Jamnagar : Poonamben Madamએ કરી ક્ષત્રિયો સાથે બેઠક, બેઠક બાદ પ્રતિક્રિયા આપતા પૂનમ માડમે શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-02 16:49:31

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનો વિષય બન્યા છે. ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા તેમના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર કરાઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિરોધ ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ ગયો અને ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો.. સૌથી વધારે વિરોધના દ્રશ્યો જામનગરથી સામે આવ્યા જ્યાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને વિરોધ નડ્યો છે. તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ધ્રોલના વાગુદળ ગામમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમે ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચો સાથે કલાકો સુધી બેઠક કરી હતી..

 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો  

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓની સભામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો...  જામનગરના લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવા દ્રશ્યો આપણી સામે છે. 



પૂનમબેન માડમની સભામાં યુવાનો ઘૂસી આવે છે  અને કરે છે વિરોધ  

વધતા વિરોધને જોતા પૂનમ માડમે ધ્રોલના વાગુદળ ગામના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચ સાથે બેઠક કરી હતી.. આ બેઠકમાં ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના 10 ગામોના ક્ષત્રિય સરપંચો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા..ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અનેક વખત જામનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે. પૂનમ માડમના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવતા અને ભાજપ હાય હાયના નારા લગાવતા..  અનેક વખત યુવાનોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થતું તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.. 


પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના લોકો સાથે સંવાદ કર્યો

અનેક કલાકો સુધી ચાલેલી બેઠક બાદ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમે પ્રતિક્રિયા આપી હતી.. પૂનમબેન માડમે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વાતો કરવામાં આવી.. સ્થાનિક મુદ્દાઓની ચર્ચા પણ થઈ હતી. ક્ષત્રિય સમાજના સદસ્ય તરીકે આ ભાઈઓને વિનંતી કરી કે આ ઈલેક્શન તો 7 તારીખ પછી પૂર્ણ થઈ જશે.. પણ આ 7 તારીખ સુધી કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ઉભો થાય તેવું તે નથી ઈચ્છતા... મહત્વનું છે કે પૂનમબેન માડમને અનેક વખત ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે.. રાત્રે સમાધાનના સમાચાર સામે આવ્યા પરંતુ સવાર પડતા પડતા સમાજમાં ફાંટા જોવા મળ્યા હતા.પૂનમબેન માડમ સાથે ક્ષત્રિય સમાજના સમાધાનને અમુક આગેવાનોએ ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.  મહત્વનું છે કે આજે પીએમ મોદી જામનગરમાં સભાને સંબોધવાના છે.    




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.