Jamnagarના BJPના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો! રેલીમાં ઘુસી કર્યા સૂત્રોચ્ચાર! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-25 15:52:54

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે ભાજપનો વિરોધ બની રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, સી.આર.પાટીલ સહિતના નેતાઓને થયો છે ત્યારે આવા વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ભાજપના નેતાઓ, ઉમેદવારો પ્રચાર કરવા માટે નેતાઓ પહોંચી રહ્યા છે તો ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક સ્થળોથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે પરષોત્તમ રૂપાલા અને ભાજપ વિરૂદ્ધ.. સી.આર.પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.તે સિવાય હાર્દિક પટેલને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે..  


પૂનમબેન માડમની રેલીમાં થયો વિરોધ!  

ત્યારે જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની રેલી જામજોધપુરમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે વિરોધ કરવા માટે તે લોકો પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાજપ હાય હાયના નારા અનેક જગ્યાઓ પર લાગી રહ્યા છે..  મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે...  




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"