Jamnagarના BJPના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો! રેલીમાં ઘુસી કર્યા સૂત્રોચ્ચાર! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-25 15:52:54

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે ભાજપનો વિરોધ બની રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, સી.આર.પાટીલ સહિતના નેતાઓને થયો છે ત્યારે આવા વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ભાજપના નેતાઓ, ઉમેદવારો પ્રચાર કરવા માટે નેતાઓ પહોંચી રહ્યા છે તો ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક સ્થળોથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે પરષોત્તમ રૂપાલા અને ભાજપ વિરૂદ્ધ.. સી.આર.પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.તે સિવાય હાર્દિક પટેલને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે..  


પૂનમબેન માડમની રેલીમાં થયો વિરોધ!  

ત્યારે જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની રેલી જામજોધપુરમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે વિરોધ કરવા માટે તે લોકો પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાજપ હાય હાયના નારા અનેક જગ્યાઓ પર લાગી રહ્યા છે..  મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે...  




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે