જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પાંચ આરોપીઓના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 10:00:59

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પાંચ આરોપીઓના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા છે. ગુજસીટોકના આરોપી જામનગર શહેરનાં જાણીતા બિલ્ડર નીલેશ ટોલિયા, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, વકીલ માનસત્તા અને જીમ્મી આડતિયા સહિતના પાંચ આરોપીઓનો જામીન પર છૂટકારો થશે. અનેક વખત હાઇકોર્ટમાં જામીન અરજી કરવા છતાં વારંવાર તેઓની અરજી રદ્દ કરવામાં આવી હોય ત્યારે આખરે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી માન્ય રાખતાં પાંચ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે.

જયેશ પટેલ અને તેના સાગરીતો સામે બે વર્ષ પહેલાં નોંધાયો હતો ગુનો


મળતી માહિતી મુજબ ગુજરાતમાં ગુજસીટોકનું શસ્ત્ર સોપ્રથમ વખત જામનગરમાં અજમાવવામાં આવ્યું હતુ. ખંડણી, જમીન પચાવી પાડવી, ફાયરિંગ કરવા, હત્યાની કોશિષ કરવી, ખોટા દસ્તાવેજો બનાવી લોકોની જમીન ઉપર કબજો કરવા જેવી અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ સિન્ડિકેટ ક્રાઇમ દ્વારા આચરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જામનગર સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા ભૂમાફિયા જયેશ પટેલ અને તેના દોઢ ડઝન જેટલા સાગરિતો સામે આ ગુના હેઠળ ગત તા. 15 ઓકટોબર-2020માં જામનગર સિટી એ-ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુના સબબ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેઓને અલગ-અલગ જેલમાં ધકેલવામાં આવ્યા હતા.

અનેક વખત હાઇકોર્ટે જામીન અરજી ફગાવી

દરમિયાન જામનગરના ચકચારી ગુજસીટોક કેસમાં લાંબા સમય બાદ કોઇ મહત્વનો વળાંક નોંધાયો છે. રાજ્યની અલગ-અલગ જિલ્લા જેલમાં બંધ ગુજસીટોકના આરોપીઓ દ્વારા અગાઉ અનેકવખત ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજીઓ કરવામાં આવી હતી પરંતુ દરેક વખત હાઇકોર્ટ દ્વારા તેઓની જામીન નામંજૂર કરવામાં આવતી હતી તેવામાં આ ગુનાનાં આરોપી જામનગરના જાણીતા બિલ્ડર નીલેશ ટોલિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવતા તેઓની રાહે એડવોકેટ વસંત માનસત્તા, જશપાલસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા અને જીમ્મી આડતિયાએ પણ જામીન અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં આરોપીઓના વકીલની દલીલના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓની જામીન અરજી ગ્રાહ્ય રાખવામાં આવતાં તેઓને જામીન પર મુકત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી આ જામીન અરજીનો ઓર્ડર રિલિઝ કરવામાં આવ્યો નથી ત્યારે આજ સાંજ સુધીમાં આ ઓર્ડર રિલિઝ થાય તેવી શકયતા સેવાઇ રહી છે.

સંજય દત્તને આપવામાં આવેલા જામીનનાં ચુકાદા પરથી જામીન મેળવાયા

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પાંચ આરોપીઓના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે જામીન અરજી મુકવામાં આવી હતી તેમાં દલીલ કરવામાં આવી હતી કે, પોલીસે 90 દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવાનું હતુ તેમાં તેઓ નિષ્ફળ રહેતાં તેમના સરકારી વકીલ અને પોલીસે ચાર્જશીટ રજૂ કરવા માટે સમય મર્યાદા વધુ 90 દિવસ લંબાવી આપવા હાઇકોર્ટને અરજી કરી હતી. આ મુદ્દાને પડકારવામાં આવ્યો હતો પરંતુ હાઇકોર્ટ દ્વારા આરોપીઓની અરજી ફગાવી દેવામાં આવી હતી જેના પગલે ચાર્જશીટની મુદ્દત લંબાવવાની પોલીસ અને સરકારી વકીલની અરજી આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી જેમાં તેઓએ હાઇકોર્ટ દ્વારા પોતાને સાંભળવાની તક આપવામાં ન આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ-1995માં બોલિવૂડના અભિનેતા સંજય દત્તના કિસ્સામાં પણ આ પ્રકારે જામીન અરજી મંજૂર કરવામાં આવી હોય તેવા પુરાવાઓ ટાકવામાં આવ્યા હોય જેના આધારે આરોપીઓના વકીલની અરજી ગ્રાહ્ય રાખતા તેઓને ડિફોલ્ટ જામીન આપવામાં આવ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.