Jamnagarના BJPના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો! રેલીમાં ઘુસી કર્યા સૂત્રોચ્ચાર! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-25 15:52:54

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે ભાજપનો વિરોધ બની રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, સી.આર.પાટીલ સહિતના નેતાઓને થયો છે ત્યારે આવા વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ભાજપના નેતાઓ, ઉમેદવારો પ્રચાર કરવા માટે નેતાઓ પહોંચી રહ્યા છે તો ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક સ્થળોથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે પરષોત્તમ રૂપાલા અને ભાજપ વિરૂદ્ધ.. સી.આર.પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.તે સિવાય હાર્દિક પટેલને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે..  


પૂનમબેન માડમની રેલીમાં થયો વિરોધ!  

ત્યારે જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની રેલી જામજોધપુરમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે વિરોધ કરવા માટે તે લોકો પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાજપ હાય હાયના નારા અનેક જગ્યાઓ પર લાગી રહ્યા છે..  મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે...  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.