Jamnagar : જામનગર એસપીની કડક કાર્યવાહી, જાતીય સતામણી મામલે PSI સહિતના પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 16:48:00

''રક્ષક જ ભક્ષક બને તે સ્થિતિ ખુબ ચિંતાજનક છે'' આ શબ્દો હતા ગુજરાત પોલીસ માટે ગુજરાતની હાઈકોર્ટના, આ વિધાન ફરી એક વાર સાચું સાબિત થયું છે. જામનગરમાં જોડિયા તાલુકામાં- જ્યાં એક નાગરિકની જાતીય સતામણીમાં પોલીસની ભૂંડી ભુમીકા બહાર આવી છે, જોડિયા પોલીસ સ્ટેશનના PSI અને રાઇટર સહિતના લોકો તેમાં સામેલ હતા જોકે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

આર.ડી. ગોહિલ, સસ્પેન્ડેડ પીએસઆઈ - Divya Bhaskar

PSI સહિતના પોલીસકર્મીઓ વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી  

જામનગરના જોડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રવિરાજસિંહ ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે અન્ય ચાર પોલીસકર્મીઓની પોલીસ હેડકવાટર બદલી કરી દેવામાં આવ્યા-  જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ આ પાછળ  PSI સહિતનાએ જાતીય સતામણીમાં ભજવેલી ભૂમિકાને લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું કારણ જણાવ્યું છે .


જિલ્લા પોલીસવડાને કરવામાં આવી ફરિયાદ

જોડિયાના એક નાગરિકની ખોટી રીતે હેરાનગતી જાતીય સતામણી કરવામાં આવી હતી. PSI રવિરાજસિંહ ગોહિલે જાતીય સતામણી કરી જેતે ભોગગ્રસ્તને પરેશાન કર્યા હતા. જે બાબતની જીલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને જોડિયા પોલીસ દફતરમાં ફરજ બજાવતા PSI આરડી ગોહિલ અને તેના રાઈટર રવિ મઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જયારે જોડિયા ટાઉન પોલીસ દફતરમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નીકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ દીવ્યરાજસિંહ જટુભા જાડેજાની તાત્કાલિક અસરથી જીલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જીલ્લા પોલીસવડાના આકરા પગલાથી પોલીસ બેડા સહીત જિલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.


રક્ષક જ ભક્ષક બને ત્યારે...

આ બનાવ બાદ તપાસ ચાલી રહી છે, પણ સામાન્ય નાગરિક જ્યાં રક્ષણ મેળવવા આવે ત્યાં જ આવી ઘટના ફરી-ફરી બને તે ઘણા સવાલ ઉભા કરે છે.  તેમની સામે કાર્યવાહી સસ્પેન્ડ અને બદલી પૂરતી જ રહેશે કે વધુ કઈ એક્શન લેવામાં આવશે? કે પછી ફરી અદાલતે સ્વતઃ સંજ્ઞાન લેવું પડશે અને પોલીસને ટકોર કરવી પડશે તે જોવું રહ્યું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.