મળ્યા હતા.પૂનમબેન માડમ સાથે ક્ષત્રિય સમાજના સમાધાનને અમુક આગેવાનોએ ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.  મહત્વનું છે કે આજે પીએમ મોદી જામનગરમાં સભાને સંબોધવાના છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.