Jamnagarના BJPના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો! રેલીમાં ઘુસી કર્યા સૂત્રોચ્ચાર! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-25 15:52:54

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે ભાજપનો વિરોધ બની રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, સી.આર.પાટીલ સહિતના નેતાઓને થયો છે ત્યારે આવા વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ભાજપના નેતાઓ, ઉમેદવારો પ્રચાર કરવા માટે નેતાઓ પહોંચી રહ્યા છે તો ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક સ્થળોથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે પરષોત્તમ રૂપાલા અને ભાજપ વિરૂદ્ધ.. સી.આર.પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.તે સિવાય હાર્દિક પટેલને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે..  


પૂનમબેન માડમની રેલીમાં થયો વિરોધ!  

ત્યારે જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની રેલી જામજોધપુરમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે વિરોધ કરવા માટે તે લોકો પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાજપ હાય હાયના નારા અનેક જગ્યાઓ પર લાગી રહ્યા છે..  મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે...  




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.