Jamnagar : માર્કેટીંગ યાર્ડમાં પડેલો માલ પલળ્યો| વેપારીના માથે નુકસાન આવ્યું અને ખેડૂતના કપાળે ચિંતાની લકીર! સાંભળો ખેડૂતોની આપવીતિ


  • Published By :
  • Published Date : 2023-10-17 10:51:45

ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે. જગતનો તાત ખેતી કરે છે ત્યારે આપણી થાળીમાં જમાવાનું આવે છે. કુદરત જ્યારે આપણાથી રૂઠી હોય ત્યારે આપણને કદાચ વધારે અસર નહીં થાય, પરંતુ કુદરત અને ખેડૂતોનો નાતો અત્યંત નિકટનો છે. કુદરતી માર વેઠવાનો વારો ખેડૂતોને આવે છે. વધારે વરસાદ આવે તો પણ અને વરસાદ ન આવે તો પણ ખેડૂતોના નસીબમાં માત્ર આસું જ હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે જામનગરથી એવા દ્રશ્યો આવ્યા છે જે ખેડૂતોની પીડા વર્ણવા માટે કાફી છે. માર્કેટિંગ યાર્ડમાં રાખેલો માલ વરસાદ આવવાને કારણે પલળી ગયો. વેપારીના માથે નુકસાન આવ્યું અને ખેડૂતોના કપાળે ચિંતાની લકીર આવી...


ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી 

અડધુ ગુજરાત ચિંતા કરતું હતું કે વરસાદ ન આવવો જોઈએ કારણ કે ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની હતી. અડધુ ગુજરાત એ પણ ચિંતા કરતું હતું કે નવરાત્રી દરમિયાન વરસાદ ન આવવો જોઈએ નહીંતો ગરબાની મજા બગડી જશે. અમુક એવા લોકો પણ એવા હતા જે પ્રાર્થના કરતા હતા કે વરસાદ ન પડવો જોઈએ. એ લોકો હતા ખેડૂતો... જામનગરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો વિચલીત કરી દે તેવા છે. ખેડૂતોની મહેનત રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કપાસનો પાક પલળી ગયો.  ખેડૂતો બરબાદ થઈ ગયા હતા. 


કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે 

એ ખેડૂતોની હાલત કદાચ આપણે વિચારી પણ નહીં શકીએ. ખેડૂતોને જરૂર હોય ત્યારે વરસાદ આવતો નથી અને જ્યારે આવે છે ત્યારે નુકસાની કરીને જાય છે. તૈયાર થયેલો માલ એવી રીતે આવે છે કે તેનો પાક પલળી જાય છે. બધી જ મહેનત પછી માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયેલો માલ જ્યારે પલળી જાય ત્યારે ખેડૂતોની હાલત કફોળી બની જતી હોય છે. ખેડૂતોને રડવાનો વારો આવે છે. ખેડૂતનું રડવું અને વરસાદનું પડવું એ બહુ સ્વભાવિક પ્રક્રિયા છે.! એક કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે તો બીજી તરફ માનવ સર્જિત આફતોને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. જે માલ પલળ્યો એ ખેડૂતનો હતો કે ખરીદી કર્યા બાદ વેપારીનો હતો તે જાણી શકાયું નથી.


ખેડૂતોની પીડા ખેડૂતો જ સમજી શકે છે... 

નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે તેવી આગાહી હોવા છતાંય જ્યારે માલને ખુલ્લો મૂકવામાં આવે છે અને પલળી જાય છે ત્યારે પ્રશ્ન તો થાય છે. ચોમાસા દરમિયાન ખેડૂતોના તૈયાર થયેલા પાક પલળી જાય એ જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. કોઈને કંઈ ફરક ન પડતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવું સામાન્ય થઈ ગયું છે. ખેડૂતની પરિસ્થિતિ માત્ર ખેડૂત સમજી શકે છે.       



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી