Jamnagar : જામનગર એસપીની કડક કાર્યવાહી, જાતીય સતામણી મામલે PSI સહિતના પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 16:48:00

''રક્ષક જ ભક્ષક બને તે સ્થિતિ ખુબ ચિંતાજનક છે'' આ શબ્દો હતા ગુજરાત પોલીસ માટે ગુજરાતની હાઈકોર્ટના, આ વિધાન ફરી એક વાર સાચું સાબિત થયું છે. જામનગરમાં જોડિયા તાલુકામાં- જ્યાં એક નાગરિકની જાતીય સતામણીમાં પોલીસની ભૂંડી ભુમીકા બહાર આવી છે, જોડિયા પોલીસ સ્ટેશનના PSI અને રાઇટર સહિતના લોકો તેમાં સામેલ હતા જોકે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

આર.ડી. ગોહિલ, સસ્પેન્ડેડ પીએસઆઈ - Divya Bhaskar

PSI સહિતના પોલીસકર્મીઓ વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી  

જામનગરના જોડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રવિરાજસિંહ ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે અન્ય ચાર પોલીસકર્મીઓની પોલીસ હેડકવાટર બદલી કરી દેવામાં આવ્યા-  જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ આ પાછળ  PSI સહિતનાએ જાતીય સતામણીમાં ભજવેલી ભૂમિકાને લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું કારણ જણાવ્યું છે .


જિલ્લા પોલીસવડાને કરવામાં આવી ફરિયાદ

જોડિયાના એક નાગરિકની ખોટી રીતે હેરાનગતી જાતીય સતામણી કરવામાં આવી હતી. PSI રવિરાજસિંહ ગોહિલે જાતીય સતામણી કરી જેતે ભોગગ્રસ્તને પરેશાન કર્યા હતા. જે બાબતની જીલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને જોડિયા પોલીસ દફતરમાં ફરજ બજાવતા PSI આરડી ગોહિલ અને તેના રાઈટર રવિ મઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જયારે જોડિયા ટાઉન પોલીસ દફતરમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નીકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ દીવ્યરાજસિંહ જટુભા જાડેજાની તાત્કાલિક અસરથી જીલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જીલ્લા પોલીસવડાના આકરા પગલાથી પોલીસ બેડા સહીત જિલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.


રક્ષક જ ભક્ષક બને ત્યારે...

આ બનાવ બાદ તપાસ ચાલી રહી છે, પણ સામાન્ય નાગરિક જ્યાં રક્ષણ મેળવવા આવે ત્યાં જ આવી ઘટના ફરી-ફરી બને તે ઘણા સવાલ ઉભા કરે છે.  તેમની સામે કાર્યવાહી સસ્પેન્ડ અને બદલી પૂરતી જ રહેશે કે વધુ કઈ એક્શન લેવામાં આવશે? કે પછી ફરી અદાલતે સ્વતઃ સંજ્ઞાન લેવું પડશે અને પોલીસને ટકોર કરવી પડશે તે જોવું રહ્યું.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.